SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટિ જગત અને દશ્ય જગત ૩૨૬ દષ્ટિ જગત અને દશ્ય જગત ઘાતી અને અઘાતી બે ય કર્મ છે. ઘાતીનું પણ એક જગત ઉભું થાય છે, અઘાતી પણ એક જગત ઉભું કરે છે. અઘાતીમાં જીવ ફસાય છે માટે ઘાતી ઉભા થાય છે. આત્માના સ્વરૂપને હણે તે ઘાતી, આત્માના સ્વરૂપ ઉપર કોઈ અસર ન કરે તે અઘાતી કર્મ છે. તેરમે ગુણસ્થાનકે ઘાતી કર્મો સંપૂર્ણ નાશ પામ્યા છે ત્યાં (૧) કેવળજ્ઞાન છે (૨) આત્મપ્રદેશો છે (૩) દારિક શરીર છે. (૪) અઘાતીનો ઉદય છે. આ ચારે વસ્તુ તેરમે ગુણસ્થાનકે એક ક્ષેત્રે રહેલી જોવા મળે છે. જ્યાં કેવળજ્ઞાન છે ત્યાં જ અઘાતીનો ઉદય છે. છતાં એ અઘાતીનો ઉદય કેવળજ્ઞાનને કોઈ અસર કરી શકતું નથી. કેમ? આત્મસ્વરૂપને નુકસાન કરવાની તાકાત અઘાતીમાં નથી. બાહ્ય, દશ્ય જગત ઉભું કરવાનું કામ અઘાતીનું છે. તમને કર્મના ઉદયે ફલેટ, બંગલા, ગાડી, લાડી, ફર્નીચર, વેપાર-ધંધો વગેરે મળ્યું છે. તેમાં આસકત થાવ છો. માટે ઘાતી કર્મો બંધાય છે. કર્મોના ઉદયને દવાના નથી. પણ સ્વરૂપને વેરવાનું છે. અને એકક્ષેત્રે છે. જ્યાં આનંદ છે ત્યાં જ કર્મ છે. પણ ઉપયોગના માધ્યમે કર્મને વેદવા જઈશું તો જીવને ઘાતી બંધાશે. જો શાતા-અશાતા વેદવા રહ્યા તો સ્વરૂપનો આનંદ નહીં વેદાય, પુય-પાપના ઉદયે જે દશ્ય સર્જાય છે તેમાં જીવ ઉપયોગ ભેળવે છે. તેમાં ઓળધોળ થઈ જાય છે. માટે સુખ, દુઃખ વેદાય છે. જ્યાં સુખ, દુ:ખ વેદાય છે ત્યાં ઘાતી કર્મો બંધાય છે. અઘાતીના ઉદયનું વેદન થાય તેથી ઘાતી કર્મો બંધાય છે. અઘાતીના ઉદયકાળે ઉપયોગને સમ બનાવે તો ઘાતી ન બંધાય. અઘાતીના ઉદયમાં ઉપયોગ સમ કોને હોય ? આ જગતમાં બધી પુદ્ગલની રચના છે, તેમાં સારું ખોટું કરીએ તે સ્વરૂપ નથી, સ્વભાવ નથી. આવું વિચારીએ તો ઉપયોગ સમ બની શકે. અધાતીના ઉદયમાં જે સમ બનતો નથી. તે આત્મા ઘાતી કર્મ બાંધે છે. ને જગત ઉભું કરે છે. ઘાતી કર્મના ઉદયે ઉભું થતું જગત તે દૃષ્ટિ જગત છે. તેનો લોપ થઈ શકે. અઘાતી કર્મોના ઉદયે ઉભું થતું જગત તે દૃશ્ય જગત છે. દષ્ટિજગતના નાશ માટે મહેનત કરવાની છે. કેવળજ્ઞાનીએ ઘાતી કર્મનો નાશ કર્યો માટે દૃષ્ટિ જગત જતું રહ્યું છે. દષ્ટિ જગતનો નાશ થયો એટલે શું થયું? દૃષ્ટિ દ્રષ્ટામાં ભળી ગઈ, સમાઈ ગઈ. જેમ નદી સમુદ્રમાં ભળી જાય તેમ દષ્ટિ દ્રષ્ટામાં ભળી ગઈ, કેવળજ્ઞાનરૂપી દરિયામાં ભળી ગઈ. દષ્ટિજગત કયાં સુધી રહેશે? અઘાતીના ઉદયમાં સમ ન બનો ત્યાં સુધી દષ્ટિ જગત રહેશે. અઘાતીના ઉદયમાં સમ બની ગયા પછી દૃષ્ટિ જગત ઉભું ન રહે. આત્માને ભવોભવ નડતર રૂપ દશ્ય જગતનો નાશ કોઈ કરી શકતું નથી. કાળક્રમે એનું પરિવર્તન ચાલું જ છે. એ પરિવર્તનને અટકાવવાની તાકાત કોઈનામાં નથી. આ પરિવર્તનને અટકાવવાની તાકાત ખુદ શ્રી તીર્થકર ભગવાન કે ચક્રવર્તી પાસે નથી. દૃષ્ટિ જગતનો નાશ કરી શકાય છે. તે તાકાત આપણામાં છે અને આ દષ્ટિ જગતનો નાશ કરવા માટે પુરૂષાર્થ કરવાનો છે. દશ્ય જગતના કારણે ઉભા થતા દૃષ્ટિ જગતનો નાશ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy