SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૫ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ નજીક મુક્યું. એના પગને માથું અડાડીને પોતાની જાત પ્રત્યે ઘણા કરી, હૈયાફાટ રૂદન કર્યું. ઘોર પશ્ચાત્તાપ કર્યો અને પોતાની જાતને અધમાધમ માનતો થયો. જીવનમાં પશ્ચાત્તાપ, જીવને આગળ લઈ જાય છે. જેને પોતાના પાપો ઉપર, દોષો ઉપર રુદન કરતાં આવડે છે, તે આ દુનિયાનો ઊંચો સાધક છે. જેને પોતાના પાપો-દોષો ખટકતાં નથી, તે કઈ રીતે આગળ આવી શકે? દોષો કેમ ખટકતાં નથી? અહંકાર છે. અહંકારનો પરિણામ જીવને પશ્ચાત્તાપનો ભાવ લાવવા દેતો નથી. આ દૃષ્ટિમાં ક્રિયામાં ચિત્ત બહાર ફે કાંઈ જતું નથી. વળી, ઉપાયકૌશલ્ય-ધ્યાનની મુદ્રા, આસન, પૂર્વભૂમિકા, નુકસાનકારક તત્ત્વો વગેરે તે જાણતો હોય છે. જે વસ્તુમાં ભય હોય છે, ત્યાં ચિત્તની પકડ અનાયાસે આવી જાય છે. ઉપયોગમાં રહેલો ભય યોગને સ્થિર રાખી શકે છે. એક રાજા છે તે સંતોનો પ્રેમી છે. રાજસભામાં બેસે ત્યારે ચારે બાજુ સંતોથી વિટળાયેલો રહેતો. રાજા અવારનવાર સભામાં સંતોના ગુણગાન ગાયા કરે છે કે, આ જગતમાં મહાત્માઓને ધન્ય છે કે, ઉત્કટ કોટિના વિષયો આવવા છતાં તેઓનું ચિત્ત તે તરફ જતું નથી. આ સાંભળીને નગરશેઠના એક છોકરાને વિચાર આવ્યો કે, રાજાને કોણ સમજાવે કે ઉત્કટ વિષયમાં ચિત્ત ખેંચાય નહીં, એ અતિશયોક્તિ છે. રાજા સાંભળીને વિચારે છે કે સત્તાના જોરે હું તેને દબાવી શકું તેમ છું. પણ મારે તેને જે સમજાવવું છે કે, તેને સમજાવી ન શકું એટલે ખામોશ રહ્યા, ને ઉપાય શોધવા લાગ્યા. બીજાના વિચારો પ્રત્યે સહિષ્ણુ બનીને યોગ્ય નથી તેનો વિનિયોગ કરવો તે સાચી સાધકતા છે. આપણાથી વિપરીત વિચારોને સાંભળ વાની આપણામાં ક્ષમતા હોવી જોઈએ, અને પછી કઈ રીતે સામેની વ્યક્તિને લાભ થાય, તે વિચારવું જોઈએ. આ ગુણ હોય તો સમજવું કે માર્ગને પામ્યા છીએ. નિમિત્ત મળે ને ગુસ્સો આવે તે કંઈ સાધક્તા નથી. નિમિત્ત મળવા છતાં જે નિર્લેપ રહે છે, અને તેને ગુણકારી બનાવે છે તે સાધક્તા છે. રાજાએ મંત્રીને શેઠના છોકરા જોડે સંબંધ બાંધવાનું સૂચન કર્યું અને રાજાના સુચન પ્રમાણે રાજાના પોતાના નામની મુદ્રિકા નગરશેઠના છોકરાના દાબડામાં સરકાવી દીધી. રાજાએ કહ્યું મારી નામાંકિત મુદ્રિકા ખોવાઈ છે. પાછી આપી દેશે તો સજામાંથી મુક્ત કરી દઈશ, નહીંતર જેના ઘરમાંથી નીકળશે તેને ફાંસી થશે. તપાસ કરતાં શેઠપુત્ર પાસેથી નીકળી. રાજાએ તેને જેલમાં ઠોકી દીધો. માતા-પિતા કરગરે છે. મંત્રીને કહે છે કે, તમે મારા પુત્રની મૈત્રી સ્વીકારી છે. તો એવું કાંઈ કરો કે આ છૂટી જાય. મંત્રીએ રાજાને વાત કરી. રાજા કહે, મારે એને મારવો નથી, પણ એને સમજાવવો છે. તો નગરશેઠને કહેજો કે શેઠ! પુત્રને બચવા માટે એક ઉપાય છે. તેલનું પાત્ર ભરીને આ છોકરો ફરે. તલવાર લઈને બે માણસો સાથે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy