SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ વાત તો કયાં રહેશે ? સુધારસ રસનેન્દ્રિય દ્વારા અનુભવાય છે. અનાહતનાદ કર્મેન્દ્રિય દ્વારા અનુભવાય છે. આ બંને ઊંચી કોટીના સુખ છે પણ એ પૌદ્ગલિક છે. પૌગલિક હોવા છતાં આત્માની શાંત અવસ્થામાં અનુભવાય છે. આત્મા સ્વરૂપની નજીકમાં જાય ત્યારે મળે છે. તે આત્મપ્રાપ્તિમાં સહાયક છે. ઇન્દ્રિયોની, પુદ્ગલોની આસકિત ઘટે ત્યારે ઊંચું સુખ અનુભવાય છે. ઉપર ઉપર દેવલોકમાં વિષયસુખની પ્રવૃત્તિ ઘટે છે, છતાં સુખ વધે છે. દેવલોકમાં કાયિક પ્રવિચાર-મૈથુન પહેલા અને બીજા દેવલોક સુધી જ હોય છે. હા, એની નીચેના ભવનપતિ, વ્યંતર, જયોતિષીમાં પણ તે હોય છે. ત્રીજા ચોથા દેવલોકમાં કાયિક પ્રવિચાર નથી. પણ સ્પર્શનું સુખ છે. ત્યાં જે દેવી પ્રત્યે રાગ હોય છે, તે દેવીઓને સ્પર્શ કરે તો સુખ થઈ જાય છે. પછીના બે દેવલોકમાં માત્ર તેના રૂપનું દર્શન કરે તો સુખ થઈ જાય છે. પછીના બે દેવલોકમાં શબ્દનું સુખ મળે છે. પછીના ચાર દેવલોકમાં મનથી ચિંતન કરે તો સુખ થઇ જાય છે. ઉપર ઉપરના દેવલોકમાં વૈષયિક સુખ ઓછું હોય છે. અને આત્માનું, શાતાનું સુખ વધારે હોય છે. પુદ્ગલો ઉપર ઉપરના દેવલોકમાં ઉચી કુવોલીટીના હોય છે. અને તૃષ્ણા ઓછી હોય છે. રૈવેયકમાં આચાર પાલન રૂપ ધર્મ નથી. છતાં કષાય થતો નથી. પડ્યા રહેવાનું છે. જે ચીજ આપણને જરૂર હોય તેનાથી અધિક મળી જાય તો, તેની ઇચ્છા ન થાય એવું બને ને? અહીં વૈરાગ્ય નથી છતાં આત્મા ત્યાં શુકલલેશ્યાને ટકાવે છે. ઊંચી કોટીના પુદ્ગલોથી જે શાતા મળે છે તેનાથી એટલી બધી શાંતિ મળે છે કે કષાયો શાંત થઈ જાય છે એના બળ ઉપર શુકલ વેશ્યા ટકે છે. અભવ્યને પણ ચારિત્રના પાલનમાં શુકલ લેશ્યા ટકે છે. અને દેવલોકમાં પણ શુકલ વેશ્યા ટકે છે. મનુષ્ય ભવમાં ચારિત્રના બળે વૈષયિક સુખની ઇચ્છા પણ નથી કરતો. દેવલોકના સુખની ઇચ્છા પણ નથી. ચારિત્રના પાલનમાં જ વારંવાર દેવસુખને યાદ કરે તો શુકલ લેયા ન ટકે માટે શુદ્ધ ચારિત્ર પાળે. આચારના પાલનથી થતી તે કષાયોની મંદતાના બળ ઉપર અભવ્ય કાચા પાણીને ન અડે, અગ્નિકાયને ન અડે. નાનો જીવ પણ ન મરે એવી પકાય જીવની રક્ષા કરે તેનાથી વળી કષાય મંદ થાય છે. હવે શૈવેયકમાં આચારપાલન નથી, પણ ઉચી કોટિનો પુણ્યનો ઉદય આવ્યો છે. આ પુણ્યના ઉદયે મળેલી અતિશય શાતાના ઉદયમાં તે કષાયો નથી કરતો અને શુકલ લેશ્યા ટકી રહે છે. મન શાંત રહે છે. અભવ્ય કેટલો ડાહ્યો છે. કષાયો નથી કરતો. તેના બળે શુકલ લેગ્યા ટકે છે. અભવ્યને મોક્ષ જોઇતો નથી, મોક્ષનું સુખ જોઇતું નથી, મોક્ષનું સુખ તેની બુદ્ધિમાં બેસતું નથી, સંસારનું સુખ જ જોઈએ છે. એ નિર્ધાર છે, છતાં ચારિત્રના પાલન વખતે સંસાર સુખ માટેનો એક વિકલ્પ એ કરતો નથી. છતાં તે ડાહ્યો નથી. જ્ઞાની તમને ડાહા કહે છે. કારણકે તમને મોક્ષ જોઇએ છે. એની ઈચ્છા થાય છે. સંસારી જીવને સંસારની સુખેચ્છા થાય છે છતાં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy