SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલના દર્શને વૈરાગ્ય કેવી રીતે આવે? उ४० જગતમાં કાર્મણ વર્ગણાનો જથ્થો તો પડેલો જ છે. તેમાંથી જીવે અમુક જથ્થામાં (પ્રદેશોમાં) પ્રકૃતિ, સ્થિતિ અને રસ દાખલ કરી દીધા, આ દ્રવ્યાશ્રવ છે. અને જે ભાવથી નાંખે છે. તે ભાવાશ્રવ છે. અનંતકાળથી આ કર્મબંધ રહેલો છે છતાં મોક્ષે જવાનું છે એ કેમ બને ? જેમ જેમ સ્વરૂપમાં રહો તેમ તેમ સંવર, નિર્જરા વધે અને આશ્રવ ઘટે, આપણું શુશ્રુષા વિનાનું શ્રવણ છે માટે જિનવાણી અસર કરતી નથી. શુશ્રષા એવી જોઇએ કે અંદરથી કર્મની જડને કોચીને કાઢી નાંખે. આવી શુશ્રુષા આવે ત્યારે વૈરાગ્ય દઢ બન્યો કહેવાય. જગતના પદાર્થોની આસકિત, મમત્વ ન નીકળે તો, વૈરાગ્યની ખામી સમજવી, સત્ત્વની ખામી સમજવી. વૈરાગ્ય તીવ્ર બનતાં સર્વ પ્રચંડ બને છે. જગતના પદાર્થનો વિચાર, પરિચય, આસક્તિ નીકળી જતાં આત્મસ્વરૂપ સ્થિરતા પામે છે. જગતના લોકો, ઉત્તેજિત ઇન્દ્રિયો અને ઉત્તેજિત થયેલા મનથી જે ભોગવાય છે તેને સુખ કહે છે. પણ આ અજ્ઞાન છે. આ તો દુઃખનો પ્રતિકાર થયો. એ સુખાભાસ થયો તેનો કાળ અલ્પ છે. વળી તેમાં ઉત્તેજના આકુળતા, વ્યાકુળતા, રાગાદિ, પડેલા છે. અને તે સુખાભાસ પછી દુઃખનો કાળ આવે છે. તે સુખ કરતાં ઘણો મોટો હોય છે. આત્માનો આનંદ શું ચીજ છે? ઇન્દ્રિય અને મનની ઉત્તેજના વિના જે ભોગવાય તે આનંદ છે. તે આત્માનું સ્વરૂપ છે દ્વાતીત છે. આનંદ હોય ત્યાં દુઃખ ન હોય. સુખ દુઃખ એ દ્વન્દમય અવસ્થા છે. એ સંસાર છે. જયાં દ્વૈત ત્યાં દ્વન્દ્ર છે. જયાં દ્વૈત છે. ત્યાં સંધર્ષ છે, દુઃખ છે, પરિભ્રમણ છે, પરિવર્તન છે, અદ્વૈતમાં નિર્ત અવસ્થા હોવાથી આનંદમય અવસ્થા હોય છે. જીવને દ્વૈતમાં દુઃખ દેખાતું નથી આ મૂઢતા છે. નિદ્રામાં તમારી પાસે કોણ છે? મમ્મી, પપ્પા, પત્નિ, પૈસા, પરિવાર છે? પાંચ ઇન્દ્રિયોના ભોગવટાનું ત્યાં એક પણ સુખ નથી અને દુઃખ પણ નથી. ઉપાધિમાંથી જીવ બહાર નીકળ્યો માટે ત્યાં સુખ છે. તમે ઘરમાંથી બહાર કમાવવા માટે જાવ છો ત્યારે તમારે કેટલી મજૂરી કરવી પડે છે? કેટલું રખડવું પડે છે ? ઉપયોગ ઘરમાંથી બહાર નીકળ્યો છે, માટે સંસાર ઉભો રહ્યો છે. આપણો ઉપયોગ કયા કયા નિમિત્તે ક્યાં ક્યાં ઉત્તેજિત થાય છે, તે શોધી લો. સમ્યકત્વ તો મળતાં મળશે. પણ ઇન્દ્રિયો પહેલાં ડાહી બને તે જોવું જરૂરી છે. સુધારસ અને અનાહતનાદ રસનેન્દ્રિય શાંત બને તો અમૃતનો આસ્વાદ મળે. કણેન્દ્રિય શાંત બને તો અંદરથી અનાહત નાદ મળે છે, રસનેન્દ્રિય શાંત બને તો ખાવાની આતુરતા ઘટે છે ત્યારે બ્ર ઘરઘમાંથી રસ નીકળે છે. તે તાળવા ઉપર આવે છે ત્યારે સુધારસ ઝરે છે, ત્યાંથી જીભ ઉપર આવે છે. આ સુધારસના સ્વાદ પાસે જગતના બધા સુખો તુચ્છ છે. આ સુધારસ પણ પૌગલિક છે એમાં પણ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy