SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ જીવસત્કાર અને પાપધિકારથી ગ્રન્થિભેદ ૩૫૪ છે. ઉપશમ સમક્તિ વખતે દેહભિન્ન અવસ્થાની પ્રતીતિ છે. છાસઠ સાગરોપમ સુધી ટકનારા ક્ષયોપશમ સમક્તિમાં તત્ત્વચિંતનથી કષાયોની મંદતા, રસહાનિ થાય છે અને તેથી સમક્તિ મોહનીયનો પ્રવાહ ચાલુ રહે છે, તેમાં પણ વિશેષ પ્રકારે રસહાનિ થાય ત્યારે અનુભૂતિ થઈ શકે છે. જે વિષયની રુચિ હોય છે, ત્યાં એકાગ્રતા આવે છે. સંસારમાં વિષયની રૂચિ છે, આસક્તિ છે, અર્થ કામ અતિશય ઉપાદેય લાગે છે. ત્યારે ચંચળ ચિત્ત પણ સ્થિરતા પામે છે. - ત્રીજી દૃષ્ટિમાં દર્શનમોહનીયનો રસ ઘટી રહ્યો છે. ઉપયોગ સહજ રીતે ક્રિયામાં ટકે છે એનું મુખ્ય કારણ વૈરાગ્ય વધ્યો છે અને તેથી વિષય-કષાયની પરિણતિ રૂ૫ ભવ-તે નો ભય ચાલુ થાય છે. ભય વખતે ઉપયોગ Concentration સહજ રીતે થાય છે. એક ભાઈ પરદેશથી પ્લેનમાં આવી રહ્યાં છે અને પ્લેન તૂટવાની તૈયારીમાં છે. ત્યારે ભયાન્વિત થતાં કદી કર્યું ન હોય એવું અરિહંતનું નામસ્મરણ કર્યું કે ગ્રન્થિભેદ કરી સમક્તિ પામ્યા. આજે સંસારમાં તમારા આનંદ-પ્રમોદ બતાવે છે કે, તમને ભવનો ભય નથી. સ્વજન મરી જાય તે દિવસે તમે હસી શકતા નથી, મિષ્ટાન ખાઈ શકતા નથી, વિષયોમાં રાચી શકતા નથી. તેવી રીતે સ્વરૂપ રુચિ થતાં વિષયોમાં સતત પોતાનું અહિત દેખાય છે. એટલે આત્મા સહેલાઈથી વિષયોમાં જઈ શકતો નથી. આ દૃષ્ટિમાં દર્શનમોહનો ઉદય છે, તેથી સ્ત્રી વિગેરેના નિમિત્તો મળતાં જીવ તેમાં ભાવિત પણ થઈ શકે છે પણ એમાં ઉપાદેય બુદ્ધિની દૃઢતા નથી આવતી એ આ દષ્ટિનો પ્રભાવ છે. આપણા આત્માને વિષયાસક્તિ પ્રત્યે પશ્ચાત્તાપ, ધૃણા-તિરસ્કાર રહેતો હોય તો ઘણા દોષો દૂર થાય છે. ક્રિયાની અંદર અન્યમનસ્ક થતાં જો દુઃખ થાય તો સમજવું કે આ દૃષ્ટિની અસર નીચે તમે છો. અને દુઃખ ન થતું હોય તો દૃષ્ટિનો બોધ વિકલ સમજવો. માટે જ્ઞાનીઓએ જીવસત્કારની જેમ પાપધિક્કારને ગ્રન્થિભેદનું કારણ કહ્યું છે. જીવવીર્યને કયાં ઉછાળવું તે નક્કી કરીને વીર્યનું ફૂરણ થતાં સમક્તિ મેળવી શકાય છે. જીવસત્કાર અને પાપધિક્કારથી ગ્રન્થિભેદ. ઝાંઝરીયા મુનીનો ઘાતક રાજા, મૃતકને ખમાવતાં ખમાવતાં કેવળજ્ઞાન પામે છે. આ કયો નિક્ષેપો થયો? જૈન શાસનના ચારે નિક્ષેપ પૂજ્ય છે એવું અહીં સ્પષ્ટ દેખાય છે. આ દ્રવ્યનિક્ષેપ છે. ભાવની પૂર્વ અને પશ્ચાતુ અવસ્થાને દ્રવ્ય કહેવાય છે, જેમ શ્રી તીર્થકર પરમાત્મા તીર્થ કર રૂપે વિચરતા હોય ત્યારે ભાવ નિક્ષેપ તીર્થ કરે છે. મોક્ષે ગયા પછી દ્રવ્ય તીર્થ કર કહી શકાય. દીક્ષા ન લીધી હોય ત્યારે પણ દ્રવ્ય તીર્થકર કહી શકાય. સાધુ થવા ઇચ્છતા મુમુક્ષુને દ્રવ્યસાધુ કહી શકાય. જે સાધુ મરીને દેવલોકમાં ગયો છે, તેને પણ દ્રવ્ય સાધુ કહી શકાય. મડદાને ખમાવતાં રાજાએ પશ્ચાત્તાપ ઉભો કર્યો. ધડ અને માથું જુદું પડેલું હતું, તેને જોડ્યું, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy