SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ કાળ શું ચીજ છે. ૩૩૦ એટલે મૃત્યુને અટકાવવા ઈચ્છતાએ જન્મનું વિસર્જન કરવું જોઇએ અને જન્મનું કારણ છે. મોહ, એટલે મોહ ન ગમવો જોઇએ, એટલે નૈૠયિક કાળ ન ગમવો જોઇએ, એટલે ક્રોધાદિ મોહના ભાવો ન ગમવા જોઈએ એ તાત્પર્ય નીકળ્યું. મૃત્યુ જન્મના કારણે છે. જન્મ સાથે મૃત્યુ અવિનાભાવી છે. ત્રણે કાળમાં એવો એક પણ અપવાદ ન મળે કે જે જમ્યો છે અને મર્યો નથી, અને મર્યા પછી ન જન્મનારાના અનેક દ્રષ્ટાંતો મળશે. જન્મ મોહથી છે. શ્રાવકને મૃત્યુ નથી ગમતું એનો અર્થ મોહ નથી ગમતો. બલા દ્રષ્ટિમાં બધી ક્રિયા શાંત સ્વસ્થ ચિત્ત થાય છે. વ્યાખ્યાનમાં બેનો મોડી આવે, પાછી સામાયિક લે અને ૪૮ મીનીટ થાય એટલે પારવા માંડે. એમાં સાંભળવાનું કેટલું જાય છે? પ્રશ્ન : સામાયિકમાં વધારે વાર બેસાય? ઉત્તર : હા, કોઈ વાંધો નથી ? શ્રવણમાં ઉપયોગની એકાકારતાનો લાભ વધારે કે સામાયિકની સંખ્યાનો લાભ વધારે. વ્યાખ્યાન વખતે સામાયિક લઇ વારંવાર ઘડિયાળ જોયા કરે તે સમ્યકત્વાદિ કોઈ શ્રેણી માંડી ન શકે. આખરે દેહનું ભાન ભૂલવાનું છે તે ખ્યાલ હોવો જોઈએ. ધર્મ લોકોને દેખાડવા માટે નથી, ધર્મ લોકોને જણાવવા માટે નથી, અંદરમાં જવા માટે ધર્મ છે. મોડા આવ્યા તો ત્રણ નવકાર ગણી બેસી જાવ તો પણ ચાલે. જિનવાણી ચાલે ત્યાં સુધી ઉઠવું નહીં એવો અભિગ્રહ કરવો. આને શ્રુત સામાયિક કહેવાય. અન્યદર્શનકાર કહે છે કે એક કાળે આ જીવ વિષ્ટાનો કીડો હતો. વિષ્ટામાં સબડતો હતો. વિષ્ટાના ઘરમાં રહેતો હતો. વિષ્ટાના ઓરડામાં રહેતો હતો. આજે મનુષ્ય થયો, હવે એ વિષ્ટાના ઘરમાં જવા તૈયાર નથી. ત્યાં વાળી ઝુડીને સાફ કરો તો ય તે ત્યાં બેસવા કે જમવા તૈયાર નથી. આજે તમારા સંડાસ બાથરૂમ લાખો રૂપિયાનાં હોવા છતાં તમે કોઇ ત્યાં ભાણું માંડવા તૈયાર છો ? મનુષ્ય જન્મ વિદ્યા પામવાનો જન્મ છે, આચારશુદ્ધિનો, વિરતિપાલનનો ભવ છે. આ ભવને પામ્યા પછી હવે અર્થ અને કામ પુરુષાર્થ પાછળ જીવન પસાર કરશો તો ઘણું ગુમાવવાનું થશે. આરબ દેશમાં એક છાપાવાળો ૧૫૦ વર્ષ જીવ્યો. અત્વરાનું કાર્ય લાંબી જીંદગી છે. એક ભાઈએ ૧૧ વર્ષની ઉંમરથી ઘર છોડી દીધું. હાંસોલમાં આશ્રમ હતો. સાધના કરતાં શુદ્ધિ વધવા માંડી, તેનું સાત્વિક જીવન બીજાને પણ શુદ્ધિ આપનારું બની રહેતું. બીજાના માથે હાથ મુકે તો તેમના રોગ શમી જતા. હમણાંજ થોડા વર્ષો પહેલાં ૧૧૬ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. આપણે પણ આપણા જીવનમાં બધી જ પ્રવૃત્તિ શાંત ચિત્તે જ કરવી જોઇએ. શાંતચિત્તથી કરવામાં કંઈ બગડતું નથી. કયાંય ચિંતા નહીં, કયાંય ઉકળાટ નહીં, કયાંય ભય નહીં, ઉતાવળમાં બે ય બગડે છે. શાંતચિત્તે કરીએ તો ઉપશમભાવમાં રહેવાની ટેવ પડે છે અને એક પણ અશુભ સંસ્કાર ન પડે, કયાંય કષાયના સંસ્કાર ન પડે, પાપકર્મ ન બંધાય, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy