SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતીની મનોભૂમિકા ર૩ વિશિષ્ટ નિકાચના માટે આભોગ-જાણકારી જોઈએ, વળી રસની તીવ્રતા જોઈએ, તો જ કર્મ નિકાચિત થાય છે. પહેલે ગુણઠાણે પાપની પ્રવૃત્તિ - આભોગપૂર્વક, રસપૂર્વક કરી શકે છે. આભોગના ઘણા પ્રકાર પડી શકે છે. તીવ્ર-તીવ્રતર-તીવ્રતમ આભોગ. પાપ કરવાની ધગશ, ચડશ, પાપની હુંફ, ગર્વ, પ્રશંસા આ બધું પહેલે ગુણઠાણે સંભવે છે. સ્થિતિની દીર્ઘતા એ પાપકર્મની તીવ્રતા નથી, પણ રસની તીવ્રતાથી પાપકર્મની તીવ્રતા છે. આવેશ, સંક્લેશ, રસ, દુર્ગાન, જેટલું વધારે તેટલું પાપ તીવ્ર બંધાય છે. હેયોપાદેયનો વિવેક જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી આવે, પણ હેયની અરૂચિ, ઉપાદેયની રુચિ, મોહનીય કર્મના ક્ષયોપશમથી આવે છે. પાપ કરવાનો ઈરાદો પહેલે ગુણઠાણે હોય છે. પ્રભુ મહાવીરના જીવે- ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં તીવ્ર આભોગ, પ્રણિધાન અને રસપૂર્વક અધ્યાપાલડા કાનમાં સીસુ રેડાવેલું. પ્રથમ ગુણસ્થાનકના ૨ પ્રકાર છે. (૧) ગુણહીન ગુણસ્થાનક, અહીં દોષમાં ગુણનો આરોપ કરેલો છે. (૨ગુણસંપન્ન ગુણસ્થાનક, અહીં મિથ્યાત્વ મંદ પડયું છે. સ્વરૂપનો હેજ અંશે ખ્યાલ આવે છે. અપુનબંધકાવસ્થા પ્રાપ્ત કરે છે. અહીં ગુણસંપન્ન ગુણસ્થાન કહી શકાય છે. સમકિતીને સ્વરૂપનું - તત્ત્વનું પ્રણિધાન છે. સાતમા ગુણઠાણા સુધી આ આભોગ છે. પણ પછી સ્વરૂપનું - તત્ત્વનું પ્રણિધાન ઉગ્ર બને છે. તેથી હવે કોઈ પ્રવૃત્તિ કરવાનો આભોગ નથી. “સમભવમો છે. સંસાર-મુક્તિ વિષે સમ પરિણામ છે. મળવાનું છે માટે વિકલ્પ નથી. સાત નિર્વિકલ્પક અવસ્થા છે. ઇચ્છા છે, પણ તે વિકલ્પ રૂપ નથી. પણ તત્ત્વનું સંવેદન છે. અને તેના સિવાય બીજુ કાંઈ જ ન ખપે, એવી મનોભૂમિકા છે. પહેલી ચાર દૃષ્ટિમાં પ્રણિધાન માયકાંગલું છે. જ્યાં પહાડ જેવી – હિમાલય જેવી ગ્રન્થિ ઊભી હોય, હજી ગ્રન્થિ ભેદાઈ ન હોય, ત્યાં પ્રણિધાન પણ માયકાંગલું હોવાના કારણે કર્મોના ઝંઝાવાત સામે ટકી શકાતું નથી. સંસારરસિકને પાપનું તીવ્ર પ્રણિધાન હોય છે. પ્રથમ ચાર દૃષ્ટિમાં ઉત્તરોત્તર વિકાસ થાય છે. અહીં પાપનું પ્રણિધાન દઢ નથી. અને તત્ત્વનું પ્રણિધાન થવાની ભૂમિકા છે – થઈ રહી છે પણ સૂક્ષ્મ બોધના અભાવે અહીં કર્મના ઝંઝાવાતો સામે દૃષ્ટિમાં ટકી શકવાનું સામર્થ્ય તેમની પાસે ન હોવાથી દુર્ગતિનું આયુષ્ય પણ બાંધી લે છે. સમકિતીને તો તત્ત્વનું પ્રણિધાન તીવ્ર હોય છે. સમકિતીની મનોભૂમિકા પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજા આઠ દૃષ્ટિને બે વિભાગમાં વહેંચી રહ્યા છે. પહેલી ચાર દૃષ્ટિ પ્રતિપાત યુક્ત છે. મિથ્યાત્વ ઊભું છે. ગ્રન્થિભેદ થયો નથી. અનંતકાલમાં અત્યાર સુધી ગ્રન્થિભેદ પહેલા જીવે જે નિધત્ત-નિકાચિત-ગાઢ નિકાચિત કર્મો બાંધેલા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy