SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ પરપદાર્થને ભોગવતા આત્મા પર ભય વધે છે. તેમ નાની નાની વાતમાં તમારા પર્યાયને બગાડતા હો તો આત્મા ત્રિકાલી છે.” એવી એકલી નિશ્ચયની વાતો કેવી રીતે ઉપયોગી બનશે ? નિશ્ચયનયની વાતો હીરા જેવી છે પણ હીરો વીંટીમાં શોભે છે તેમ નિશ્ચયનયની વાતો સદાચાર રૂપ વ્યવહાર ધર્મની વીંટીમાં જ શોભે છે, ખાઈ પીને માત્ર આ વાતો કરવી એ શોભાસ્પદ કેવી રીતે બની શકે ? સૌ પ્રથમ આચારના બળ ઉપર, સમિતિ, ગુપ્તિના પાલન ઉ૫૨ ભાવનાના બળ ઉપર સંસારના તીવ્ર ૨સને તોડી નાંખો, તો જ આગળ જવાશે. તમે આત્માની અંદર જવા પ્રયત્ન કરશો તો ત્યાં કર્મો પણ પડેલા છે. એટલે કર્મનો ફોર્સ તો આવશે. કર્મ એ વિકૃતિ છે. વિકૃતિમાંથી પહેલાં સંસ્કૃતિ લાવવી પડે. તો જ સંસ્કૃતિથી સ્વભાવ આવશે. સીધો સ્વભાવ પ્રગટ થવો મુશ્કેલ છે. ઔદિયક ભાવોની તાણમાંથી છૂટી ક્ષયોપશમ ભાવમાં આવવું પડે અને પછી સ્વરૂપની લગની તીવ્રતમ બનતાં ક્ષાયિક ભાવ પ્રાપ્ત થઈ શકે છે. ધર્મક્રિયા એ સંસ્કૃતિ છે. ઔદિયક ભાવ એ વિકૃતિ છે. આચારધર્મથી સંસ્કાર પ્રાપ્ત થતાં, પૂર્ણ સ્વભાવ નિકટ આવે છે. સૌથી પહેલાં શુદ્ધભાવ આવતો નથી. અશુભમાંથી શુભમાં આવવું પડે છે અને ત્યાં ઉપયોગશુદ્ધિથી આગળ વધતાં શુદ્ધસ્વરૂપ પ્રગટ થઈ શકે છે. સંસાર વિકૃતિના બળ ઉપર ચાલે છે. આચાર એ સંસ્કૃતિ છે એ પણ ઉપચારથી ધર્મ છે. પહેલાં વ્યવહાર સુધારો પછી નિશ્ચય સુધ૨શે. આમ કેમ ? આનાથી ઊંધુ પહેલાં નિશ્ચય અને પછી વ્યવહાર, એમ કેમ નહીં ? જ્ઞાનીએ પહેલાં વ્યવહાર મૂકચો કારણ કે જીવ અનાદિકાળથી વ્યવહારમાં રહ્યો છે. એટલે તે શુભ વ્યવહાર પહેલાં સ્વીકારશે, જલ્દી સ્વીકારશે. અશુભ આશ્રવમાંથી શુભાશ્રવમાં આવશે અને તે જેમ જેમ વધશે તેમ સંવર વધતો જશે. જીવ સંવરમાં બરાબર પકડાયેલો રહે ત્યા૨ે જીવનમાં નિર્જરા આવે છે. જેને જલ્દીથી મોક્ષે જવું છે, તેણે સંસારની પ્રવૃત્તિ ઘટાડવી જ પડશે. સંસારનો રસ ઘટાડવો જ પડશે. સૌ પ્રથમ આશ્રવથી અટકવું જોઈએ અને સંવ૨માં આવવું જોઈએ. આશ્રવથી અટકેલો અને સંવ૨માં આવેલો આત્મા નિર્જરામાં આવે છે. આત્મા અત્યંતર સ્વરૂપની નિકટમાં જેટલો ગયો, તેટલી તેની નિર્જરા છે. અંદરમાં ન જાવ તો કર્મો કાંથી ખરે ? તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં કહ્યું, “તપસા નિર્જરા ચ” બાહ્ય તપથી પણ કષાયની પરિણતિ તૂટતાં, અહંકાર તૂટતાં નિર્જરા થઈ શકે છે. ‘ચ' શબ્દથી સંવરની અનુવૃત્તિ લેવાની છે. એટલે તપથી સંવ૨ પણ થાય છે. પ.પૂ. પદ્મવિજયજી મહારાજે સિદ્ધચક્ર ભગવાનના સ્તવનમાં સ્પષ્ટપણે આનો ઉલ્લેખ કર્યો છે. ઉપર “બાહ્ય અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેતુ જી, તે તપ નમીએ ભાવ ધરીને, ભવસાયરમાં સેતુજી.” તપમાં જેટલી સમતા રહે તેટલી કર્મોની નિર્જરા થાય છે. અને આ તપધર્મનું સેવન કરતાં જીવ ભવસમુદ્રના પા૨ને પામી શકે છે. તપ એ મોક્ષે જવા માટે પુલ સમાન છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy