SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૭ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ સભા: વસ્તુ જેવી હોય તેવી તો લાગે જ ને? ઉત્તરઃ તેમાં ના નથી. એ તો સ્વરૂપદર્શન છે પણ તેમાં રાગાદિ કરો છો તે વિકતિ છે. આ સમજવું તે જિનશાસન છે. કાળું ખરાબ ને ધોળું સારું, એવું માનવું તે માધ્યસ્થતાનું પ્રતિબંધક છે. વસ્તુ હોય તેવી કહેવી તે વસ્તુ સ્વરૂપની ઓળખ છે. પણ તેમાં સ્વતંત્ર વિકલ્પો ઘુસાડો છો, તે બાધક છે. વીતરાગતા પૂર્વકનો પ્રેમ, વાસ્તવિક પ્રેમ છે. વીતરાગતા વિહોણી આપણી જે કોઈ પ્રવૃત્તિ છે તે રાગ છે. વીતરાગતા વિહોણી દ્વેષપ્રવૃત્તિ એ ઉપેક્ષા છે, માર્ગ નથી, વીતરાગતા તો તેરમે ગુણસ્થાનકે આવશે પણ અત્યારે કેવું જીવવું તે જાણવું જરૂરી છે. વીતરાગતા પૂર્વકનો પ્રેમ એ સાચો પ્રેમ છે. એનો અર્થ શું? આપણા જીવનમાં જે કોઈ જીવો પરિચયમાં આવે, ત્યારે તેઓ પ્રત્યે પ્રસન્નતા, પ્રમોદ, સજાતીયતાના સંબંધે આનંદની ઉર્મિ ઉછળવી જોઈએ. પ્રેમ વગરની વીતરાગતા એ પ્રેમ નથી. તેષ છે. ઉપેક્ષા છે. પ્રેમ આત્માનું સ્વરૂપ છે. રાગ-દ્વેષ ઘટે છે, ત્યારે પ્રેમ પ્રગટે છે. સજાતીય તત્ત્વના સંબંધે આંખોમાં, ચહેરામાં જે આનંદની અભિવ્યકિત છે તે વીતરાગતાપૂર્વકનો પ્રેમ છે. તે જીવને જે કોઈ ચીજ જોઈએ છે તે તેને આપો. આપવા માટે કટીબદ્ધ બનો. આ વીતરાગતા પૂર્વકનો જીવનવ્યવહાર છે. એક વ્યકિતને જોઈને આનંદ થાય છે ત્યાં સુધી પ્રેમ છે પણ એના ઉપર ચોંટી પડીએ છીએ, ત્યાં બેલેન્સ ખસી ગયું છે. વીતરાગતાપૂર્વકનો પ્રેમ ખસી ગયો. પ્રભુ મહાવીરનો આત્મા મરીચીના ભાવમાં પદવીની યાદી સાંભળતા નાચ્યો છે. તમને પણ આવું થાય છે ને કે, સંસારના સુખ-અધિકાર ભોગવી લઉં! આ ખોટું છે. આના કરતાં અનંતગણું સુખ મોક્ષમાં છે. અહીંથી મુંબઈ જવું હોય તો બધા સ્ટેશનો જોવા જરૂરી છે? ના, મુંબઈ જોવાથી બધું આવી ગયું. સંસારી જીવો રાગ કરે છે, પ્રેમ નથી કરતાં. પ્રેમમાં વિવેક છે. રાગમાં વિવેક નથી. મૂઢતા છે. સાચા પ્રેમમાં ખોટી લાગણી, આતુરતા, સૂકય, ઇન્દ્રિયોની ખણજ ન હોય, પરંતુ જીવસૃષ્ટિના સંબંધે ચૈતન્ય વિકસે, પોતાના નિમિત્તે ચૈતન્યસૃષ્ટિને દુઃખ ન થાય એની સતત કાળજી એ વીતરાગતા પૂર્વકનો પ્રેમ છે. સામી વ્યકિતના હિતાહિતની વિચારણા ન કરવી પણ મને અનકળ છે માટે એને શોષી લેવો એ પ્રેમ નથી. રાગ છે. ભવોભવ રાગની સાંકળે બંધાયેલા છીએ, માટે મોક્ષ થતો નથી. આ વજલોઢાની રાગની સાંકળોને તોડવી ચક્રવર્તી માટે પણ દુષ્કર છે. વજશીલાને તોડનાર પણ આ કાર્ય કરવા સમર્થ બની શકતા નથી. ચિત્તના ઉપયોગમાંથી રાગને તોડવો, સ્નેહને ખસેડવો એ સાધના છે. પ્રેમ ચારિત્રનું ઘડતર કરે છે. રાગ ચારિત્રમાં નડતર છે. રાગથી ચારિત્રમોહ બંધાય છે. પ્રેમથી ચારિત્ર મોહ તૂટે છે. પ્રેમથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય રૂપ બધા ઘાતી તૂટે છે. અને Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy