SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨ પદાર્થને ભોગવતા આત્મા પર મય વધે છે, પરપદાર્થને ભોગવતા આત્મા પર ભય વધે છે. સુખ ભોગવવામાં આત્મા પર ભય વધે છે. તમે કોઇના ઘરે ગયાં, કોઇ ચીજ ગમી ગઇ. ચોરી કરી લીધી. પછી તમારો આત્મા ભયવાળો કે નિર્ભય ? પારકી ચીજની ચોરી કરી છે, માટે ભય છે, તેમ પારકી ચીજ ભોગવીએ છીએ માટે પણ ભય છે. જીવે સંસારમાં કાર્યણ વર્ગણાની ચોરી કરી છે, જે પૌલિક છે, જે જીવની માલિકીની ચીજ નથી. તેને પોતાની બનાવી છે. માટે તમારું નિર્ભય સ્વરૂપ જતું રહ્યું, ચોરના પગ હંમેશાં ઢીલાં-કાચા હોય. જીવે પારકી ચીજ જેવા કર્મોને આત્મઘરમાં ઘાલ્યા છે, માટે ભય વર્તે છે. भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद् भयं, भाने दैन्यभयं बले रिपुभयं रुपे तरुण्या भयं, शास्त्रे वाद भयं गुणे खलभयं कार्य कृतान्तात् भयं, सर्वं वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यभेवाभयम् ॥ ( भतृहरि) ભોગમાં રોગ નોભય છે, સુકુલમાં નાશનો, કલંકનો ભય છે. સંપત્તિમાં રાજાનો, સ૨કા૨નો ભય છે, માનમાં દીનતાનો ભય છે, બળમાં શત્રુનો ભય છે, રૂપમાં સ્ત્રીનો ભય છે. શાસ્ત્રમાં વાદ-વિવાદનો ભય છે, ગુણમાં દુર્જનનો ભય છે, કાયાને યમરાજનો ભય છે, આ જગતમાં સર્વ વસ્તુ ભયથી યુકત છે. ભર્તૃહરિ કહે છે કે વૈરાગ્ય એ જ અભય છે. તેમણે ત્રણ શતક રચ્યા છે. (૧) પીંગળાની પાછળ પાગલ હતાં ત્યારે શ્રૃંગાર શતક બનાવ્યું (૨) જયા૨ે તે રાજા થયા ત્યારે નીતિ શતક બનાવ્યું અને (૩) સંન્યાસી બન્યા ત્યારે વૈરાગ્યશતક બનાવ્યું. તેમાં તર્ક, વિતર્ક, કુતર્ક, વાદ, વિવાદ વિગેરેનું ખંડન કર્યું છે. શુષ્ક ક્રિયાકાંડનું પણ ખંડન કર્યું છે. કહ્યું છે કે આવી ક્રિયાથી દેવલોકમાં રત્નની નાની ઝુંપડી રહેવા મળશે એનાથી આત્માનું સામ્રાજ્ય નહીં મળે. વૈરાગ્યમાં અભય મૂકે છે. ભોગમાં ભય મૂકે છે. કેમકે ભોગ ભોગવવાની પૂર્વ અવસ્થામાં ભય છે. ભોગવતાં પણ ભય છે, પશ્ચાત્ અવસ્થામાં પણ ભય હોય છે. ભયના કાળમાં સુખ કેવું ? ભયંમિશ્રિત સુખમાં સુખ કેવું ? ત્રણે અવસ્થામાં ભય છે, આત્મા સમયે સમયે કર્મ બાંધે છે, તે ચોરી છે. ૩૫૦ નિશ્ચયનયની દૃષ્ટિથી આપણે ચોર છીએ. ચોર જ્યારથી ચોરી કરવા માટે ઘેરથી નીકળે છે ત્યારથી ચોર કહેવાય છે. નૈગમનય સંકલ્પમાં પણ સિદ્ધિ માને છે. ત્યારથી ચોરીનું પાપ લાગે છે. રસ્તામાં પકડાઇ જાય તો પણ જેલમાં જવું પડે. એક માણસ હાથમાં તલવાર લઈને દોડતો જાય છે. તેણે કોઈને માર્યો નથી પણ પોલીસ પકડીને જેલમાં બેસાડી દે ને ? અને ડોકટર છરી ફે૨વે છે છતાં ખુની નહીં, એ દયાળુ કહેવાય. તમારો જેવો સંકલ્પ, જેવો વિચાર એને અનુરૂપ તમે કહેવાઓ છો, ચોરીના વિચારથી જેમ ચોર કહેવાઇએ છીએ તેમ આપણે ભોગ ભોગવવાના સંકલ્પ કરીએ ત્યારથી નિશ્ચયનય પ્રમાણે ચોર કહેવાઈએ છીએ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy