SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ છે, એવા કર્મો આત્મામાં હોવાની સંભાવના છે એ કર્મોના ઉદયમાં આ દૃષ્ટિનો બોધ નષ્ટ થાય છે, તીવ્ર સંક્લેશ આવે છે. ત્યારે તે આત્મા દષ્ટિમાં ટકી શકતો નથી. સંક્લેશના કારણે જીવ હેય-ઉપાદેયના વિવેકને ભૂલે છે. હેય ને ઉપાદેય મનાવે છે અને ઉપાદેયમાં ઉપેક્ષા બુદ્ધિ કરાવવાનું કામ સંક્લેશનું છે. સંક્લેશ તીવ્ર બને છે ત્યારે, આજે પણ, આવું બને છે – આત્માને નુકશાન કરનાર પદાર્થમાં, પ્રવૃત્તિમાં જીવ હોંશે હોંશે રમી રહ્યો હોય છે, અને જે સંયમ-તપ-ત્યાગ વગેરે હિત કરનાર છે તે તરફ તેને રુચિ રહેતી નથી, પ્રવૃત્તિ પણ રહેતી નથી. બહારના નિમિત્તો એવા વિચિત્ર છે કે, શુભનિમિત્તો જીવ ન પકડે અને અશુભનિમિત્તોથી ડરતો ન રહે તો પતન જરૂર થાય જ. ઉત્થાનનો ભવ આ એક જ છે. પતનનાં ભાવો ઘણા છે, ઉત્થાનના ભાવમાં પણ જો પતન પામીશું તો ઉત્થાન ક્યારે થશે ? એક પછી એક આગળ દષ્ટિ પામવા માટે જાગૃતિ, શુભ નિમિત્ત, પ્રચંડવીર્ય અને સતત શુભ પ્રણિધાન કરવું પડે છે.... જો નીચે પતન પામવું ન હોય તો સતત સાવધ રહો, સતત કાળજી રાખો, હેયોપાદેયનો વિવેક સતત ખ્યાલમાં રાખવો જોઈએ. અને ઉપાદેયનું પ્રણિધાન દઢ કરવું જોઈએ, તો જ આગળ વધી શકાય છે. દઢ પ્રણિધાન વિના ઉપર ગયેલાને પણ નીચે ઉતરતાં વાર ન લાગે. પહેલી ચાર દૃષ્ટિ એકાંતે પ્રતિપાત યુક્ત છે, તેવું નથી કહેતાં પરંતુ પ્રતિપાત થવાની સંભાવના છે. સમ્યકત્વથી પડનારા ઘણા આત્મા છે. તેમાં પણ સમ્યકત્વથી પતન થયા પછી સંખ્યાત કાળે મોક્ષે જનારા જે જીવો છે.... તેનાથી સમ્યક્તથી પતન થયા પછી અસંખ્યાત કાળે મોક્ષે જનારા જીવો વધારે છે. તેનાથી સભ્યત્વથી પતન થયા પછી અનંતકાળે મોક્ષે જનારા જીવો વધારે હોય છે. સભ્યત્વથી પાડે છે કોણ ? * પ્રમાદ જીવને સમ્યક્તથી પાડે છે. સતત જાગૃત રહે, પુરુષાર્થ કરે, તો પડે નહીં. નિકાચિત કર્મ અહીં પાડતા નથી. નિકાચિત કર્મ તેને કહેવાય કે, જીવના પુરુષાર્થ ઉપર ઓવરટેક કરીને જે પોતાનો ભાગ ભજવે, અને જીવને નીચે પાડે તે નિકાચિત કર્મ છે. જીવ સતત સાવધ હોય, છતાં આ કર્મ તેને પાડે છે. દા.ત. નંદિષેણ મુનિ. દસ પૂર્વ ભણેલા છે, ચારિત્રનાં પરિણામ પણ છે, ગાઢ નિકાચિત કર્મ છે. જીવના પુરુષાર્થ કરતાં કર્મનું બળ અધિક વધી ગયું અને તેથી ચારિત્રથી પતન પામ્યા. જીવનો પુરુષાર્થ જ્યાં કામ નથી લાગતો ત્યાં નિકાચિત કર્મથી પડ્યા કહેવાય. નિકાચિત કર્મ ક્યારેક જ ઉદયમાં આવે છે. મોટે ભાગે ઘણા બધા કર્મ અનિકાચિત હોય છે. છતાં આત્મા પુરુષાર્થથી આગળ વધતો નથી તેમાં પ્રમાદ કારણ છે. પ્રમાદ ભયંકર છે. વિષય – કષાય – નિદ્રા- વિકથી આગળ વધવા દેતાં નથી. નિદ્રાજય, વિષયજય, વિકથાજય એ પ્રમાદજાય છે. *[નોંધઃ સમ્યગુદર્શન અર્થાત્ પાંચમી સ્થિરાદષ્ટિ પામતા અનિવૃત્તિકરણના પહેલા સમયથી માંડીને સત્તામાંથી દર્શનમોહનીય અર્થાત મિથ્યાત્વ મોહનીય સંબંધી નિકાચના, Jain Education International 2010_05 For Private & Personal Use Only : www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy