SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્ય અને મૈત્રી ૩૬o. ગુણસંપન્ન અપુનબંધક અવસ્થા પહેલાં સાધકને તે તે ક્રિયામાં ઉપયોગની એકાગ્રતા ભળવાથી ઊંચી કોટીનું પુણ્ય બંધાય છે. પણ જીવને સ્વરૂપની રુચિ નથી તેથી શુભ અનુબંધ પડતો નથી. ગુણસંપન અપુનબંધક અવસ્થાથી પુણ્યાનુબંધી પુણ્ય છે, પણ કયારે? આદર, બહુમાન, રુચિપૂર્વકનો ઉપયોગ તેમાં જોડાયેલો હોય તો તે શક્ય છે. કષાયોના વાવાઝોડા વખતે ક્રિયા મામુલી પુણ્યબંધ કરાવે અને શુભ અનુબંધ તૈયાર ન કરે, અભવ્ય નિરનુબંધ પુણ્ય જ બાંધે, આચાર પાલનથી થયેલી કષાયોની મંદતાથી સદ્ગતિ મળે પણ ભવોભવ સદ્ગતિ જોઈતી હોય તો શું કરવું પડે ? સ્વરૂપની રુચિ-આદર-બહુમાન-સ્થિરતા ભળવી જોઈએ. દરેક ક્રિયા વખતે સ્વરૂપ ખસે નહીં, ત્યારે ઉચી કોટીનું પુણ્ય બંધાય છે. અભવ્યને ઉપયોગ છે, પણ સ્વરૂપ રુચિ નથી. સંગમ ગોવાળ (શાલીભદ્રના જીવે) પહેલે ગુણસ્થાનકે કેવું પુણ્ય બાંધ્યું? અહીં કષાયોની મંદતા છે, સાથે સ્વરૂપ પ્રત્યે ઝુકાવ છે. માટે સાનુબંધ પુણય બાંધ્યું છે. તેની યોગ્યતાથી મળેલા ભોગવૈભવ પ્રત્યે તેઓ અનાસકત રહી શક્યા છે. | સ્વરૂપની રુચિ અને અઢાર પાપસ્થાનકની અરચિ વધતાં શુભોપયોગ બને છે. સાનુબંધ પુણ્ય બંધાય છે. છઠા ગુણસ્થાનકે કૃષ્ણ લેયા અને આર્તધ્યાન આવી શકે છે. પાંચમે ગુણસ્થાનકે કૃષ્ણલેશ્યા અને રૌદ્રધ્યાન આવી શકે છે, છતાં મરે તો દેવલોકમાં જાય. એનું શું કારણ? પહેલાં ગુણઠાણા જેવું રૌદ્રધ્યાન પાંચમે ન આવે, કારણ કે સમકિત બેઠું છે, અને પહેલા ગુણઠાણા જેવું આર્તધ્યાન છ ન આવે કારણ કે ત્રણ કષાયની ચોકડીનો ક્ષયોપશમ છે. માત્ર સંજવલનના કષાયો ઉદયમાં છે. એટલે આર્તધ્યાન આવ્યું ને ગયું, પરપોટો થયો, ને વિલીન થયો, તેવું બને છે. પાંચમે રૌદ્રધ્યાન પણ નગણ્ય છે. પહેલે ગુણસ્થાનકે થતા આર્ત અને રૌદ્ર અને છ ગુણઠાણે અને પાંચમે ગુણસ્થાનકે થતાં આર્ત અને રૌદ્રધ્યાનમાં પરપોટા ને ધોધ જેવો તફાવત છે. પરપોટો ધોધનું કામ ન કરી શકે અને ધોધ પરપોટાનું કામ ન કરી શકે, પહેલે ગુણસ્થાનકે આર્તાદિ ધોધ જેવા છે. છ ગુણસ્થાકે પરપોટા જેવા છે. આપણે જયાં છીએ ત્યાં કેવા છીએ? એ નક્કી કરવા જેવું છે. જીવ તે તે કિયા કાળે તન્મય, તદાકાર, ગદ્ગદ્ થતો નથી, વિશેષ ભાવ નથી આવતાં, તેમાં અનંતાનુબંધી કષાય અને અહંકાર કારણ છે. કર્તા-ભોકતા ભાવના કારણે તારકકિયાની તારકતા સ્પર્શતી નથી. આપણા જ્ઞાતા-દ્રષ્ટાભાવ ઉપર કર્તા-ભોકતા ભાવ ચઢી બેઠો છે. જ્ઞાતા-દ્રા ભાવનો નાશ થઈ શકતો નથી. કર્તા ભોકતા ભાવ સોપાધિક હોવાથી તેનો નાશ થઈ શકે છે. જ્ઞાતા દ્રષ્ટા ભાવ દબાઇ શકે છે, પણ નાશ પામતો નથી, કારણ કે તે સ્વરૂપ છે. જગતમાં વાયુના સંગે થતાં મોજાનો નાશ થઈ શકે છે. કારણ કે તે વૈભાવિક છે. પણ દરિયાનો નાશ ન થઈ શકે, કારણ કે તે કોઇના સંગે નથી. સ્વતઃ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy