SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ અને રાગ વચ્ચેની ભેદરેખા ૩૫૮ અઘાતીની પુણ્ય પ્રવૃત્તિ વિશિષ્ટ બંધાય છે. આ સમજીને પ્રેમ કરતાં શીખો. તો સમકિત, ચારિત્ર, ક્ષપકશ્રેણી આવીને ઉભી રહેશે. પ્રેમ અને રાગ વચ્ચેની ભેદરેખા પ્રેમ અને રાગ વચ્ચેની ભેદરેખા બહુ પાતળી છે. એટલે ઘણીવાર પ્રેમના નામે જીવ રાગના ફંદામાં ફસાય છે. પ્રેમવિહોણી વગરાગતા એ ષ છે. તમને કોઈ જીવને જોઇને આનંદની ઉર્મિ ન ઉછળે અને કહો કે મને એના પ્રત્યે રાગ નથી કે દ્વેષ નથી, હું તો સ્વરૂપસ્થ છું, તો આવું ચાલે? ના. આ વીતરાગતા ખોટી છે. ટ્રેષ છે. ઉપેક્ષા છે. કારણ કે ચૈતન્યને જોઇને હર્ષ કેમ નથી? એ જટીલ પ્રશ્ન છે. જે ચીજ આપણા ઉપયોગની નથી તેના માટે આપણને જો ઉપેક્ષા થાય તો તે ઉપેક્ષા ઘાતક છે, મારક છે. માધ્યસ્થભાવના, ઉપેક્ષાભાવ એ ચોથી ભાવના છે તે જુદી છે. તેના વિષયો જુદા છે. અવિનીત, ઉદ્ધત, અતિશય પાપી, અપ્રજ્ઞાપનીય પ્રત્યે માધ્યસ્થભાવ છે. આ સિવાયના જીવો પ્રત્યે પ્રેમ ઉછળવો જ જોઈએ. જીવને જોઇને ચૈતન્યના સ્પંદનો ધબકતા રહેવા જોઈએ. વીતરાગની આંખોમાંથી પ્રેમ જ ઝરે, કેષ ઝરે જ નહીં. વીતરાગની મૂર્તિ જે જુએ તેને આનંદ જ આવે. રાગ - ૮ષે આપણા જીવનનો ભરડો લીધો છે તેનો નાશ કરવા માટે અધ્યાત્મને કેન્દ્રમાં રાખીને મૈત્રી આદિ ભાવનું લક્ષ્ય રાખવું જોઈએ. વૈરાગ્ય અને મૈત્રી પેરેલલ = સમાંતર લાઇનમાં ચાલે છે. મૈત્રી ખૂટશે તો દ્વેષ આવશે. વૈરાગ્ય ઘટશે તો રાગ આવશે. બંને જરૂરી છે. ૫૧ અને ૪૯ ટકા નહીં ચાલે. જયાં જેની જરૂરિયાત છે, ત્યાં તે કરીએ તો માર્ગ સમજયા કહેવાય. સંગમદેવે મહાવીર પ્રભુને ઉપસર્ગો કર્યા. ત્યારે પ્રભુએ સહન કરવામાં વિર્ય વાપર્યું. તે વખતે કરુણા ભાગી ગઈ હતી? ના, સંગમ ઉપસર્ગ કરીને જાય છે ત્યારે તેનો વિચાર કરે છે, કે મારા સંપર્કમાં આવનારને હુ કંઇ આપી ન શકયો. આ વિચાર પહેલાં કેમ ન આવ્યો? કારણ કે તે વખતે ઉપસર્ગ સહન કરવાનો અવસર હતો, તે વખતે મનને કઠોર-મક્કમ બનાવે તો જ ઉપસર્ગ સહન કરી શકાય. તે વખતે મનને કરૂણાથી ભીનું કરે તો ન ચાલે. ઉપસર્ગ પત્યા પછી હવે કરૂણા કરવાનો અવસર છે માટે પહેલાં વિચાર ન કર્યો. દીક્ષા લે છે, ત્યારથી તીર્થંકરોની સંયમશ્રેણીમાં નિરતિચાર શાસ્ત્રયોગનું ચારિત્ર છે. દ્વેષ આવે તો ચારિત્ર સાતિચાર બને છે. પ્રભુને દ્વેષ ન હોય પણ જયારે જે જોઈએ ત્યારે તે લાવવું ઉચિત બને છે. જયારે વૈરાગ્યની જરૂર હોય, ત્યારે મૈત્રી છાયા રૂપે હોય છે અને જયારે મૈત્રીની જરૂર હોય ત્યારે વૈરાગ્ય છાયા રૂપે હોય છે. બંને સાથે ઉપયોગમાં આવી ન શકે. જયારે જે ભાવ જોઈએ ત્યારે તે ભાવો લાવવા, એ પ્રશસ્ત સાધના છે. સહન કરતી વખતે કઠોર બનવું પડે. કરુણાના અવસરે મનને કોમળ રાખવું પડે. Jain Education International 2010_05 .For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy