SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદ્દષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ ફસાવાનું નથી, જો ફસાયા તો કેવળજ્ઞાન ન મળે, કેવળજ્ઞાન ન મળે ત્યાં સુધી અટકવાનું નથી. આ બધા ફલેક સ્ટેશન છે. કયાંય અટકવાનું નથી. ઉપયોગને કયાંય ચોંટાડવાનો નથી. વિનાશી વસ્તુ ઉપર ઉપયોગ ચોંટાડવાથી અવિનાશી આત્માનું સ્વરૂપ હણાય છે. સંસારમાં બધી જ વસ્તુઓ વિનાશી છે. બહારનું જે છે તે તો વિનાશી છે પણ આત્માના ક્ષયોપશમભાવો પણ વિનાશી છે. તે સાધક ભાવોમાં પણ કયાંય ચોંટવાનું નથી. મોક્ષમાર્ગે આગળ વધતાં લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. ત્યાં પણ અટકવાનું નથી. તેમાંથી પસાર થવાનું છે. ‘મુકિત સંસાર બિહુ સમ ગણે' આવી અવસ્થા આવે ત્યારે ક્ષપકશ્રેણી મંડાય છે. શરૂઆતમાં મોક્ષ જોઇએ, મોક્ષ જ જોઇએ, એમ ઘુંટવાનું છે. આ ઇચ્છા પ્રબળ થાય, આત્મા તેમાં ભળતો જાય, પછી ભવ-મોક્ષ પ્રત્યે સમ સ્થિતિ પ્રાપ્ત થાય છે. અને પછી ક્ષપકશ્રેણી મંડાય છે. ઉપયોગમાંથી કેટલી બધી આતુરતાને કાઢી નાંખવાની છે ? કયાંય ચોંટવાનું નથી. આપણે તો ઘણા નીચેના સ્તર ઉપર ચોંટ્યા છીએ. આ સૂચવે છે કે બુદ્ધિ ભ્રષ્ટ થઇ છે. તમારા ક૨તાં તિર્યંચોની બુદ્ધિ વધારે ભ્રષ્ટ હોય છે. જેમ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમ તુચ્છ પદાર્થોમાં સુખ અનુભવાય છે. તમને કોઇ વિષ્ટા હાથમાં આપે તો તમે લો ? ડીસમાં આપે તો લો? પછી ચમચીમાં આપે તો લો ? તેની સામું પણ જુઓ ? ના. પેલું ભુંડ ફટાફટ ખાવા મંડી પડે છે. શું કારણ ? જેમ જેમ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ તેમ સંસારના તુચ્છ પદાર્થોમાં આસકિત, સુખબુદ્ધિ વધતી જાય છે. જેમ જેમ બુદ્ધિ સ્વચ્છ બને તેમ તેમ સંસારના તુચ્છ પદાર્થોથી આસકિત નીકળી જાય છે. આપણને મળ મુત્રથી ભરેલા દેહમાં સુખબુદ્ધિ થાય છે. બુદ્ધિભ્રષ્ટતા એ મોટામાં મોટો પાપોદય છે. એની આગળ કેન્સરનો પાપોદય ઓછો છે. નાનો છે. આત્માનો ઉપયોગ પદાર્થ સંબંધી રાગાદિથી મુક્ત થશે તેમ બુદ્ધિ સ્વચ્છ બનશે. મોહનીય કર્મનો હ્રાસ થતાં આજે જે પદાર્થ ઉ૫૨ જેટલો રાગ છે, તે કાલે આછો થશે. બુદ્ધિ સ્વચ્છ થવાથી ગઇકાલે જે આકર્ષણ હતું, તે આજે નહીં થાય, કેમ કે બુદ્ધિની સ્વચ્છતાથી દર્શન મોહનીયનો, મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ થાય છે. બુદ્ધિમાં વધારો એ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે. અને બુદ્ધિમાં સુધા૨ો એ મોહનીય કર્મનો ક્ષયોપશમ છે. ધર્મમાં બુદ્ધિ સુધારવાની જ વાત છે. માત્ર વધારવાની વાત નથી. સુધરેલી બુદ્ધિ પછી જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી વૃદ્ધિ પામે તો તે ઇચ્છનીય છે. મારા કરતાં તમારી બુદ્ધિ સંસા૨ના ક્ષેત્રે ઘણી બધી વધારે છે પણ તે મોહનીયના ઉદયથી મલિન છે, તેથી તે ઇચ્છનીય નથી. ૩૪૧ બુદ્ધિમાં જયારે સુધારો થાય છે. બુદ્ધિ સ્વચ્છ હોય છે ત્યારે જીવનું વર્તન સામી વ્યકિત પ્રત્યે કેવું હોય છે. તે માટે ઉત્તરાઘ્યયન સૂત્રકાર દૃષ્ટાંત આપે છે. એક અક્કા છે તેને દેવદત્તા નામની દીકરી છે તે વેશ્યા છે. તેને ત્યાં અનેક Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy