SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયથી વેશ્યા કઈ રીતે જૂદી પડે? ૩૪૬ તેને સારી નથી માનતો. તમે અંદરથી ડાહ્યા છો, પ્રામાણિક છો. એ અંદરથી બોટો છે. માણસ અંદરથી કેવો છે. એના ઉપર જ સર્ટીફીકેટ અપાય છે. પ્રામાણિક જીવની બહારની બધી ભૂલો પણ ક્ષન્તવ્ય છે. પેલો અભવ્ય અંદરથી પ્રામાણિક નથી. તે બહારથી ભૂલો કરતો નથી, પણ અંદરથી પ્રામાણિક નથી માટે તેની બહારની પ્રામાણિકતા એ પ્રામાણિકતા નથી. વીતરાગતામાં અને કેવળજ્ઞાનમાં મહાપ્રામાણિકપણું પડેલું છે. મહા પ્રામાણિકતા શું છે ? આત્મા એક ક્ષણવાર પણ ઘરની બહાર જતો નથી. આવી પ્રામાણિકતાનો એક અંશ પણ જેનામાં આવ્યો છે. તેને જ્ઞાનીઓ ડાહ્યો કહે છે. કષાયથી વેશ્યા કઈ રીતે જુદી પડે ? કષાય અને નોકષાયના ઉદયથી થયેલ મિશ્ર પરિણામ તે કષાયોદય સ્થાન કહેવાય છે. જ્ઞાનાવરણીયના ઉદય સહકૃત કષાયોદયસ્થાન એ જ્ઞાનાવરણીયની સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાય સ્થાનરૂપ બને છે. એજ રીતે નામગોત્રનો ઉદય સહકૃત કષાયોદય સ્થાન એ નામ ગોત્રના સ્થિતિબંધમાં હેતૂભૂત અધ્યવસાયસ્થાન બને છે. એટલે સમાન કષાયોદય સ્થાનમાં પણ નામ ગોત્રનો ૨૦ કો.કો. સાગરોપમનો સ્થિતિબંધ થાય છે. અને જ્ઞાનાવરણીયનો ૩૦ કો. કો. સાગરોપમનો સ્થિતિબંધ થાય છે. કારણકે નામગોત્રના સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયસ્થાન કરતાં જ્ઞાનાવરણીયની સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાય સ્થાન અસંખ્ય ગુણ છે. લેશ્વાસ્થાન અત્િ રસબંધના સ્થાન એક એક સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનમાં અસંખ્ય લોક જેટલા કષાયોદય સ્થાનો હોય છે. અને એક એક કષાયોદય સ્થાનમાં અસંખ્ય લોક જેટલા વેશ્યા સ્થાનો અર્થાતુ રસબંધના સ્થાનો હોય છે. તેથી કષાયોદય સ્થાન સમાન હોવા છતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી લેગ્યામાં ભેદ પડે છે. દા.ત. એક લાખ પાવરનો ક્રોધ ત્રણ વ્યકિત કરે છે. તેમાં દ્રવ્યથી, કોત્રથી કાળથી અને ભાવથી આ રીતે વેશ્યા જૂદી પડે છે. એક લાખ પાવરનો ક્રોધ. (૧) ૧૦૦૦ રૂા.ના નુકશાનમાં તીવ્ર કૃષ્ણ શ્યા. દ્રવ્યથી (૨) ૧૦,૦૦૦ રૂ.ના નુકશાનમાં. મધ્યમ કૃષ્ણ લેશ્યા. (૩) ૧,૦૦,૦૦૦ રૂ.ના નુકશાનમાં. જઘન્ય કૃષ્ણ લેશ્યા. એક લાખ પાવરનો ક્રોધ. [(૧) ઘરમાં કરે છે. ત્યાં જઘન્ય કૃષ્ણ વેશ્યા. ક્ષેત્રથી (૨) તીર્થમાં કરે છે. ત્યાં મધ્યમ કૃષ્ણ લેશ્યા. [(૩) દાદાના ગભારામાં કરે છે. ત્યાં તીવ્ર કૃષ્ણ લેશ્યા. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy