SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ દેવો ક્યાં આવે છે ? ૧૯ વાસ્તવિક પુણ્ય દેખાતું નથી. શુદ્ધિ વિના તામલીની આટલી નિઃસ્પૃહતા શક્ય નથી. એણે નિયાણું ન કર્યું, તો મારીને ભવનપતિનો બલીન્દ્ર ન બનતાં આગળ વધ્યો.... અને છેલ્લે મહાત્માઓના દર્શન થતાં તેમની ઇર્યાસમિતિનું પાલન જોતાં, તે સમ્યકત્વ પામ્યો અને ઈશાનેન્દ્ર બન્યો. સૂક્ષ્મ બોધના અભાવે સમકિત પામવામાં વિલંબ થયો. પણ કાયાની સાથે ઝઝુમ્યો, કાયાનો રાગ તોડવા માટે પ્રચંડ પુરુષાર્થ કર્યો - તો શાસ્ત્રયોગની નજીક ગયો. એક પણ શુભપ્રવૃત્તિ, તીવ્રરસ - તીવ્ર રૂચિથી કરે અને આત્માને ઊંડા સંસ્કારો પડે, તો ઉત્તરોત્તર વિકાસ શક્ય બને છે. આપણી ધર્મ પ્રવૃત્તિથી સંસ્કાર પડતાં નથી, એ દુર્ભાગ્ય છે. સંસ્કાર પડવાનું ઠીક ઠીક કામ ચોથી દૃષ્ટિથી શરૂ થાય છે. જો કે અતિસ્થલ દષ્ટિએ વિચારતાં આઠ દૃષ્ટિઓ છે. બાકી તો એકેક દષ્ટિના ઘણા ભેદો પડે છે. ' યં વાવU/Tયમેવરિષ્ઠવિધા મૃતા | सामान्येन विशेषास्तु भूयांसः सूक्ष्मभेदतः ॥१८॥ સઋદ્ધાયુક્ત બોધ એ દષ્ટિ છે. તે વાવત્ શૈલેશીપદ, અયોગી ગુણસ્થાનની પ્રાપ્તિ કરાવનારી દૃષ્ટિ છે. અતિસ્થલ દષ્ટિએ સામાન્યથી આઠ પ્રકારના આવરણરૂપ અપાય દૂર થવાથી તેને આઠ ભેદ છે. બાકી તો જીવ જેટલા અંશે પુરૂષાર્થથી આવરણરૂપ અપાયાંશને દૂર કરતો જાય તેમ તેમ તેની દષ્ટિ ખૂલતી જાય છે. સ્કૂલ દૃષ્ટિએ વિચારતા દૃષ્ટિના ભેદો સંખ્યાતા છે. અધ્યવસાયના ભેદની દૃષ્ટિએ વિચારતા અસંખ્યાતા છે, અને સ્થાન હાનિવૃદ્ધિની અપેક્ષાએ વિચારતા અનંતા છે. આમ સૂક્ષ્મદષ્ટિએ વિચારતાં તેના અનંતભેદો પણ પડી શકે છે. દરેક જીવનો ક્ષયોપશમ ભિન્ન ભિન્ન હોય છે. તેના દ્વારા પ્રાપ્ત દર્શન પણ ભિન્ન હોય છે. શાસ્ત્રમાં દર્શનાદિ, પરસ્પર પસ્થાનપતિત કહેલા છે. જીવનાં અધ્યવસાયસ્થાનોમાં હાનિ-વૃદ્ધિ થયા કરે છે. તે હાનિ-વૃદ્ધિમાં તરતમતા છ પ્રકારની હોય છે. ક્યારેક (૧) અનંતભાગવૃદ્ધિ, (૨) અસંખ્યાતભાગવૃદ્ધિ, (૩) સંખ્યાતભાગવૃદ્ધિ, (૪) સંખ્યાતગુણવૃદ્ધિ, (૫) અસંખ્યાતગુણવૃદ્ધિ, (૬) અનંતગુણવૃદ્ધિ હોય છે. આવી રીતે હાનિ પણ છ પ્રકારની હોય છે. આમ સ્થાનપતિત હોવાના કારણે દર્શન અનંતભેદવાળું હોવા છતાં અહીં તો આઠ ભેદ જ પ્રસ્તુત છે. તેમાં - प्रतिपातयुताश्चाद्याश्चतस्त्रो नोत्तरास्तथा । सापाया अपि चैतास्ताः प्रतिपातेन नेतराः ।। १९ ॥ પૂ. પાદ હરિભદ્રસૂરિજી મહારાજ યોગની આઠ દષ્ટિમાં પહેલી ચાર દષ્ટિ અને પછીની ચાર દૃષ્ટિમાં શું ભેદ છે, તે સમજાવી રહ્યા છે. મિત્રા,તારા, બલા અને દીપ્રા – આ પહેલી ચાર દૃષ્ટિ પ્રતિપાત યુતા: પ્રતિપાતથી યુક્ત છે. અને જે કારણે પ્રતિપાતથી યુક્ત છે, તે કારણે નાપાયા: અર્થાતુ અપાય સહિત છે અર્થાત્ દુર્ગતિપાત રૂપ અનર્થને કરવાવાળી છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy