SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રવણ વિના પણ ઉત્કટ શુશ્રુષાથી પંદરસો તાપસોને કેવળજ્ઞાન ३४४ ઘરના છે. “કંઇ ન જોઈએ” એ વિકલ્પ સારો છે. એક પણ વિકલ્પ અહં વિનાનો હોય તો તેનામાં ક્ષપકશ્રેણી માંડવાની તાકાત છે. ૧૫૦૦ નો એકજ વિકલ્પ હતો કે કૈલાસનાથને જોવા છે. મેળવવા છે. એ માટે જે કરવું પડે તે કરવું છે. જે છોડવું પડે તે છોડવું છે. પણ દર્શન કર્યા વિના રહેવું નથી. સાચા દિલથી ઘણાં પ્રયત્નો કર્યા પણ ઉપર પહોંચી નથી શકયા, સફળતા ન મળી પણ આ વિકલ્પથી પુણ્ય અને શુદ્ધિ વધી ગયાં છે, ત્યાં ગૌતમ સ્વામિજી મળ્યા. તેઓ સડસડાટ સૂર્યના કિરણોનું આલંબન લઈને ઉપર પહોંચી ગયાં. નીચે પધાર્યા, તેમને જોઈને સૌ આનંદવિભોર બની ગયાં છે તેમના પગ પકડી લીધાં. તમે જેના દર્શન કરીને આવ્યા, તેમના દર્શન અમને કરાવો. અમને તમારા શિષ્યો બનાવો. વાર્તાલાપ કર્યો. પહેલાં પારણું કરો. આ વેષ ઉતારો. વેષ ઉતરાવી પારણું કરાવે છે. ગૌતમસ્વામી ભગવાને કોઈ જ ઉપદેશ આપ્યો નથી. પહેલી ૫૦૦ ની ટૂકડીને ખીર ખાતાં ખાતાં કેવળજ્ઞાન થયું. ભલે શ્રવણ નથી મળ્યું. પણ આ મહાતત્ત્વભૂત ગૌતમસ્વામીજી ગુરુ તરીકે મળ્યા છે એમના ઉપર, એમની લબ્ધિ ઉપર સભાવ વધી ગયો. અપૂર્વ બહુમાન ઉછળ્યું. વીર્ય એટલું ઉલ્લસિત થયું કે શુભભાવની ધારા વધતા વધતા શુદ્ધભાવની પરાકાષ્ઠા પ્રાપ્ત થઇ ને કેવળજ્ઞાન થયું. બીજા પાંચસોને દૂરથી પરમાત્માના સમવસરણને જોતાં, પરમાત્માને જોતાં વીર્ય ઉછળ્યું, અને કેવળી બન્યાં. ત્રીજા ૫૦૦ સમવસરણના પગથીએ વાણી સાંભળતાં કેવળી બને છે. શુશ્રષાના બળે શ્રવણ થતાં જ વીર્ય ઉછળ્યું. અનાસકત યોગમાં ચઢી ગયા. મનોયોગથી સંસાર સાગર તરવાનો છે. જેનો મનોયોગ સુધરી ગયો તેને આત્મવિકાસમાં કોણ અટકાવી શકે તેમ છે? ત્રીજી દષ્ટિમાં આવેલાં જીવો કેવા પ્રકારના ગુણો પ્રાપ્ત કરે છે તે બતાવે છે. અહીં શુશ્રુષા ઉપર વધુ ભાર મુકાય છે તેના વિના આત્મા આગળ વધી શકતો નથી. સતત ભટકતો રહે છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જોડાયેલો રહે છે. અનાદિના સંસ્કારો સતત આત્મામાં પડેલા હોય છે. એટલે ઇન્દ્રિયો સતત ચંચળ અને ઉત્તેજિત રહે છે. તેના કારણે આત્મા ઉપશમરસના આસ્વાદને માણી શકતો નથી. અંદરમાં સ્વચ્છ આનંદની અનુભૂતિ ન થાય તો મોક્ષ પ્રાપ્ત થઈ શકતો નથી. ક્ષયોપશમ ભાવની પરિણતિમાં બાધકતા કષાયોથી છે. તેને દૂર કરવામાં આવે તો જીવ ક્ષાયિકભાવના દર્શન,જ્ઞાન, ચારિત્રની સત્તાને આવિર્ભાવ પમાડી, અનુભવી શકે છે. પણ જીવ કયાં ચૂકે છે? તે સમજો. કષાયની પરિણતિથી ઇન્દ્રિયો ઉત્તેજિત થાય છે અને ઉત્તેજિત થયેલી ઇન્દ્રિયો વૈષયિક સુખ માંગે છે. અને એ પણ રોજ નવું નવું માંગે છે. આ એની અવળચંડાઈ છે. ઇન્દ્રિયોની ઉત્સુકતા જેમ વધારે છે તેમ એ કાબુમાં રહેતી નથી. રોજ નવું નવું માંગે છે. એકનું એક કપડું રોજ પહેરવાનું હોય તો ગમતું નથી રોજ ધોઇને પહેરવાનું હોય તો ય ગમતું નથી રોજ નવા નવાની અભિલાષા જાગે છે તે ઇન્દ્રિયોની ઉત્તેજના છે. પોતાના સ્વરૂપનો આત્માને ખ્યાલ નથી, તેથી અંદરના સુધારસનું આસ્વાદન થઈ શકતું નથી. તો પછી આત્મસુખની Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy