SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૈષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ ૩૨૭ ક૨વાનો છે. દશ્ય જગત બાધક નથી. દૃષ્ટિને સુધારી લો. પછી જીવનની જરૂરિયાત તો મળી જ રહે છે. જીવનમાં અસત્ તૃષ્ણા સહજ રીતે જેને નથી ઉઠતી. તે આત્મા પોતાના અનુષ્ઠાનમાં સ્થિરતાપૂર્વક આગળ વધી શકે છે. અસતૃષ્ણા ન ઉઠવામાં જીવ પાસે સમાધાન કરવાની કળા હોવી જોઈએ. જ્ઞાનદૃષ્ટિ, સમાધાનનૈષ્ટિ, વિવેકદૃષ્ટિ નથી માટે અસત્ તૃષ્ણાઓ ઉભી થાય છે. કોઈનો બંગલો જુઓ એટલે મન એમાં ચોંટી જાય છે ને મેળવવાના પ્રયત્ન સુધી પહોંચે છે. કા૨ણ સમાધાન દૃષ્ટિ નથી. શ્રેણિક માલિક છે. શાલિભદ્ર પ્રજાજન છે. સંસારના સુખના પદાર્થો શ્રેણિક ક૨તાં શાલિભદ્ર પાસે ઊંચા છે, છતાં શ્રેણિકને ઈર્ષ્યા નથી આવતી. કારણ કે તેની પાસે જ્ઞાનદૃષ્ટિ છે. સમાધાનની કળા છે. તે સમજે છે કે પુણ્યના અનેક પ્રકારો હોય છે. મારી પાસે સત્તાનું પુણ્ય છે. એની પાસે ભોગપુણ્ય છે. બધાને એકસરખું પુણ્ય હોય નહી. કલિકાલમાં બધા પુણ્યના ઉદયથી કોઈ આત્મા પૂર્ણ નથી. એક પુણ્ય હશે તો બીજા પુણ્યની ખામી હશે જ, આ કલિકાલ છે. બજા૨માં ગયા પછી ખીસામાં પૈસા હોય તે પ્રમાણે જ માલ મળે છે. તેમ ભવના બજારમાં પુણ્યની મુડી પ્રમાણે જ માલ મળે છે. પુણ્ય ઓછું હોય અને અધિકની ઈચ્છા કરીએ તો કેમ ચાલે ? तदभावाच्च स्थितमेव सुखासनम् । તૃષ્ણા ગઈ એટલે પરિભ્રમણ ગયું અને પરિભ્રમણ ગયું એટલે સુખાસન આવ્યું. તૃષ્ણા ગઈ એટલે ભટકવાનું ગયું. જો અમદાવાદમાં તમે ભટકો છો તો તમારી તૃષ્ણા અપેક્ષાએ ઓછી થઈ છે. કેટલાક હિન્દુસ્તાનમાં ભટકે છે તો તેની તૃષ્ણા વધારે છે. અને કેટલાક તો વળી પરદેશમાં ભટકે છે તો તેની તૃષ્ણા સૌથી વધારે જણાય છે. તૃષ્ણા ગયા પછી પરિભ્રમણ રહેતું નથી. જો સુખાસન લાવવું હશે તો પરિભ્રમણ અટકાવવું પડશે. પરિભ્રમણ અટકાવવું હશે તો તૃષ્ણાને અટકાવવી પડશે. તૃષ્ણા અટકશે તો જ પરિભ્રમણ અટકશે અને પરિભ્રમણ અટક્યા વિના સુખાસન ચાંથી પ્રાપ્ત થશે ? અંદરથી તૃષ્ણા ગઈ એટલે સુખાસન આવે છે. પહેલા એક કાળ એવો હતો કે શ્રી જિનવાણી સાંભળવા જાય, ગમી જાય, તો દોઢ -બે કલાક બેસી જતાં કેમ ? બન્નેને સુખાસન હતું. ત્યાં ઘડીયાળ જોવાનું ન હતું. એક કાલે લોકો તીર્થયાત્રા કરવા જતાં હતાં તો દિવસ નક્કી કરીને તો જતાં હતાં પણ પાછા આવવાનો દિવસ નક્કી ન કરતાં. પાંચ દિવસ માટે ગયેલા પચ્ચીસ દિવસ પણ રહી જતા. ત્યાં ગયા પછી જેવા ભાવ. આજે ઉઠવાનો, પાછા ફરવાનો સમય નક્કી કરીને બેસીએ છીએ. વ્યાખ્યાન સાંભળતાં જે ઘડીયાળ જોયા કરે તે બરોબર છે ? અહીંયા પણ સુખાસન નથી. અંદ૨માં પરિભ્રમણ ચાલુ છે. સંસારનો બધો કચરો લઈને આવો છો, શાંતિ નથી. સ્થિરતા નથી. તેને કઈ રીતે તત્ત્વ પ્રાપ્ત થાય ? અહીં અત્વરા પૂર્વક સર્વમ્-સઘળું હોય છે, કારણ કે આ દૃષ્ટિમાંથી અસત્ તૃષ્ણા ગઈ છે, અને સુખાસન આવ્યું છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy