SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ શુકુલલેશ્યા કઈ રીતે પ્રાપ્ત થાય ? ૩૪૮ પછી જયાં જાય ત્યાં વિષયોમાં જો ચિત્ત પકડાઈ જાય તો લેશ્યા ગઈ, અને બગડી. અને જયાં ચિત્ત વિષયોમાંથી વૈરાગ્યના બળે પાછું ખેંચાય છે એના દ્વારા અંદરમાંથી શાંતરસની અનુભૂતિ થાય છે ત્યાં શુકલ લેણ્યા વાસ્તવિક રીતે પ્રાપ્ત થાય છે. એટલે કેવળજ્ઞાન સુધી તે રહે છે. પેલી બધી શુકલેશ્યાઓ આગળ જતાં ખસી જવાની છે. આત્મા વૈષયિક સુખો પર વૈરાગ્ય કરે, આત્મસ્વરૂપને જોતો જાય તો કષાયોના આવરણ તૂટવાથી અંદરમાં આત્મિક સુખની અનુભૂતિ થાય છે. આ શુકલ લેશ્યા એ મોક્ષમાર્ગ બને છે. (૧) એકલી શુકલલેશ્યા એ કાંઈ મોક્ષમાર્ગ નથી. એ તો અભવ્ય ને પહેલે ગુણઠાણે પણ હોય છે. (૨) ઊંચા વિષયસુખોની પ્રાપ્તિ દ્વારા થતી શુકલેશ્યા પણ મોક્ષમાર્ગ નથી. દેવલોકમાં ઊંચા ઊંચા વિષયસુખોની પ્રાપ્તિ દ્વારા ભોગ ઘટે છે. અને છતાં સુખ વધે છે. કારણકે ત્યાં ઇન્દ્રિયોની ઉત્તેજના ઓછી હોય છે. તુચ્છ સુખોમાં ઉત્તેજના વધે છે. ઊંચા સુખોમાં ઉત્તેજના વધતી નથી. આત્માની લેગ્યા અનેક રીતે રહી શકે છે. ઉત્તેજના હોવાથી આકુળતા વ્યાકુળતા વધે છે. જેને અધ્યાત્મ પામવું હશે તેને સમજવું પડશે કે ઈન્દ્રિયોની ઉત્તેજના એ દુઃખ છે. તેનાથી મળતાં સુખોમાં સુખ અલ્પ હોય છે. અને દુઃખ ઘણું હોય છે. આ ઉત્તેજના ઘસ્યા પછી જીવ સાધનાનો ક્રમ પકડે પછી આત્મિક સુખની વાત શકય બને છે. સૌ પ્રથમ આત્મિક સુખમાં સહાયક પૌગલિક સુખો મળશે. સુધારસની સહાયતા આત્માના કષાયોને શાંત કરે છે. ઇચછાઓને તૃપ્ત કરે છે. સુ ધારસની પ્રાપ્તિ પછી ખાવા-પીવાની બધી વેશ્યાઓ તૂટી જાય છે. ઊંચી કોટીની વેશ્યાઓનો અનુભવ અહીં થાય છે. આત્મિક સુખના કારણભૂત સુધારસ જેમ ઝરે તેમ કષાયો ઘટવાથી આત્મિક સંપત્તિની પ્રાપ્તિ થાય છે. તે વખતે આહાર પણ અલ્પ બને છે. યોગીઓના આહાર, નિહાર (મળ-મૂત્ર) અ૫ અને દુર્ગધ વિનાના હોય છે. અને એમાં રોગાદિ શમાવવાની શકિત પેદા થાય છે. આ યોગીઓની નિદ્રા પણ અ૯૫ રહેવાની. અંદરમાંથી સહજ શકિત પ્રગટે છે. અપ્રમત્તતાથી જીવન ભરેલું હોય છે. અપ્રમત્તભાવમાં ઘણી શકિત ખર્ચાય છે. યોગીઓને શુદ્ધિનું બળ વધતાં તપનું બળ પણ વધે છે. ત્યારે બધી ચીજો ઔષધનું કામ કરે છે. સુધારસની આ વિશેષતા છે. બધાને સુધારસ ઝરે જ તેવું નથી. કોઈને ન પણ ઝરે, કેટલાકને સમ્યકત્વની પ્રાપ્તિ પહેલાં સુધારસ ઝરે છે, કેટલાકને પછી પણ ઝરે છે. આ સુધારસ ગમી જાય, એમાં અટકી પડયા, એમાં ચોંટી પડયા તો માર્યા ગયા. આ ભયસ્થાન છે. આ પૌગલિક સુખ છે. તેનો વિશ્વાસ નહીં કરવાનો. અનાહતનાદ એ કણેન્દ્રિયનો વિષય છે. અનાહત નાદમાંથી 5નો ધ્વનિ આવે છે. આજે પણ આપણી અંદરમાં અનાહત નાદ હોવા છતાં આપણે સાંભળી શકતાં નથી. અનુભવી શકતા નથી. અંદરમાં રહેલાં સુધારસની અનુભૂતિ થતી નથી. કારણકે આપણે બહારની ઇન્દ્રિયોના ઘોંઘાટમાં અટવાયા છીએ. ઇન્દ્રિયોની ઉત્તેજના વધી જવાથી તે અનુભવાતા નથી. ધીરે ધીરે આ જેમ જેમ છૂટે, અને Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy