SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૯ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ આત્મા અંદરમાં જતો જાય, ઇન્દ્રિયો સૂક્ષ્મ બનતી જાય, ત્યારે પહેલાં પક્ષીઓના કલરવ જેવું સંભળાય છે. પછી ૐકાર ધ્વનિ સંભળાય છે. જડ દવનિની તાકાતથી ભૂખ અને તરસ ભૂલાય છે. - જિનવાણીના શ્રવણ કે બીજા કોઈ પણ યોગથી ઇન્દ્રિયોની ઉત્તેજના તોડી નાંખવાની છે. ઉત્તેજિત થયેલી ઇન્દ્રિયો રખડાવે છે. જ્ઞાનીઓએ શુશ્રષા પૂર્વકની જિનવાણી શ્રવણની મહત્તા બતાવી છે. કારણકે આ રીતે જિનવાણી સાંભળતાં એકાગ્રતા આવે છે. તેનાથી આત્મામાં સંવેગ અને નિર્વેદ વધે છે, તેનાથી અંદરના બધા કચરા નીકળી જાય છે. જિનવાણી સાંભળ્યા પછી કદાગ્રહ, દુરાગ્રહ, હઠાગ્રહ નીકળી જવો જોઇએ. ગીતાર્થ જ્ઞાની ઉપદેશકની વાણી સાંભળવાથી આત્મા ગુણાનુરાગી બને છે, સદાચારી બને છે. ગુણગ્રાહી બને છે. ગુણોને શોધતાં શીખે છે. મધ્યસ્થ ભાવવાળો બને છે. તેનું જ્ઞાન નિર્મળ બને છે, વિશાળ બને છે, સ્વચ્છ બને છે. બીજાના વિપરીત વિચારોને સહી લેવાની સહિષ્ણુતા આવે છે. જિનવાણી નાસ્તિકને આસ્તિક બનાવે છે. પ્રદેશી રાજા નાસ્તિક હતો. કદાગ્રહી હતી. બાવા સંન્યાસીનો દ્વેષી હતો. કેશી ગણધરની વાણી ભલે અવિનયથી, ઉદ્ધતાઇથી સાંભળી, તો પણ આસ્તિક બને છે. જિનવાણી ક્રોધીને ક્ષમાશીલ બનાવે છે. રાગી જીવોને વિરાગી બનાવે છે, કામીને બ્રહ્મચારી બનાવે છે. આ તાકાત જિનવાણીની છે. જિનવાણી સાંભળવાથી પૂર્વગ્રહો નીકળતાં જાય છે. ગુણગ્રાહી દૃષ્ટિ આવતી જાય છે. અને આત્મા શાંત બનતો જાય છે, પછી એને ચર્ચા, ટીકા વિ. ગમતાં નથી. જે અંદરથી શાંત બને છે, એની બહારની પ્રવૃત્તિઓમાં વિવેક આવે છે. જે અંદર અશાંત હોય તેને બહાર ભૂલો થાય છે, અંદરના કષાયનો ઉકળાટ તેને બહાર ભૂલો કરાવે છે. બીજાને ધર્મ પમાડવામાં એવા ઘેલાં નથી બનવાનું કે જેનાથી પોતાનું વટાઈ જાય. રાગાદિના ઝેર ઉલેચવા માટે જિનવાણી એ અમોઘ ઉપાય છે. વૈષયિક સુખોની ઈચ્છા ઘટતાં, ઉલેચાતાં જીવ શાંત બને છે. અને ઊંચી કોટીના સંસ્કારો ઊભા થાય છે. ઊંચી કોટીનો વૈરાગ્ય મળે છે. અહીં ચારિત્ર પાળીને દેવલોકમાં જાય ત્યાં પણ પરાકાષ્ઠાની શાંતતા, સ્વસ્થતા રહે છે. ત્યાં પરાકાષ્ઠાના સુખો હોવા છતાં, નિકાચિત અવિરતિનો ઉદય હોવા છતાં, તત્ત્વ ચિંતનના બળે જીવ આત્મામાં ઠરે છે. અને શુભ લેશ્યાને ટકાવે છે. સમ્યકત્વીને ત્યાં યોગની છઠ્ઠી દષ્ટિ પણ હોઈ શકે છે. સમ્યકત્વીએ સંયમના બળે ચારિત્ર મોહનીય કર્મને પાતળા કરી નાંખ્યા છે. તે સંસ્કારો દેવલોકમાં ટકવાથી મૃત્યુ વખતે ભય નથી આવતો. પ્રશ્નઃ મૃત્યુ વખતે ભય આવે તે શું સૂચવે છે? ઉત્તર : આત્માને સ્વસ્થતા માટે જે મોહને કાઢવો જોઈએ તે નથી કાઢયો માટે ભય આવે છે. ભયને કાઢવા માટે મોહને કાઢવો જોઈએ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy