SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જિનવાણી સ્પર્શાત્મક બોધ માટે છે ૨૯ આનંદ છે? માત્ર શબ્દાત્મક બોધ માટે જિનવાણી નથી, સ્પર્શાત્મક બોધ માટે જિનવાણી છે. ચોધાર આંસુ આવે છે ? કે હજી મારા જીવનમાં કંઈ નથી આવ્યું ? જેને આંખ સામે મૃત્યુ દેખાય તે પ્રમાદમાં રહી શકે નહીં. કોઈ જ્ઞાની, તમને કલાક પછી મૃત્યુ છે એમ કહે તો શું કરી શકો? ઘરે જઈને જ મૃત્યુ છે એમ ખબર પડે તો ખાઈ શકો? શકો? ચા પી શકો ? હસીને વાત કરી શકો ? સારા કપડા-લતા પહેરી શકો? અલંકાર પહેરી શકો ? તે વખતે પ્રમાદ ક્યાં ભાગી ગયો ? સંસારના સુખની આસક્તિ ક્યાં ગઈ? ગઈ કાલ સુધી જે મઝથી ભોગવતાં હતા. તે આજે કેમ નહીં? મર્યા પછી કોઈ પુરુષાર્થ થવાનો નથી, મર્યા નથી ત્યાં સુધી જ સત્ પુરુષાર્થ થવાનો છે. આંખ મીંચાઈ નથી ત્યાં સુધી સત્ પુરુષાર્થ કરી લેવો જોઈએ. પ્રમાદમાં અનંતકાળ ગયો... પ્રમાદ હડસેલી છે ધર્મ કરવાનો છે, તે આપણે ચૂકી રહ્યા છીએ. બસ, ખાવું-પીવું પહેરવું-ઓઢવું. મોજમઝા, એશ-આરામ વગેરે આપણું જીવન છે. આ બધો સંસાર પ્રમાદથી જ ચાલવાનો છે. એમાંથી આગળ વધવું હોય તેઓને પ્રમાદ છોડીને જ વધવાનું છે. એકથી ચાર દૃષ્ટિ સાપાય છે. પ્રતિપાતથી યુક્ત છે માટે સાપાય છે. અનર્થ ઊભા કરનારી છે. દુર્ગતિ અનર્થ રૂપ છે. દુર્ગતિ પછી ચાલતું પરિભ્રમણ પણ અનર્થ છે. પ્રમાદથી જે પરિણતિ બગડે છે તે પણ મોટો અપાય છે. સ્થિરાદિ ચાર દૃષ્ટિમાં અપાય નથી. પ્રતિપાત વડે, નીચે ઉતરવા વડે, તે અપાય નથી કરતી... આ દૃષ્ટિમાં લિષ્ટ કર્મનો બંધ નથી, તેથી અપાય નથી.... તો પ્રશ્ન થાય કે શ્રેણિકને અપાય – અનર્થ કેમ થયો? શ્રેણિકને નરકનો બંધ કેમ થયો? ઉત્તર - શ્રેણિકને અપાય આવ્યો તે સ્થિરાદિ દષ્ટિ આવતાં પહેલા નરકના આયુષ્યનો બંધ થઈ ગયો હતો.... પ્રતિપાત ભલે નથી થતો. પણ અપાય તો આવે જ છે. અપાય તો બન્ને (મિથ્યાત્વી-સમકિતી)ને આવે છે. પછીની ચાર દૃષ્ટિમાં સંભાવનાની અપેક્ષાએ અપાય છે. ધર્મ પામતાં પહેલા આયુષ્ય બાંધેલું હતું. તેથી નીચે ઉતરી પડ્યા છે. તો તેને સાપાય કહી શકો છો, પણ પ્રતિપાત નથી. પ્રતિપાત વડે આ સાપાય નથી. સૂત્રનો વિષય બહુલતાએ હોય છે. ભલે શ્રેણિકને નરક મળી છે... પણ તત્ત્વથી આ અપાય નથી. બાહ્યથી અપાય છે, દેખીતો અપાય છે પણ તત્ત્વથી અપાય છે. દેખીતી રીતે નરક મળી છે, તેનાથી તેના આત્માને નુકશાન શું છે ? નુકશાન તો તે કહેવાય કે જેનાથી આત્મા કાળો બને અને આત્મા સંસારમાં ભમે !! દા.ત. વજના ચોખા હોય. તેને ગમે તેટલા ચઢાવો તો પણ પાચનક્રિયા – પાક ક્રિયા થતી નથી. તેવી રીતે શ્રેણિકાદિને કાયિક પીડા ગમે તેટલી હોવા છતાં એ નરકની પીડા તેના મનને બગાડી શકતી નથી. મનમાં કોઈ સંક્લેશ પેદા થતો નથી. માટે તત્ત્વથી અપાય નથી. અંદરથી આત્મા જાગૃત છે. તીર્થકરના આત્માઓ તીર્થકર નામકર્મની નિકાચના કર્યા પછી યોગની છઠ્ઠી દષ્ટિમાં વર્તતા હોય છે. નરકના દુઃખો આવ્યા, તે બાહ્ય અપાય છે. અને મનના દુઃખો નથી તે તત્વથી અપાય નથી. વજના ચોખામાં કોઈ પાક ક્રિયા થતી નથી. તેમ શ્રેણિક મહારાજા સ્વરૂપની નિકટતા અનુભવે છે. કાયિક દુઃખ મનને બગાડી શકતા નથી. મન બગડે તો અપાય કહેવાય.. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy