SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ પાંચમી સ્થિર દષ્ટિ પ્રતિપાત યુક્ત બને. અને તેથી સાપાય પણ બને. અર્થાત્ જીવને દષ્ટિમાંથી પાત કરવા પૂર્વક કાંઈક ન્યુન અર્ધપગલપરાવર્ત સુધી સંસારમાં ભટકાવે. પહેલી ચાર દૃષ્ટિમાંથી થયેલા પ્રતિપાતથી પણ જીવનો સંસાર કાંઈક ન્યુન અર્ધપુલપરાવર્તથી વધારે ન સમજવો. છઠ્ઠી વગેરે દષ્ટિઓ અપ્રતિપાતી સમ્યકત્વયુક્ત હોય છે. અહિંયા વિષયો પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ હોય છે. વિષયોમાંથી સુખબુદ્ધિ નીકળી ગયેલી હોય છે. એટલે દુર્ગતિની પરંપરાઓ હોતી નથી તેમજ પૂર્વબદ્ધ આયુષ્ય સિવાય દુર્ગતિ પણ હોતી નથી. છઠ્ઠી વગેરે દૃષ્ટિમાં તીવ્ર વૈરાગ્ય, જ્વલંત ઉદાસીનભાવ, પ્રશાંતવાહિતા – આ બધુ સ્વભાવસ્થ હોય છે. તેથી તે સંસારમાં ક્યાંય પણ કરતો નથી, અને ઉકળતો પણ નથી. પારકા ઘરમાં રહેલાની જેમ એ સદા સ્વરૂપરમણતામાં ઝીલે છે. આવા આત્માઓ બહુધા તભવ મુક્તિગામી હોય છે. અથવા બે, ત્રણ ભવમાં મુક્તિગામી બને છે. છઠ્ઠી વિ. દષ્ટિમાં ક્વચિત્ વ્યવહારથી પ્રમાદ હોવા છતાં હૃદય સદા શ્રતભાવિત અને અપ્રમત્તપ્રાયઃ હોય છે. પાંચમી દષ્ટિમાં પ્રયત્નથી પ્રમાદ દબાયેલો રહે છે. શાંત રહે છે. એકથી ચાર દષ્ટિ પ્રમાદબહુલ છે. પહેલી ચાર દષ્ટિમાં પાપનું પ્રણિધાન મોળું પડયું છે. અપુનબંધકાવસ્થા પામ્યો છે. જો કે સમ્યકત્વ પામ્યો નથી, ગ્રન્થિભેદ થયો નથી તેથી તત્ત્વનું દઢ પ્રણિધાન નથી. અને પાપનું પ્રણિધાન તીવ્ર પણ નથી. ગુણસંપન્ન અપુનબંધકાવસ્થાના ત્રણ લક્ષણો છે. (૧) ઔચિત્યનું પાલન હોય, (૨) તીવ્રભાવે પાપ ન કરે, (૩) સંસારને અત્યંત સારો માને નહીં. ઔચિત્યનું પાલન હોય છે, તેથી કદાચ પાપ પ્રવૃત્તિ હોઈ શકે છે પણ આ ઔચિત્ય, પાપમાં તીવ્ર ભાવ લાવવા ન દે. પાપનું પ્રણિધાન મોળું પડ્યું છે, તે બતાવે છે, કે, મર્યાદા આવે, ઔચિત્ય આવે - ત્યાં તીવ્રભાવે પાપકરણ ન હોય... સંસારને સારો માને, છતાં સંસારને અત્યંત સારો ન માને... સર્વન ઔચિત્યનું પાલન છે. સર્વત્ર ઔચિત્ય - અનૌચિત્ય વિચારીને જ પ્રવર્તે છે. તેથી દષ્ટિમાં હોય ત્યાં સુધી દુર્ગતિ ન થાય. મિથ્યાત્વ ગયું નથી. પૂર્વ કર્મો તીવ્ર રસવાળા અંદરમાં પડેલા છે... આવી સ્થિતિ હોવાના કારણે, પૂર્વના તીવ્ર કર્મનો ઉદય થાય ત્યારે જીવ ટકી ન શકે તેવું જીવવીર્ય નબળું હોય છે. જેથી સંક્લેશ આત્મા પર ચઢી બેસે છે, તેથી દૃષ્ટિનો બોધ ચાલ્યો જાય છે, અને ક્લિષ્ટકર્મનો બંધ થઈ શકે છે. અને આત્મા દુર્ગતિમાં જઈ શકે છે. પાંચમી દૃષ્ટિમાં તીવ્ર કર્મનો બંધ નથી, ક્લિષ્ટ કર્મનો ઉદય નથી, પાપ કર્મ બંધાય તોપણ તે નિધત્ત - નિકાચિત બંધાતા નથી. કારણ કે અશુભ તીવ્ર નિકાચિત કર્મો પહેલા ગુણઠાણા સુધી જ જીવ કરી શકે છે. ચોથા ગુણઠાણે અશુભ કર્મની નિકાચના નથી. શુભકર્મની વિશિષ્ટ નિકાચના સાતમાં ગુણસ્થાનક સુધી ચાલુ છે. આવું કેમ ? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy