SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૯ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ આ સંગમના પ્રસંગને કસોટીનો અવસર સમજી ઉપસર્ગ સહન કરવા એ જ કર્તવ્ય બની રહે છે. આ વખતે આ ઉપસર્ગોમાંથી પાસ થવાનું છે. તેમાં પરિણતિ સ્થિર રહે, અને ઉત્તરોત્તર સંયમ સ્થાનક વધે એ જરૂરી છે. આ વખતે કોમળતાની જરૂર નથી, પણ જાત પ્રત્યે કઠોરતાની જરૂર છે. આ વખતે પણ પ્રભુ જગત પ્રત્યે કોમળ છે જ, પણ કોમળતા બતાવવાનો અવસર નથી. તમે તમારા નુકસાન કરનાર દીકરાને તમાચો મારો છો ત્યારે હૈયામાં વેષ છે. અને આવતી કાલે પાંચ ડિગ્રી તાવમાં પોતા મુકશો ત્યારે રાગ છે. આ બંને ભાવો તમારી પાસે છે, તેમ ભગવાનને પણ જયારે ઉપસર્ગમાંથી પસાર થવાનું છે ત્યારે ઉપયોગને ત્યાં જ કેન્દ્રિત કરે છે. આ કાર્ય પતી ગયું ત્યારે છાયા રૂપે રહેલી કોમળતા, જીવમૈત્રી આગળ આવી ગઇ, અને કઠોરતા, વૈરાગ્ય એ છાયા રૂપે બની ગયા, આવી યુજનકળા એ સાધકતા છે. જે જીવસૃષ્ટિને જુઓ, ત્યાં એને જોઇને તમારું ચૈતન્ય અંદરથી વિકસિત બનવું જોઈએ અને અંદરથી વિકસિત થયું છે એનું સર્ટીફીકેટ શું? એના વિકાસ માટે જે જરૂરી હોય તે કરી છૂટવું એ જ સર્ટીફીકેટ છે. વૈરાગ્ય અને મૈત્રી વૈરાગ્ય અને મૈત્રી બંને સમજવા જોઈએ. જે તત્ત્વ ખૂટતું હોય તે લાવવું જોઈએ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મ. સા. વૈરાગ્યની પરાકાષ્ઠાએ પહોંચેલા હતા. પૂ. પંન્યાસજી ભદ્રંકરવિજયજી મ. સા. મૈત્રીની પરાકાષ્ઠાએ પહોંચેલા હતા. નિગોદના જીવો અંતર્મુહૂર્તે જન્મ મરણ કરી રહ્યા છે તે શાસ્ત્રવચન વાંચતાં આંખો ભીની થઈ જાય. તેમની કરૂણાનો ધોધ તે જીવને સ્પર્શીને આદ્ર બની ગયો. આ ભાવનાબોધ કહેવાય. આ પરિણત જ્ઞાન કહેવાય. પૂ. પ્રેમસૂરીશ્વરજી મ.સા. ની પાસે ગમે તે વ્યકિત આવે ન આંખો ઉચી થાય, ન વિકાર થાય. આ બંને જરૂરી છે. આ ત્રીજી દ્રષ્ટિમાં જીવનનિર્વાહની સામગ્રી સુલભ રીતે પ્રાપ્ત થાય છે. અને શુદ્ધિની વૃદ્ધિ હોવાના કારણે જરૂરીયાતથી વધારે ઇચ્છા નથી, એટલે ચિત્ત સ્વસ્થ બની રહે છે. સામાન્ય જરૂરી ચીજ ન મળે તો પણ જીવનું ચિત્ત અસ્વસ્થ બની જતું હોય છે અને જરૂરિયાત કરતાં અધિક મળે તો પણ ચિત્ત ફેંકાઈ જતું હોય છે. જે ક્રિયામાર્ગથી ચિત્ત ફેંકાઈ ગયું, તેવી ક્રિયાથી બંધાતું પુણ્ય મામુલી હોય છે. છઠ્ઠા ગુણસ્થાનકના પ્રમત્તયોગ સુધી તે તે ક્રિયાઓમાં ઉપયોગ ભળેલો ન રહે, અને ક્રિયાને અનુરૂપ આદર, રુચિ બહુમાનવાળો ન રહે, તો પુણ્ય નહીંવત્ મામુલી બંધાય છે. ભલેને છઠ્ઠ ગુણસ્થાનક હોય, આ ક્રિયા સારી છે, ભગવાને બતાવી છે, એવી ઓઘસંજ્ઞાથી અહીં જીવ પ્રવર્તે છે. મડદાને પવન ભરાતા હાથ જોડાઈ જાય તો પુણ્ય બંધાય? તેમ અનુપયુકત ચિત્તથી કરનારને પણ કેટલું પુણ્ય બંધાય? અહીં જીવ શરીરમાં ભરાયેલો છે, એટલો ફેર છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy