SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ જો આ સાધનામાં સમકિત ભળે તો બધી શાસ્ત્રયોગની સાધના થઈ જાય. શાસ્ત્રયોગઅપ્રમાદ અને સૂક્ષ્મબોધ માંગે છે. તાલી પાસે હેયોપાદેયનો જોઈએ તેટલો વિવેક ભલે નથી. પણ તે અંદર યોગદષ્ટિમાં આગળ વધે છે. પુણ્ય અને શુદ્ધિ વધારે છે. દેવીઓએ તામલીને કેમ પસંદ કર્યા ? આ બાજુ ભવનપતિમાં બલીચંચા રાજધાનીનો બલીન્દ્ર કાળ કરે છે ત્યારે તેની રાણીઓ (દેવીઓ) કલ્પાંત કરે છે. ભાવિ પતિની શોધમાં, સ્વામિ કોણ થશે? તે વિચારમાં મૃત્યુલોકની ધરતી ઉપર નજર નાંખે છે. ત્યાં આ તામલી તાપસ દેખાયો. તેના ઉપર નજર ઠરી. તે તેમને યોગ્ય લાગે છે. એની નજર તમારા જેવા કરોડપતિઓ, વૈભવી, રૂપવાન, શ્રીમંતો પર ન પડતાં તામલી પર જાય છે. જેના શરીરમાં કરચલીઓ પડી છે. જેની અંદર માંસ-લોહી સુકાઈ ગયું છે. માત્ર હાડપિંજર છે. ત્યાં દેવી આવે છે. દેવો ક્યાં આવે છે ? જ્યાં સત્ત્વ છે ત્યાં દેવ-દેવીઓ આવે છે. શુદ્ધિને સત્ત્વ સાથે વિશેષ સંબંધ છે. જ્યાં સત્ત્વ નથી ત્યાં જગતનું કોઈ દેવી તત્ત્વ ઉતરતું નથી. કાયરો પાસે દેવો શું કરવા આવે ? આ દેવીઓએ તાપસ પાસે વિવિધ વાજીંત્રો ઊભા કરી દીધાં, નાચ-ગાન શરૂ કર્યા. તે તેના ધ્યાનમાં છે. દેવી વિનંતી કરે છે, - તમે અમારા સ્વામી થઈ શકો તેમ છો. તમે અમારી સામે જૂઓ. અમારી પ્રાર્થના, વિનંતી સ્વીકારો. તામલી પુણ્ય સર્જી રહ્યો છે, ને પાપ ખપાવી રહ્યો છે. જ્યારે આજનો કરોડપતિ પુણ્ય ખર્ચા રહ્યો છે. અને પાપ ભેગું કરી રહ્યો છે. આગળ વધવું હોય, ક્રમસર વિકાસ સાધવો હોય, તો જે આત્મા બહુ પુણ્યશાળી છે. તેની સામે ન પડવું. તેમાં ઘણી શક્તિ વેડફાઈ જાય છે. એના કરતાં તમારું પુણ્ય વધારતા જવાથી કામ સરળ બનશે. પુણ્ય, શક્તિ અને પોતાની કાય પ્રત્યેની બલાબલતા વગેરે તપાસીને આગળ જવામાં લાભ છે. જગતને પુણ્યનું આકર્ષણ છે. શુદ્ધિનું આકર્ષણ વિરલને હોય છે. તામલી પાસે આધ્યાત્મિક પુણ્ય હતું, આ દેવીઓ વિનંતી કરી રહી છે. ત્યારે અત્યાર સુધીની સાધનાથી વધેલી શુદ્ધિથી તેને, આંખનું પોપચું ઊંચું કરીને જોવાનું મન થતું નથી. ભલે સમકિત નથી. પણ સમકિતની ઘણી નજીક છે. નિઃસ્પૃહતા ટોચ કક્ષાની છે. પુણ્યની શ્રદ્ધાથી તત્ત્વની શ્રદ્ધા ઊભી થઈ છે. સંસારના કહેવાતા રસિક પદાર્થોની પ્રાપ્તિમાં તેને દુઃખ દેખાય છે. ચૈતન્યનું દર્શન થયા પછી તેને જગત મુડદા જેવું દેખાય છે. આ ટોચકક્ષાનો વૈરાગ્ય છે. અને પછી આત્માના કોઈ પણ ગુણસ્થાનકની પ્રાપ્તિ સહેલી છે. દેવીઓ આકર્ષક વાતાવરણ ઊભું કરે છે. તાપસ વિચારે છે - કે મારાં પુણ્યથી મને જે મળવું હોય તે મળે, પણ હું ઇચ્છા કરું - નિયાણું કરું એ ત્રણે કાળમાં ન બને. કેવી પુણ્યની શ્રદ્ધા છે ? જેને પુણયની શ્રદ્ધા નથી તેને મજૂરી કરીને જીવવાનું છે. વર્તમાન કાળમાં વિચિત્ર પશ્યનો ઉદય દેખાય છે. આજે કોઈનું Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy