SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ જીવસત્કાર અને પાપધિક્કારથી ગ્રન્થિભેદ. ૩૫૬ ચાલશે. જો તેલનું ટીપું પડી જશે, તો તલવારથી માથું ઉડાડી દેશે. આ શરત મંજુર હોય તો ઠીક, નહિતર મોત તૈયાર છે. નગરશેઠે આ વાત દીકરાને કરી. દીકરો તૈયાર થયો. આખું નગર સજાવ્યું છે. વાજીંત્રોના ગાન ચાલે છે, અપ્સરાઓ ઉભી કરી છે. સવારથી સાંજ સુધી આ છોકરો ફરે છે. પણ ક્યાંય નજર નથી કરતો, એકીટશે હાથ નિહાળતો ચાલી રહ્યો છે. સફળ રીતે નગરની પરિકમ્મા પૂરી કરી. રાજા એ પૂછ્યું, તે નગરમાં શું જોયું? કાંઈ જોયું નથી. કેમ? તારી નજર ક્યાં હતી? હાથમાં, કેવી રીતે રહી? અરે બે ઉગામેલી તલવાર સામે હતી. એક મૃત્યુના ભયથી જો તું સીધો ચાલતો હોય તો જે આત્માઓને અનંત મૃત્યુના ભયો સતાવે છે, તેને વિષય-કષાયનું આકર્ષણ ન હોય તેવું કેમ ન બને? પુત્ર પણ સમજી ગયો કે મારા અનુભવથી હું સ્વીકારું છું કે આપની વાત સાચી છે. આ દૃષ્ટિમાં ક્ષેપ દોષ ગયો હોવાથી થાક, કંટાળો આવતો નથી. બહારના નબળા નિમિત્તોમાં પણ આ આત્મા સાવધ રહી શકે છે ત્યારે પણ ઉપયોગ ધર્મક્રિયામાં પકડાયેલો રહે છે. परिस्कारगतः प्रायो, विघातोऽपि न विद्यते । अविघातश्च सावद्यपरिहारान्महोदयः ।। ५६ ।। આ દૃષ્ટિની અંદર ઉપકરણગત વિઘાત પણ વર્તતો નથી. આ શ્લોકનો અર્થ માર્મિક છે. એનો અર્થ જેને આવડશે તેના ઘણા મમત્વના બંધનો દૂર થઈ શકશે. અહીં ઉપકરણ (એટલે જીવનનિર્વાહ માટેની સામગ્રી) ની સહજ રીતે પૂર્તિ થાય છે. અર્થાતુ જીવનનો વિઘાત રહેતો નથી. જીવનનિર્વાહથી અધિની ઈચ્છા આ દૃષ્ટિમાં થતી નથી. એ આ દૃષ્ટિનો પ્રભાવ છે. સમાધિ ટકાવવા ઈચ્છનારે વિચારવું જોઈએ કે સમાધિનો બાધક કોણ છે ? નિષ્કારણ વિચારો ને નિષ્કારણ પ્રવૃત્તિ, ચિત્તની સમાધિને લૂંટી લે છે. ચિત્તની અસ્વસ્થતાને ઉભી કરનાર ઈચ્છા છે. અહીં આ દૃષ્ટિમાં સહજ રીતે તો ઈચ્છા પહેલાં વસ્તુ મળી જાય, પણ કોઈવાર વસ્તુ ન મળે ને ઈચ્છા થાય તો પણ ઔચિત્યનું પાલન ઠીક ઠીક હોવાથી તે જીવ શાસ્ત્રનિષિદ્ધ પ્રવૃત્તિમાં સામેલ થતો નથી. નીતિ, ન્યાય, સદાચાર, પ્રામાણિક્તા જાળવવી એ શાસ્ત્રવિહિત આચાર છે, અને આમાં ગરબડ કરે, તે શાસ્ત્રનિષિદ્ધ છે. મનને બગાડે તેવા પાપો તેના જીવનમાં ન હોવાના કારણે ધનપ્રાપ્તિ અને સમાધિ પ્રાપ્તિનો માર્ગ સરણ બને છે. તમારા માટે જેમ અનીતિનું ધન વર્યુ છે. તેમ અમારા માટે દોષિત ભિક્ષા વર્ષ છે, નિર્દોષ ભિક્ષા આવકાર્ય છે. બેતાલીસ દોષ રહિત ગોચરી લાવ્યા પછી પાંચ દોષ રહિત વાપરવાની છે. આમ ન કરે તો પ્રાયશ્ચિત આવે. સારી વસ્તુમાં રાગ થાય તો અંગાર દોષ છે ને તે ચારિત્રને બાળી મૂકે. પ્રતિકૂળ વસ્તુમાં ઠેષ થાય તો ચારિત્રને ધુમાડા જેવું કરી મૂકે. અંગાર દોષમાં ઉપવાસનું પ્રાયશ્ચિત છે. ધૂમ્ર દોષમાં આંબેલનું પ્રાયશ્ચિત છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy