SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વૈત અદ્વૈતનું સ્વરૂપ ૩૬૨ - - - આવ્યા પછી ચાલી જાય તે અસતુ છે. સંસાર, વિષય-કષાયની પરિણતિ બધી રીતે અસત્ છે, માટે તેનો ત્યાગ કરવા જેવો છે. જે ચીજ આત્માને બગાડે તે પરમાર્થથી અને વ્યવહારથી અસતુ છે. જે ચીજ આત્માને સુધારે તે વૈરાગ્યવિ. પરમાર્થથી અસતુ (જાય છે માટે - સાદિ સાંત છે માટે,) હોવા છતાં વ્યવહારથી સતું છે માટે આદરવા જેવા છે. એનાથી આત્મા ઉત્તરોત્તર આગળ વધે છે, માટે તે ઈચ્છવા જેવી ચીજ છે. બંને પોઇન્ટ જરૂરી છે. અહીં અસત્ તૃણા નીકળી જાય છે. જરૂરી ચીજ આવી જાય છે. માટે સુખાસન છે. ક્ષેપ દોષ નીકળી જાય છે. અધિક ચીજની ઇચ્છા કરવી એ અસમાધિ છે. આવું આત્માને સમજાવો. અધિક ચીજની ઈચ્છાની પૂર્તિથી થતો આનંદ એ વધારે ખરાબ છે, કારણ કે હવે તે આનંદના પ્રતાપે અધિકાધિક ઇચ્છા થતાં આત્મા બગડશે. જો તે સમયે આનંદ ન આવ્યો હોત તો આત્મા બગડતો અટકી જાત. કદાચ કર્મના ઉદયે આનંદ આવે તો પણ સમજવું કે આ આનંદ કર્મના ઉદયથી છે. આત્માના ઘરનો આનંદ નથી. અધિક પ્રાપ્તિનું સુખ એ મોહના ઘરનું છે, હૃદ્ધ છે. એ સુખ છે પણ આનંદ નથી. આનંદ નિર્કછે, માટે આત્માનું સ્વરૂપ છે. સુખ એ કર્મની નિપજ છે. આત્માનું સ્વરૂપ નથી. દ્વૈત અદ્વૈતનું સ્વરૂપ દ્વૈત એટલે એક કરતાં વધારે. અર્થાત્ એક દ્રવ્ય સાથે બીજું દ્રવ્ય ભળે ત્યારે તે દ્વૈત કહેવાય છે. જ્યારે અદ્વૈત એટલે માત્ર એક. જેમાં બીજું દ્રવ્ય ભળેલું ન હોય તે અદ્વૈત છે. તેથી ઘર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને સિદ્ધના જીવો એ અદ્વૈત છે. કારણકે એમાં બીજું કોઈ દ્રવ્ય ભળેલું નથી, તેની સાથે બીજા કોઈ દ્રવ્યનો વિશેષ રૂપે સંયોગ નથી. જયારે પરમાણ, પરમાણુરૂપે હોય ત્યારે તે પોતે અદ્વૈત છે. જ્યારે હયણકથી માંડીને સંખ્યાતપ્રદેશી ઢંધો, અસંખ્યાત પ્રદેશી સ્કંધો અને અનંતપ્રદેશી ઢંધો એ એક કરતાં વધુ પરમાણુદ્રવ્યના બનેલા હોવાથી તે વૈત છે. ' હવે જીવની સંસારી અવસ્થા ઉપર વિચાર કરીએ તો તે દ્વૈત છે. કારણકે જીવના જ્ઞાનોપયોગમાં રાગ-દ્વેષ-મોહ અને અજ્ઞાનજન્ય વિકારીભાવો ભળેલા હોવાથી જીવનો ઉપયોગ દ્વૈતમય બનેલો છે. અર્થાત જીવના બધા જ ઔદયિકભાવો એ આત્માની ત્રેત અવસ્થા છે. તે જ રીતે ક્ષાયોપથમિક ભાવો પણ દ્વૈત છે કારણકે લયોપશમભાવ કર્મપુદ્ગલસાપેક્ષ છે. તેવી જ રીતે ઔપથમિકભાવો પણ લેત છે. કારણ કે ઉપશમભાવની પ્રાપ્તિ વખતે પણ કર્મ સત્તામાં પડેલા જ હોય છે. અને કર્મ સત્તામાં હોય તે જીવની સંસારી અવસ્થા છે. સંસારી અવસ્થામાં જીવનો ઉપયોગ વૈતમય બનેલો છે. તે જ રીતે જીવના આત્મપ્રદેશો એ અઘાતી કર્મો સાથે એકમેક થયેલા છે તેથી જીવના આત્મપ્રદેશો પણ દ્વૈત છે. - Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy