SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદ્યષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ ચીનમાં એક સંત થયા. તે બહુ ઓછું બોલે છે. કોઇએ એમને પ્રશ્ન કર્યો કે આપ કેમ ઓછું બોલો છો ? તેમણે કહ્યું જે ઓછું બોલે છે એની જગતમાં કિંમત છે. વધુ બોલે છે. તેની કોઇ કિંમત નથી. જૂઓ ! કૂવામાં દેડકો આખો વખત ડ્રાંઉ ડ્રાંઉ કર્યા કરે છે, તો તેના અવાજની કોઇ કિંમત નથી. અને કૂકડો ફકત સવા૨ે જ બોલે છે. તેની કિંમત ઘણી છે. તેના અવાજે લોકો જાગી જાય છે. હવે સુવાય જ નહીં એવી માન્યતા નક્કી થયેલી છે. તેવી જ રીતે મૌનની કિંમત ઘણી છે. આત્માની પ્રાપ્તિમાં મૌન ઉપયોગી છે. ૩૨૯ જેમને ભવોભવની અસત્ તૃષ્ણાઓ બેઠી છે. તેમની એક ક્રિયા સાચી થતી નથી. તેમને સુખાસન પ્રાપ્ત થતું નથી. અત્વરાપૂર્વક ક્રિયા નથી આવતી, તેમની એક પણ ક્રિયાથી સંસ્કાર ઉભા થતાં નથી કારણ કે મન જોડાતું નથી. આપણો ઉપયોગ બદલાયા કરે છે. ઉપયોગના માધ્યમે કેટલું જાણ્યું અને કેટલુંય ભૂલ્યા ? ઘણું જાણ્યું છે અને ઘણું ભૂલ્યા છીએ. ઘણું ખાધું છે, ઘણી વિષ્ટા થઇ ગઇ. હાથમાં કંઇ ન આવ્યું. મનુષ્ય યોનિમાં જીવની આહાર સંજ્ઞા આપણા આત્માએ ચા૨ે ગતિમાં ભટકતાં મનુષ્યભવમાં આવી માતાનું સ્તનપાન જેટલું કર્યું છે તેને અસત્ કલ્પનાએ ભેગું કરીએ તો સ્વયંભૂરમણ સમુદ્ર પણ વામણો પડે, નાનો લાગે, ખાબોચીયું લાગે એટલા સ્તનપાનના દૂધના પ્રવાહો છે. અને જેટલું ખાધું છે તેનો ઢગલો કરીએ તો અનંતા મેરુપર્વત થાય એટલો મોટો ઢગલો થઇ જાય. છતાં અસત્ તૃષ્ણા ઘટી નથી. સ્તનપાન, આહાર, નિદ્રા હજી કેમ ઉભાં રહ્યાં છે? કારણ કે જીવે તારક ક્રિયામાં મન ભેળવ્યું નથી. જ્ઞાનીઓએ બતાવેલી તારક ક્રિયા કલ્પવેલડી જેવી છે. અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન અપાવે તેવી આ ક્રિયાઓ છે. એક ચિત્તે ક્રિયા કરવાથી ક્ષપકશ્રેણી મંડાઇ શકે છે. કેવળજ્ઞાન મળી શકે છે. અતિમુકતકે ઇરિયાવહિયા જેવી નાની ક્રિયાથી કેવળજ્ઞાન લઇ લીધું, આપણને તો ઇરિયાવહિયાની કિંમત નથી. તેની કિંમત આપણે સામાન્ય આંકીએ છીએ, તેથી જેમ તેમ પતાવીએ છીએ. કાળ શું ચીજ છે ? સભા ઃ આ જીવને કાળ નડે છે. ઉત્તર ઃ કાળ શું ચીજ છે ? કોને નડે છે ? કોને સહાય કરે છે ? સિદ્ધોને કાળ જ નથી. નિદ્રામાં જેમ કાળ નથી તેમ સિદ્ધાવસ્થામાં પણ કાળ નથી. કાળ તત્ત્વ આપણા જેવા સંસારીને નડે છે. કાળનો નાશ કરવો હશે તો મોહનો નાશ કરવો પડશે. મોહ નૈૠયિક કાળ છે. આપણા મતિજ્ઞાનના ઉપયોગમાં લાગણી, ઇચ્છા, ઉત્સુકતા આવેશ, વિ. મોહના ભાવો ભળ્યા છે. તે નૈૠયિક કાળ છે. આ નૈૠયિક કાળ નવા નવા રૂપો આપે છે. કાળ જન્મ મરણ ઉભા રાખે છે. તમને મરવું નથી ગમતું એનો અર્થ જીવને જન્મ પણ ન ગમવો જોઇએ. ખાતસ્ય ફ્રિ ધ્રુવં મૃત્યુઃ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy