SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ તામસભાવથી દૂર્જનતાનો પ્રાદુર્ભાવ ૧૧ આભારી છે. કર્મના ઉદયે-અઘાતી કર્મના ઉદય કાળે જીવ વિવેક કરતાં શીખ્યો નહીં. સ્વરૂપ ભાવો કરવાની રૂચિ નહીં થાય, તાલાવેલી નહીં થાય, તે ઘાતી કર્મના બંધથી અટકશે નહીં. અને ઘાતકર્મના ઉદયે સંસારમાં રખડશે. સ્વરૂપની રુચિથી મોહનો ક્ષયોપશમ થાય, સ્વરૂપની તાલાવેલી જેટલી તીવ્ર, તેટલો મોહનીયનો ક્ષયોપશમ તીવ્ર થાય. આ મોહનીયનો ક્ષયોપશમ - સ્વરૂપની રૂચિ એ જગતનું શ્રેષ્ઠ પુણ્ય છે. આપણને સ્વરૂપ ભાવો કરતાં નથી આવડ્યા, કારણ ઘાતી કર્મનો ઉદય છે. મિથ્યાત્વનો તીવ્ર ઉદય, સ્વરૂપ તરફ દષ્ટિ જવા દેતો નથી. અનંતાનુબંધીનો તીવ્ર ઉદય જીવની પાસે સતત તામસ ભાવ કરાવે છે. જીવ સતત બેફામપણે, નિઃશંકપણે, નિર્વિચારપણે તામસભાવ કરે છે. તે કોનો પ્રભાવ? અનંતાનુબંધીની તીવ્રતા જીવ પાસે તામસભાવો, દુર્જનતાના ભાવો કરાવે છે. એમાં જીવને અતિસંક્લિષ્ટ પરિણામ હોય છે અને તેમાં નિઃશંકતા, નિર્વિધરતા એ નષ્ફરતા છે. તે બતાવે છે કે જીવને મિથ્યાત્વનો ઉદય પણ તીવ્ર છે. બન્નેની તીવ્રતાનો ભેદ સમજાય છે ? જ્યાં તામસભાવ હોય, જ્યાં દુર્જનતા હોય ત્યાં મિથ્યાત્વની તીવ્રતા જ સંભવે છે અને આવું જ્યાં હોય ત્યાં આત્માના પ્રદેશો ઉપર કેવળ અંધકાર વર્તતો હોય છે. દુર્જનતાની સાથે ધર્મને લેશમાત્ર સંબંધ નથી. અહીં સમ્યગૂજ્ઞાનનું એક કિરણ પણ આવતું નથી. જ્યારે અનંતાનુબંધી કષાયનો રસ તૂટે છે ત્યારે તામસભાવો ઘટતાં ઘટતાં વિલાસીભાવો આવે છે. તામસભાવમાં બીજાને હેરાન – પરેશાન કરવાની વૃત્તિ છે. બીજાને હેરાન કરવામાં આનંદ આવે છે. વિલાસીભાવો એટલે પુણ્યના ઉદયથી મળેલા સુખોમાં, ભોગોમાં સંસારના પદાર્થોમાં - આનંદ માણવો એ રાજસભાવ છે. સાત્ત્વિક ભાવો, પુણ્યકર્મના ભાવો, શુભ ભાવો, સંસ્કારી ભાવો આ બધું એક છે. અચરમાવર્તિકાળમાં જીવને આ ભાવો પ્રધાનપણે પ્રાપ્ત થતાં નથી. અનંતાનુબંધીની તીવ્રતા ઘટતા વિલાસીભાવો સામ્રાજ્ય લે છે. વિલાસીભાવો સાથે પણ ધર્મને સંબંધ નથી. તામસભાવો કરતાં રાજસભાવો સારા છે, એમ ન કહેવાય, પણ ઓછા ખરાબ છે. એવું કહેવાય. તામસ ભાવવાળો બીજા જીવને દુઃખ આપવામાં સુખ માને છે. આ તેની દૃષ્ટિનો વિપર્યાય છે. બુદ્ધિનો દુરૂપયોગ છે. તેની દૃષ્ટિ વૈષયિક સુખો ભોગવવા તરફ નથી. પણ ભૌતિક પર પદાર્થના સંગ્રહમાં, અને જીવોને ત્રાસ આપવામાં છે. આ જગતમાં મારા પુણ્યના ઉદયથી જે કાંઈ મળ્યું છે તે બધું મારું, મારા બાપનું. અને જગતના જીવોને જે કાંઈ મળ્યું છે તે પણ મારે જરૂર પડે તો હું મેળવીને લઉં. વળી તે માટે ચોરી, લૂંટ, ખૂન-ખાનાખરાબી કરવી પડે તો પણ વાંધો નથી. આવી અત્યંત ક્લિષ્ટ મનોવૃત્તિ તેની હોય છે. રાજસભાવોમાં ઓછી ખરાબી કેમ ? તેમાં સ્વાર્થ છે, પણ પદાર્થના સંગ્રહમાં નહીં, સંગ્રહના બદલે પદાર્થના ભોગવટાની વૃત્તિ હોય છે. ભોગવટામાં સુખ માને છે. તેની વૃત્તિ-મારૂં કોઈને આપું નહીં અને તારું મારે જોઈએ નહીં. દુર્જનતા અહીં નથી. સુખનો ભોગવટો કરવો એ પાપ છે, સંગ્રહ કરવો મહાપાપ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy