SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ એક રાત્રે ઊંઘ ઉડી ગઈ છે. તેને એક વિચાર આવ્યો કે મારા જીવનમાં પુણ્ય કરતાં પાપ વધારે થાય છે અને આમ થાય તો મારા આત્માની શી દશા થાય? પુણ્ય ખુટે અને પાપ વધે, એ કેમ ચાલે? હવે શું કરવું ? સંસારમાં પુણ્ય કરતાં પાપની balance વધી જ રહી છે. એવી શ્રદ્ધા કોને આવે ? આ ચિંતા તામલીને સતાવે છે. તમને આ વિચાર આવ્યો છે ? સંસારમાં પુણ્યના કાર્યો વધારે આવે છે કે પાપના કાર્યોના અવસર વધારે આવે ? સંસારમાં પુણ્યોદય ઓછો છે. પાપોદય વધારે છે. સંસારમાં મિથ્યાત્વ અને અવિરતિ એ પાપકર્મનો ઉદય વળગેલો જ છે. અને મિથ્યાત્વ અને અવિરતિ હોય ત્યાં કષાય હોય જ. મિથ્યાત્વ શું છે ? આત્માના વિષયમાં જીવની અવળી સમજણ, વિપરીત સમજ, વિપરીત શ્રદ્ધા તે મિથ્યાત્વ છે. તેના ઉદય વખતે જીવને પોતાના અવિનાશી સ્વરૂપની શ્રદ્ધા થતી નથી. અવિનાશીપણામાં આનંદ છે. સુખ છે. વિનાશીપણામાં દુઃખ છે એવી શ્રદ્ધા ન થવા દેનાર મિ.મોહનો ઉદય છે. ચિંતા, ભય, ક્લેશ, ગ્લાની, પીડા ઉત્પન્ન કરાવનાર સંસારના સુખોમાં મિથ્યાત્વનો ઉદય દુઃખ જોવા દેતો નથી. મિથ્યાત્વ આત્માના અવિનાશીપણાની શ્રદ્ધા થવા દેતું નથી. આવું મિથ્યાત્વ હોય ત્યાં અવિરતિ હોય જ. અવિરતિ એટલે સંસારમાં ગમે તેટલું મળે તો પણ અટકવાનું મન ન થાય. સંસારની પાપની પ્રવૃત્તિથી વિરામ પામવાની ઇચ્છા ન થવા દે.... અધિક ને અધિક ઇચ્છા કરાવનાર - અતૃપ્ત મનોદશા એ અવિરતિની નીપજ છે. પદાર્થો મળતાં જાય તેમ વધુ ખેંચવાનું મન થાય, વધુ રસ લે, તે અવિરતિનો ઉદય છે. જેના હાથમાં આ (ઓશો), વિરતિ છે, તેની આગળ પણ બહુધા અવિરતિ કપડા કાઢીને નાચી રહી છે. અવિરતિ કોને નથી સતાવતી? પાપ વૃત્તિ ઓળખ્યા સિવાય, પાપ પ્રવૃત્તિ ઘટાડ્યા સિવાય ધર્મ કેવી રીતે થઈ શકશે? આત્માનો વિકાસ કઈ રીતે થઈ શકે ? પાપનો ઉદય એ જીવે કરેલી અશુભ ક્રિયાની નોંધ છે. જીવ ભૂતકાળમાં જે કંઈ કરીને આવ્યો છે, તેની નોંધપોથી કર્યો છે. સંસારમાં ભૂતકાળમાં કાંઈ આડું અવળુ કર્યું ન હોત તો આજે કોઈ કમનો ઉદય ન હોત આજની પરિસ્થિતિ એ ભૂતકાળની કાર્યવાહીને બતાવે છે. ભૂતકાળના ભાવોને જણાવે છે. હવે સ્વરૂપદર્શન કરી, સ્વરૂપ ભાવો કરી મિથ્યાત્વને પલટાવવાનું છે. સ્વરૂપ રૂચિ કરવાથી, સ્વરૂપ જેમ જેમ ગમે તેમ તેમ મિથ્યાત્વ ટળે છે. તામસભાવથી દૂર્જનતાનો પ્રાદુર્ભાવ સંસારી જીવો ઉપર મિથ્યાત્વ - અવિરતિ-કષાય ત્રણે કર્મોનું બાહુલ્ય છે. ઘાતી કર્મનો ઉદય એ પાપ છે. અઘાતી કર્મના ઉદયમાં જીવ પાસે જો ધર્મ-તત્ત્વની સમજ નથી, તો તે જીવ નવા નવા કર્મો બાંધશે, અને અનંતકાળનું ભવભ્રમણ આને Jain Education International 2010_05 For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy