SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજી બલા દૃષ્ટિમાં ત્વરાના અભાવ ૩૨૮ अत्वरापूर्वकं सर्व, गमनं कृत्यमेव वा । प्रणिधानसमायुक्तमपायपरिहारतः ।। ५१ ।। ત્રીજી બલા દષ્ટિમાં ત્વરાનો અભાવ અહીં મંદિર જવું, ઉપાશ્રયે જવું, ઘરે જવું, ધંધે જવું વિગેરે બધી ક્રિયામાં ઉતાવળ નથી હોતી. જે કાંઈ કરે છે તે શાંત, સ્વસ્થ ચિત્તે કરે છે. ધર્મ કિયા પ્રણિધાનપૂર્વક, શાંતચિત્ત કરે છે. પૂજા, જિનવાણી વખતે મન તેમાં જોડાયેલું રહે છે. ત્વરા નિકળી ગઈ છે. ચિત્ત શાંત બન્યું છે, સ્વસ્થ બન્યું છે. મન તેમાં અર્પિત થઈ જાય છે. ક્રિયા બહારથી રહે અને મન બાજુ પર રહે એવું નથી થતું. કોઈ પણ કિયા ઉતાવળથી કરો તેમાં નુકસાન શું? એ શાંતિથી કરો તેમાં ફાયદો શું? ઝટપટ ક્રિયા પતાવી દેવામાં આ દૃષ્ટિનો અભાવ સૂચિત થાય છે. ક્રિયા, ક્રિયા ખાતર છે કે કિયા ભાવ ખાતર છે ? દોઢ કલાકમાં છ ના બદલે આઠ કિલોમીટર ચાલવું એ ડહાપણ છે કે શાંતચિત્તે ચાલવામાં ડહાપણ છે? ભાવ વિનાની ક્રિયા આગળ વધારી ન શકે. બહુ ઉતાવળે ક્રિયા કરો તો ભાવ ઉલ્લાસ ન થાય, શ્વાસોચ્છવાસ વધી જાય, ગતિ વધી જાય અને આયુષ્ય વહેલું પુરું થઈ જાય. સુખેથી જીવવું છે? શાંતિથી જીવવું છે? લાંબુ જીવવું છે કે વહેલું મરવું છે? વાણી, વિચાર, વર્તન એકે કિયામાં ઉતાવળ ન જોઈએ. ત્રણે યોગની સાધનામાંથી ત્વરા નીકળી ગયેલી જોઈએ. ઝડપી ક્રિયા કરવાથી શ્વાસોચ્છવાસ ઝડપી ચાલે છે. યોગીઓ શ્વાસોચ્છવાસ પર જીવન મૂકે છે. આત્માએ બધી ચીજમાં શાંત-પ્રશાંત બનવું જોઈએ. જરૂર ન હોય તો લાગણી પ્રધાન બનવાનું નથી. આવેશ પણ કરવાનો નથી. ભાવાવેશમાં પણ આવવાનું નથી. તો શું કરવાનું છે? શાંત, પ્રશાંત બનવાનું છે. શાંત ચિત્તે, સ્વસ્થ ચિત્તે બધી ક્રિયા કરવાની છે. અધ્યાત્મનો માર્ગ જ જુદો છે. સ્વરૂપની નિકટ, નિકટતર, નિકટતમ રહેવાનું છે. હિમાલયમાં સૌથી ઉપર ગૌમુખ છે. ત્યાં યોગીઓ છ- છ મહિના ઉપર રહે છે. કયારેક હરદ્વાર કે ગંગોત્રીમાં આવે છે. ત્યાં એકસોવીસ વર્ષના યોગીઓ પણ હોય છે. સામાન્યથી યોગીઓનું આયુષ્ય મોટું હોય છે. કારણ કે જીવન તૃષ્ણા વિનાનું, અહંકાર વિનાનું, પરિચય વિનાનું, અતિશય શાંત હોય છે. તેથી સહજ રીતે આયુષ્ય વધતું હોય છે. અહીંથી ઘણા માણસો તેમના દર્શનાર્થે જાય છે. ત્યાં તેઓને બધા દર્શનશાસ્ત્રોની કેળવણી આપવામાં આવે છે. તમારો શ્રી નવકાર મંત્ર પણ એવો બોલી બતાવે કે આનંદ આવે. પણ ગૌમુખમાં તો તેઓ મૌન જ રહે. ગંગોત્રીમાં આવે તો લોકોના પરિચયમાં આવી શકે. જગતની સાથે સંબંધ તૂટે તો પરમાત્મા સાથે સંબંધ જોડાય છે. પરમાત્મા સાથે સંબંધ બાંધવો હશે તો જગતની સાથેનો સંબંધ તોડવો પડશે. પરમાત્મા સાથે સંબંધ જોડવાનું લક્ષ્ય નથી, માટે જ દિવસમાં બે પાંચ કલાક મૌન કરી શકતા નથી, એકાંતમાં જતાં નથી. સ્વરૂપની વિચારણા નથી, માટે બોલ્યા વિના ચાલતું નથી. હકીકતમાં મૌનની સાધના કરવાની છે. મૌન એ આત્માની વાણી છે. મૌનના માધ્યમે આત્માની નજીક જવાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy