SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ સુધારસ અને અનાહતનાદ ૩૪૨ પુરૂષો આવે છે તેમાં એક અચલ સાર્થવાહ છે અતિ શ્રીમંત છે. તે વારંવાર ત્યાં આવે છે વેશ્યાની સાથે સંસારના સુખો ભોગવે છે. મોં માંગ્યા પૈસા આપે છે, પણ છતાં તે તેને હૃદયથી ઇચ્છતી નથી. જયારે આ બાજુ મૂળદેવ નામનો એક બીજો માણસ તેની પાસે આવે છે. પોતે શ્રીમંત નથી, સામાન્ય છે. પણ દેવદત્તા પ્રત્યે તેને અંતરથી પ્રીતિ છે. તેથી દેવદત્તા પણ મૂલદેવને હૃદયથી ચાહે છે. આ બાજુ પેલી અક્કા દેવદત્તાને વારંવાર કહે છે, કે આ મૂલદેવ પાસે કાંઈ ધન નથી. શેરડીના સાંઠામાંથી જેમ રસ નીચોવાઇ જાય છે, તેમ હવે તે ઘન વગરનો થઈ ગયો છે. અને આપણો ધંધો તો પૈસાથી ચાલે, માટે એને છોડી દે, અને આ અચલ અતિશ્રીમંત છે. તેની સાથે સંબંધ રાખ. આમ કહેવા છતાં દેવદત્તા મૂલદેવને છોડવા તૈયાર નથી. અક્કા જયારે વારંવાર આગ્રહ કરે છે ત્યારે દેવદત્તા તેની અક્કાને કહે છે કે તારે જાણવું છે? આ બેમાંથી મને કોણ હૃદયથી ચાહે છે? દેવદત્તાએ બંનેને સમાચાર મોકલ્યા. પોતાને માટે શેરડી મોકલે, અચલને સમાચાર મળતાં જ તેણે પૈસાના જોરે એક ગાડું ભરીને શેરડી મોકલી. જયારે આ બાજુ મૂલદેવને સમાચાર મળતા તેણે સારામાં સારી રસવાળી શેરડી લીધી. હાથે ચપ્પથી છોલી. ટૂકડા કર્યા, એક ડીસમાં મૂકયાં. ઉપર એલચી વિગરે ભભરાવી તેની ઉપર એક રૂમાલ ઢાંકયો, અને પછી એક માણસ દ્વારા મોકલી, કહેવડાવ્યું કે જાવ, દેવદત્તાને કહેજો કે એના પ્રત્યેના અત્યંત રાગના કારણે મૂલદેવે આ શેરડી મોકલી છે તો તેનો ઉપયોગ કરે. આ જોઈ દેવદત્તા એની અક્કાને કહે છે કે લે, જો! આ અચલે મારા માટે આખું ગાડું મોકલ્યું. તો શું હું કાંઇ ઢોર છું કે તેને ખાઉ? જયારે જો ! આ મૂલદેવે મારા પ્રત્યેના રાગના કારણે કેવી રીતે તૈયાર કરીને મોકલી છે? તેવી જ રીતે જયારે શુશ્રષા આવે છે ત્યારે શ્રવણ કોઇ જુદા પ્રકારનું જ થાય છે. કે જેમાંથી આગળ જઈને જીવ તત્ત્વબોધ પામે છે. જયારે શુશ્રુષા નથી હોતી, ત્યારે શ્રવણ એ જીવને વિશેષ ઉપયોગી બનતું નથી. અનિચ્છાએ લીધેલા નિયમથી કમળને લાભ શાસ્ત્રમાં શ્રેષ્ઠિપુત્ર કમળનું દૃષ્ટાંત આવે છે. કમળ દીકરો છે. નાસ્તિક છે. બાપ ધર્મી છે. પિતાની તીવ્ર ઈચ્છા છે કે પુત્ર ધર્મ પામે. ગામમાં મહારાજ સાહેબ આવ્યા છે. અનેક ધર્મ પામે છે. મારો દીકરો કંઈ નહીં પામે? તેની ચિંતા પિતાને છે. આચાર્ય મહારાજ ને કહે છે અને ધર્મ પમાડો. કંઇ કરો. પરલોક હારા જ રા. એકવાર ઉપાશ્રયે લાવે છે. નીચું જોઈને તે સરખી રીતે સાંભળે છે. પેલાને શુશ્રુષા નથી. મહારાજ સાહેબે એક કલાક બોધ વહાવ્યો. બાપ પૂછે છે કેટલું સાંભળ્યું? શું સાંભળ્યું ? મને કંઈ ખબર નથી. તો શું કર્યું? ત્યાં એક દુર હતું, તેમાંથી કેટલી કીડી ગઈ ને કેટલી કીડી આવી તે ગણી, બાપે ગમ ખાધી. બીજી વાર મહારાજ પધાર્યા. વ્યાખ્યાન મોકલ્યો. અને કહ્યું કે હવે ઉંચું જોઈને સાંભળજે. મોઢા સામે જોવાથી સાંભળવાની મજા આવશે. કમળ ! આજે શું સાંભળ્યું ? મેં કંઇ - - - Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy