SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સાત્ત્વિક ભાવથી પુણ્યકર્મનો બંધ ૧૩ સમયે પ્રકષ્ટ શાતા વેદનીય બાંધી રહ્યો છે. તેને ભોગવવાનું ફળ દેવલોકમાં મળે છે. મનુષ્યભવમાં આનું ફળ ભોગવાતું નથી. પરાકાષ્ઠાની શાતાવેદનીયનું ફળ દેવલોકમાં જ મળી શકે છે માટે સરાગ સંયમ સાથે દેવલોક સંકળાયેલો છે. સાધુનું આખું જીવન બીજાની શાતા માટે છે. શાતા જ આપે. અને સાધુ પોતાના આત્માને શાતા નથી આપતો પણ તેને સદા પ્રસન્નતા જ હોય છે. બીજાને અશાતા ન આપવી એ વ્યવહાર ધર્મ છે અને પોતાની પ્રસન્નતા ટકાવી રાખવી એ નિશ્ચય ધર્મ છે. આ આત્માને સમજાઈ જાય છે કે મારા આત્માનો સ્વભાવ જ કોઈને પીડા આપવાનો નથી. જે બીજાને પીડા ન આપે તે પોતાના આત્માને પીડા કેવી રીતે આપે? તે આત્માને સંક્લેશથી બચાવે જ. સંસારમાં બીજાના શરીરને પણ પીડા આપવાની નથી. બીજાને મનથી પણ પીડા આપવાની નથી. બીજો સંક્લેશ પરિણામ પામે એવું કશું જ કરવાનું નથી. પોતાનો આત્મા પ્રસન્નતા ટકાવી રાખે તે જોવાનું છે. એ ક્યારે શક્ય બને ? જેટલી અશાતા સમતા ભાવે ભોગવાય તેટલી પ્રસન્નતા વધારે રહે. સતત દેહની જ ચિંતા અને દેહની અનુકૂળતાના જ વિચારો-એ દેહરાગ છે, આત્મનિરપેક્ષ શરીરના સુખની ચિંતા એ આર્તધ્યાન છે, અને તે ભાવહિંસા છે. માટે પોતાના આત્માને નિરપેક્ષપણે શાતા-સુખમાં ગરકાવ કરવાનો નથી. સાત્વિક ભાવથી પુણ્યકર્મનો બંધ અભવ્ય નવમા સૈવેયકે જાય છે. તેને તામસભાવ, રાજસભાવ નથી. જ્યાં જ્યાં પુણ્યકર્મનો બંધ છે ત્યાં ત્યાં સાત્વિકભાવ-શુભભાવ છે. આવી વ્યાપ્તિ બાંધી દો. અભવ્યને પણ અહીં સાત્વિકભાવો છે – એટલે અનંતાનુબંધી કષાયને ઓછા કરીને – પાતળા કરીને સંજવલન જેવા પાતળા કરી દીધા છે. તે વખતે મિથ્યાત્વની સ્થિતિ ૬૯ કો.કો. ખપાવી દીધી છે. અંતઃ કોડાકોડીની સ્થિતિ કરી છે, અને ત્યાં મિથ્યાત્વની મંદતા દેખાય છે, અનંતાનુબંધીની મંદતા દેખાય છે. છતાં તેના જીવનમાં દષ્ટિનો પ્રાદુર્ભાવ નથી થયો. કેમ ? મિથ્યાત્વની તથા અનંતાનુબંધીની જે મંદતા છે તે તત્ત્વથી નથી. અનુબંધથી નથી, બંધથી બન્નેની મંદતા છે. અત્યારે અનંતાનુબંધી - મિથ્યાત્વ મંદ થયા છે. એટલે કષાય પ્રત્યયિક, મિથ્યાત્વ પ્રત્યયિક, બંધ મંદ કર્યા છે. એટલે બંધ મંદ છે. પણ અનુબંધથી મંદ કર્યા નથી, માટે યોગદષ્ટિનો પ્રાદુર્ભાવ થતો નથી. અભવ્યના આત્મા ઉપર આજે સજ્જનતા છે – સાધુતા છે, પણ એના અંતરમાં સંસારનું જે બીજ પડ્યું છે, તેને લેશમાત્ર આંચ આવી નથી. કષાયો પણ વાસ્તવિક ઘટ્યા ક્યારે કહેવાય ? જ્યારે સ્વરૂપભાવો ગમે. સ્વરૂપની રુચિ થાય ત્યારે મિથ્યાત્વને પલટી શકાય છે. અને આજ યોગની દષ્ટિ છે. અભવ્યને આત્મસ્વરૂપનો ખ્યાલ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી હોય છે. પણ દર્શનમોહનીયના ક્ષયોપશમથી ન હોય. અભવ્ય પાસે શ્રુતજ્ઞાનાવરણીય, મતિજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ તીવ્ર હોય તો જ્ઞાનના બળે સમજી શકે છે, કષાયને ઓળખી શકે છે. ઉપશમભાવને ઓળખી શકે. પણ સ્વભાવની પ્રતિબંધકતા છે, અભવ્ય સ્વભાવના કારણે દર્શનમોહનીયની તત્ત્વથી મંદતા થતી નથી. એકવાર Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy