SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૧ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ અંદરમાં ચોરીનો માલ જેટલો વધારે હશે તેટલી જેલ મોટી થશે. સાતમી નરક કોને મળે ? જેલમાંથી મુક્ત થવું હોય તો અંદરમાં પડેલો બધો કર્મનો માલ કાઢી નાંખીએ, ત્યારે મુક્તિ મળે. કર્મો ત્રણ પ્રકારે છે. જ્ઞાનાવરણીયાદિ કર્મની એકસો અઠ્ઠાવન પ્રવૃતિઓ એ દ્રવ્યકર્મ છે, રાગાદિ એ ભાવકર્મ છે અને શરીરાદિ એ નોકર્મ છે. આ ત્રણે કાઢી નાંખીએ ત્યારે મુક્તિ મળે. સજન-સંત-પરમાત્મા બનીએ ત્યારે મુક્તિ મળે. અંદરમાં પડેલા ચોરીના માલથી ચાર ગતિની જેલ મળે છે. આ જેલમાંથી છૂટકારો કેવી રીતે થાય? અહીં કર્મની નિર્જરા કરવાથી ચોર મટી જવાય છે. પણ આ કર્મની નિર્જરા કેવી રીતે કરવી? તેમાં શું કરવું પડે? પેલી ચીજ તો લાવ્યા હોય ને આપી દઈએ તો ચોર મટી ગયા. પણ નિર્જરા માટે સૌ પ્રથમ નવી ચોરી કરવાની બંધ કરવી જોઈએ, તે સંવર છે. સંવર માટે આશ્રવનો નિરોધ કરવો જોઈએ. સંવર કરવા માટે સુખની ઈચ્છા અટકાવી દેવી જોઈએ. ઇન્દ્રિયોની ઉત્તેજના અટકાવો. તે અટકે તો વૈષયિક સુખની ઈચ્છા અટકે. એ અટકે એટલે નવી ચોરી અટકી જાય. નવી ચોરી અટકાવો તો જ અંદરની ચોરીનો માલ ઓછો થશે. સંવર વિના નિર્જરા નહીં. એટલે નિર્જરાની પહેલાં સંવર મૂકયું છે. સંવર કોના બળ ઉપર છે? નવતત્ત્વની અંદર જીવતત્વમાં પહેલાં જીવનું લક્ષણ બતાવ્યું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ એવું પૂર્ણ સ્વરૂપ આજે આપણી પાસે નથી. સંવર એ જીવનું લક્ષણ નથી, સ્વરૂપ નથી પણ સાધના છે, જીવ આજે પૂર્ણ નથી. જીવ પૂર્ણ હોત તો આજે કંઈ કરવાનું રહેતું નહીં પણ જીવ આ શુદ્ધ સ્વરૂપથી ઘણો ઊંધો છે. વર્તમાનમાં જીવ કાળો મેશ છે. આશ્રવોથી ભરેલો છે. એની સામે સંવર મૂક્યું છે. સંવરમાં શું આવે? પાંચ આચાર, સમિતિ, ગુપ્તિ, ઈન્દ્રિયનિરોધ, અનિત્યાદિ બાર ભાવનાઓ, દશવિધ યતિધર્મ. આ સંવરના પ૭ ભેદમાંથી આપણે પસાર થવાનું છે. આશ્રવના ૪ર ભેદોથી અટકવાનું છે. મંદિરમાં પ્રભુ પાસે પોતાની કથાની વ્યથા વાંચો, તેમનું આલંબન લઈ આશ્રવથી અટકો અને સંવરમાં જોડાવ. આ અગત્યની સાધના છે. આના આલંબનથી જીવનમાં અનાચાર અટકી જશે. બાહ્ય પાપ પ્રવૃત્તિથી અટકતાં અનન્યગન્યા જીવ અંદરમાં ઠરશે જ. આત્માને પામવા માટે આત્માને ઓળખવાનો છે. આશ્રવની પ્રવૃત્તિ સંવર આવવા દેતી નથી; સંવર વિના નિર્જરા નથી થતી. આત્માને આત્મસ્વરૂપમાં ન રહેવા દેનાર આશ્રવની પ્રવૃત્તિ છે. સાધક આત્માની વાસ્તવિક ઓળખ સંવર તત્ત્વના સેવનથી જાણી શકાય છે. આ રીતે વ્યવહારનું પાલન ઊભું રહ્યું. સંવરના બળ ઉપર જ નિર્જરા છે. જેના જીવનમાં સંવર નહીં ત્યાં સાચી નિર્જરા થતી નથી. આશ્રવને અટકાવવાનો છે. તે સંવરના બળ ઉપર અટકે છે. જ્ઞાનીએ સૌ પ્રથમ પાપને અટકાવવું એ ધર્મ બતાવ્યો છે. પાપની પ્રવૃત્તિ અટકાવવી અને પાપની વૃત્તિને અટકાવવી. પંચાચાર વિગેરેના પાલનથી પાપની પ્રવૃત્તિ અટકે છે. સમિતિ, ભાવના વિગેરેથી પાપનો રસ તૂટે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy