SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ અર્થની ચિંતા કરનાર અધમ છે. કામની ચિંતા કરનાર મધ્યમ છે. પર ચિંતા અધમાધમ છે. આત્મ ચિંતા કરનાર ઉત્તમ છે. ઉત્તમ પુરુષો જગતમાં તે છે કે જેના મતિજ્ઞાનના ઉપયોગમાં મૈત્રી આદિ ભાવો અને જડ પદાર્થો પ્રત્યે વૈરાગ્ય ઉછળે છે, આ જ ઉત્તમતા છે. જીવો પ્રત્યે મૈત્રી-પ્રેમ-કરુણા-વાત્સલ્ય, જડ પ્રત્યે અનાસક્તિ એ ઉત્તમતા લાવવા માટે કર્તવ્ય છે. ૧૨ રાજસભાવથી વિલાસીતાનો પ્રાદુર્ભાવ રાજસ પ્રકૃતિવાળા જીવો ખાઈ-પીને મજા કરે છે. તેઓની આલોક પ્રધાન દૃષ્ટિ છે એટલે તેઓ બીજાને ત્રાસ-પીડા-દુ:ખ આપતા નથી માટે અતિ સંક્લિષ્ટ કર્મો બાંધતા નથી. પણ સ્વરૂપની રુચિ ન હોવાથી તેઓની દૃષ્ટિ આત્મ-સન્મુખ બની નથી. આત્મતત્ત્વની ગેરહાજરીમાં તેઓ પાપ બાંધે છે. આ જીવો આર્ત્તધ્યાનમાં સબડે છે. જ્યારે તામસી વૃત્તિમાં રૌદ્રધ્યાન છે. સંસારના સુખના વિચારો, સંસારના સુખ માટે અર્થના વિચારો તે આર્તધ્યાન છે. સીધું રૌદ્રધ્યાન આવતું નથી. આ રીતે પહેલા આર્તધ્યાન આવે છે. અને એ આર્તધ્યાન સંક્લિષ્ટતર, સંક્લિષ્ટતમ બને છે, ત્યારે રૌદ્રધ્યાન આવે છે. આર્તધ્યાન અને તેને લાવનારા સંકલ્પ-વિકલ્પોથી સંસાર ચાલે છે. ઈષ્ટવસ્તુ મળવી જ જોઈએ, એ આર્તધ્યાન છે. અને જો એ સીધી રીતે ન મળે તો આડી-અવળી રીતે પણ મેળવવી, એ રૌદ્રધ્યાનના વિકલ્પો છે. જગતના ઇષ્ટ પદાર્થો વગર તે જીવ જીવી શકતો નથી. આ આર્તધ્યાન છે, તેમાંથી રૌદ્રધ્યાન કરે છે. સંસારના સુખોનો ભોગવટો કરનારને મધ્યમ કહ્યો અને સંસારના સુખોના કારણ રૂપ અર્થની ચિંતા કરનારને અધમ કહ્યો છે. કેમ ? “પાપી ઊંઘતા સારા, ધર્મ જાગતા સારા” આમ કેમ ? પાપીની ઉંઘમાં પણ અશુભ લેશ્યા છે. માટે ઉંઘમાં મરે તો પણ દુર્ગતિમાં જ જાય... પણ ઊંઘમાં પાપી જગતને ઉપદ્રવ કરતો નથી, એટલા પુરતો તેને ઊંઘતો સારો કહ્યો. સાધુ નિદ્રા લે તો પણ સાધુ છે - ઊંઘમાં કાળ કરે તો પણ વૈમાનિક દેવમાં જાય. આપણે ત્યાં એવું નથી કે ધર્મક્રિયા કરે ત્યારે જ પુણ્ય બંધાય અને બાકીના સમયે પુણ્ય ન બંધાય... અને પાપક્રિયા કરે ત્યારે જ પાપ બંધાય અને બાકીના સમયે પાપ ન બંધાય, એવું જૈન શાસનમાં નથી. સાધુના બે પ્રકાર (૧) દ્રવ્યસાધુ, (૨) ભાવસાધુ છઠ્ઠાગુણસ્થાનકના ભાવ જેમને સ્પર્ધા છે તે ભાવસાધુ છે. દ્રવ્યસાધુ પણ - પંચમહાવ્રતનો પાલક છે, આચારથી પ્રતિબદ્ધ છે, ગુરુકુલવાસને સેવે છે, વિનય-ભક્તિથી યુક્ત છે, આચારની શુદ્ધતા છે, સમિતિ-ગુપ્તિના ધારક છે. એવો સાધુ અકસ્માતમાં મરે તો પણ દેવલોકમાં જાય. પહેલા ગુણસ્થાનકનું અપુનર્બંધકાવસ્થાનું સાધુપણું પણ અવશ્ય વૈમાનિક દેવલોક અપાવે છે. કારણ કે આ જીવ મન-વચન-કાયાથી કોઈને પીડા ન થાય તે માટે સતત તત્પર છે. અને તે પ્રત્યેક Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy