SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૭ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ એક લાખ પાવરનો ક્રોધ. [(૧) ચાલુ દિવસે કરે છે. ત્યાં જઘન્ય કૃણ લે શ્યા. કાલથી ૨ (૨) પ્રતિક્રમણમાં કરે છે. ત્યાં મધ્યમ કૃષ્ણ લેશ્યા. (૩) સંવત્સરી પ્રતિક્રમણમાં કરે છે. ત્યાં તીવ્ર કૃષ્ણ લેશ્યા. એક લાખ પાવરનો ક્રોધ. [(૧) સામાન્ય અપમાનમાં - તીવ્રકૃષ્ણ લેશ્યા. ભાવથી ? (૨) મધ્યમ અપમાનમાં - મધ્યમકૃષ્ણ લેશ્યા. (૩) ઉત્કૃષ્ટ અપમાનમાં - જધન્યકૃષ્ણ લેશ્યા. અથવા એક લાખ પાવરનો અહંકાર (૧) થોડું જ્ઞાન હોતે છતે કરે તો - લેયા વધારે ખરાબ. (૨) વધારે જ્ઞાન હોતે છતે કરે તો તે વેશ્યા ઓછી ખરાબ. (૩) ઉત્કૃષ્ટ જ્ઞાન હોતે છતે કરે તો લેશ્યા અત્યંત ઓછી ખરાબ. આમ કષાયોનો પાવર એક સરખો હોવા છતાં કેવા સંયોગોમાં જીવ કષાય કરે છે તેના આધારે સ્થલ દષ્ટિથી જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ વેશ્યા નક્કી થાય છે અને કષાયનો પાવર એક સરખો હોવાથી સ્થિતિબંધ એક સરખો હોવા છતાં વેશ્યા જૂદી જૂદી હોવાથી રસબંધ જુદો જુદો બંધાય છે. જેથી વિપાક સમયે તેના તેવા તેવા (જૂદા જૂદા) વિપાક આવે છે. માટે જ્ઞાનીઓ આપણને કષાય નહીં કરવાનો અને લેશ્યા સુધારવાનો વારંવાર ઉપદેશ આપે છે. તા.ક. કષાયોદયસ્થાન સહકૃત લે શ્વાસ્થાનો એ રસબંધના હેતભૂત અધ્યવસાયસ્થાનો છે. એટલે ૧૧, ૧૨, ૧૩ મે ગુણઠાણે વેશ્યા હોવા છતાં રસબંધ હોતો નથી. તેમજ આ ગુણઠાણાઓમાં મોહનીયની અપેક્ષાએ યથાખ્યાતચારિત્રરૂપ એક અધ્યવસાયસ્થાન હોય છે. પરંતુ જ્ઞાનાવરણીયની અપેક્ષાએ ત્યાં પણ અસંખ્ય અધ્યવસાયસ્થાન હોય છે. સુફલલેશ્યા કઈ રીતે પ્રાપ્ત થાય ? (૧) આચાર પાલનથી કષાયની મંદતા આવે છે અને તેના કારણે શુકલ લેશ્યા આવે છે. (૨) વૈષયિક સુખનાં શાતાના બળ ઉપર કષાયની મંદતા થતા તેના કારણે શુકલ લેગ્યા આવે છે. (૩) છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે શુકલ લેશ્યા આવે છે. એ કોના બળે ? મુનિઓને છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકે ઘાતી કર્મો અંદરથી શાંત થાય છે. મુનિઓને કિષાયનું ડહોળાણ બધુ બંધ થાય છે. આચારપાલન દ્વારા કષાયને કાઢે છે. અને ઉપશમ ભાવનો અનુભવ કરે છે એના બળ ઉપર શુકલેશ્યા ત્યાં છે. આચારપાલનના બળ ઉપર જે શુકલ લેહ્યા છે તે, તે ભવમાં રહે છે અને ત્યાંથી મરી જે રૈવેયક દેવલોકાદિના ભવો મળે, ત્યાં પણ તે શુકલ લેગ્યા રહે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy