SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ જ્યારે પાછળની ચાર દષ્ટિ પ્રતિપાતથી યુક્ત નથી અને જે કારણથી પ્રતિપાત યુક્ત નથી તે કારણથી સાપાય પણ નથી, અર્થાતુ દુર્ગતિમાં જવા રૂપ અનર્થને કરનારી નથી. પહેલી ચાર દષ્ટિની વિશેષતા પહેલી ચાર દષ્ટિઓ પ્રતિપાતયુક્ત છે, તેમાં કર્મવચિત્ હેતુ મૂકે છે. હવે આ પ્રત્યેક શબ્દ ઉપર વિચાર કરવો જરૂરી છે. પ્રતિપાત એટલે આભોગ વિનાશ એટલે દષ્ટિનો સંપૂર્ણ નાશ, ગુણનો નાશ. શ્રદ્ધાનો નાશ. જ્યાં સુધી જીવ યોગની દૃષ્ટિમાં હોય છે, ત્યાં સુધી તે જીવને કષાયોનો અને અશુભ પ્રવૃતિઓનો દ્વિ સ્થાનિક જઘન્ય અને દ્વિસ્થાનિક મધ્યમ રસથી વધારે રસ બંધાતો નથી. અને અંતઃકોટાકોટિથી વધારે સ્થિતિબંધ થતો નથી. એટલે કે જ્યાં સુધી જીવ યોગની દૃષ્ટિમાં હોય ત્યાં સુધી દેવ અને મનુષ્ય ભવ સિવાય બીજા ભવ પ્રાયોગ્ય કર્મબંધ કરતો નથી. - મિથ્યાત્વ અને કષાયનો રસ ઘટવાથી જીવ યોગની દૃષ્ટિમાં આવે છે. અને તેમાં પણ વિશેષ રસ ઘટતા, જ્યારે જીવ ક્ષયોપશમભાવ પામે છે ત્યારે ઉપરની સ્થિરાદિ દષ્ટિ પામે છે. આ મિથ્યાત્વની મંદતા કે ક્ષયોપશમ ભાવથી ઉત્પન્ન થયેલ દષ્ટિમાં, આત્મા જાગૃત હોતે છતે તે દૃષ્ટિમાંથી નીચે પડતો નથી, અને જાગૃતિના બળે ક્રમિક ઉપર ચઢવાની યોગ્યતાવાળો બને છે. પરંતુ પહેલી ચાર દૃષ્ટિમાં સૂક્ષ્મ બોધનો અભાવ હોય છે. પ્રમાદની બહુલતા છે અને સત્ત્વની અલ્પતા છે. એટલે પહેલી ચાર દૃષ્ટિમાં જ્યારે વિચિત્ર એવા તીવ્રરસવાળા કર્મનો ઉદય થાય છે ત્યારે તે કર્મનો ઉદય જીવના પુરુષાર્થમાં પ્રતિબંધક બને છે. આ પુરુષાર્થપ્રતિબંધક કર્મનો ઉદય એજ કર્મનું વૈચિત્ર્ય છે. અને આ વિચિત્ર કર્મનો ઉદય થતા, ઉપર કહેલા સૂક્ષ્મ બોધનો અભાવ, પ્રમાદ બાહુલ્ય, સત્ત્વની અલ્પતાના કારણે, “જીવને વિષયો આત્માનું અહિત કરનારા છે” એવો ખ્યાલ હોવા છતાં, જાણવા છતાં, જીવનું દૃષ્ટિમાંથી પતન થાય છે. જેને શાસ્ત્રીય પરિભાષામાં આભોગ પ્રતિપાત, આભોગ વિનાશ કહેવાય છે. આ આભોગ પ્રતિપાતથી નીચે પડેલા અર્થાતુ યોગની દૃષ્ટિની બહાર ફેંકાઈ ગયેલા જીવોને કવચિત્ તરત જ પુનઃદષ્ટિની પ્રાપ્તિ થાય છે જ્યારે બહુધા તો દીર્ઘકાલાન્તરે જીવને પુનઃદષ્ટિની પ્રાપ્તિ થાય છે. અનાભોગથી થયેલ પ્રતિપાતથી જીવ તત્કાલ ફરી પાછો ઉપર ચઢી શકે છે. અનાભોગ અર્થાત્ ઉપયોગની સ્કૂલના થવાના કારણે ક્યારેક અજાણતાં કષાય વગેરે આવી જાય, દોષ સેવાઈ જાય, અને એના કારણે દષ્ટિમાંથી પતન થાય તો પાછો ખ્યાલ આવતાં, જીવ ઉપર ચઢી જાય છે, દષ્ટિમાં આવી જાય છે. આભોગ પ્રતિપાતમાં બહુધા જીવો શીઘ ઉપર ચઢતા નથી અને ક્યારેક તીવ્ર પ્રયત્ન અને તીવ્ર પચાત્તાપથી ચઢે છે. એટલે આભોગ પ્રતિપાતને જ વાસ્તવિક રીતિએ પ્રતિપાત કહ્યો છે. અને આભોગ પ્રતિપાત એ મિથ્યાત્વ અને તીવ્ર કષાય વિના થતો નથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy