SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૧ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ મોહની તાકાત તો જૂઓ! વૈભાવિક સ્વરૂપ હોવા છતાં તે કેટલો પ્રબળ છે. કેવી સત્તાથી તે આત્મા ઉપર પ્રવર્તે છે. વર્ષોની, ભવોભવની સાધના પછી અશુભ સંસ્કારોનો નાશ થઈ શકે છે. એકલી ક્રિયા સંસ્કારોનો નાશ કરી શકતી નથી. ક્રિયા એ સાધના યોગમાં પરિણામ પામે, વર્ષો સુધી રાત દિવસ ચાલે, ભવોભવ ચાલે, ત્યારે મોહની સામે ટકવાનું બળ મળે છે. આજે આપણે ક્રિયા કરીએ છીએ, સાધના કરતા નથી. સાધનાનું ફળ પ્રત્યક્ષ છે. પણ તે માટે ધીરજ જોઈએ. અશુભ સંસ્કારો એ ડુંગળીના પડ જેવા છે. ઉપરનું પડ કાઢો તો પણ લાગે કે કિંઈ નીકળ્યું નથી, પણ હકીકતમાં હાસ થયો છે. આ માટે સંસાર પ્રત્યેનો વિપરીત પ્રયત્ન અટકવો જોઈએ. જીવતાં જે સાધનાનો લાભ ન દેખાય તેનો લાભ મરતાં તો દેખાય જ. કેમ? સ્વરૂપને પામવા માટેની તાલાવેલી હતી માટે અંતે પણ ન મળતાં તાલાવેલી તીવ્ર થઈ અને અહંકાર તૂટે તો રીઝલ્ટ મળે જ. જેમ વસ્તુપાળને મરણશયા ઉપર ચારિત્રની ઈચ્છા ઉત્કટ થઈ છે અને પરિણામે બીજા ભવમાં ઉત્કટનિરતિચાર ચારિત્ર પાળી દેવલોક જઈ મોક્ષે જશે. તમે ક્રિયા કરો છો કે સાધના? એ જાતને પૂછીને નક્કી કરો. કાંઈ પામવાની તાલાવેલી સાથે કરવું એ સાધના છે. કાંઇ પામવાની તાલાવેલી ન હોય છતાં કરવું એ ક્રિયા છે. સાધક આત્મા ગમે ત્યાં મારે પણ તેનું મૃત્યુ શ્રેષ્ઠ જ હોય.પણ જીવનભરસાધના જોઈએ. પહેલાં સાધના પછી પ્રભાવના. સાધનાને બાકી રાખીને પ્રભાવના ન કરવી અને પ્રભાવનાનું સામર્થ્ય હોય તો કર્યા સિવાય રહેવું નહીં. બધા યોગોને સાધવાના છે. ત્રીજી દ્રષ્ટિના પ્રભાવે જીવોને આજુબાજુના સંયોગો અનુકુળ મળે છે. “સાધકને સામાન્યથી જીવનનિર્વાહની ચીજ મળે જ છે. અને સાધક આત્માને અસમાધિ દૂર કરવા પરમાત્મા પાસે ભૌતિક ચીજ માંગવાની છૂટ છે,” એ ગણધરવાણી છે. જરૂર પડે ત્યારે દીકરો બાપ પાસે માંગે એ એની લાયકાત છે. કાકા-મામા પાસે કે રસ્તે રખડતા બીજા-ત્રીજા પાસે માંગે એ લાયકાત નથી. તેમ ધર્મને જરૂર પડે ત્યારે જેને હદયથી પોતાના માન્યા છે તે પરમાત્મા પાસે માંગવું એ ઉચિત છે, અન્ય દેવ દેવીઓ પાસે માંગવું એ ઉચિત નથી. “ઇષ્ટફલસિદ્ધિ” આ જ પદાર્થ છે. ત્રીજી દ્રષ્ટિમાં નિષેધનો પરિહાર–ત્યાગ સહજ હોય છે. જગત જેને ખોટું કહે, ખરાબ કહે એવું એના જીવનમાં ન હોય. વળી કર્તવ્યની ઉપેક્ષા ન હોય, ખોટા પાપો ન હોય, એનો વ્યવહાર મલિન ન હોય, સાવદ્ય અને નિંદનીય પ્રવૃત્તિનો ત્યાગ એ સ્વર્ગલોકરૂપ અભ્યદયને પમાડવા દ્વારા મોક્ષનું કારણ બને છે. જીવ જાગૃત રહે તો આ શકય છે. ક્ષપકશ્રેણી ન મંડાય, અને ક્ષીણમોહ- વીતરાગતા ન આવે ત્યાં સુધી જાગૃતિ રાખવાની છે. આત્માનું સ્વરૂપ સત્ છે. બીજું બધું અસતુ છે. પણ કેટલુંક અસત્ એવું છે, કે જેના વિના પારમાર્થિક સહુ મળતું નથી. જે ચીજ સતુની પ્રાપ્તિનું કારણ છે તે નિશ્ચયથી અસતું હોવા છતાં વ્યવહારથી બંને રીતે અસતુ ન કહેવાય. જે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy