SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૫ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ - - કેમ ન આવ્યું? શેઠે કહ્યું કે એ તો રાજાએ સુલેહ કરી દીધી. હજામની વખારમાં નાંખેલો તાંદલજો કોહવાઈ ગયો. સફાઈના પૈસા માથે પડવા. જેનું કામ તે કરે. અસુત્ તૃષ્ણાથી જીવ અવિવેકી બને છે. જીવ ખરેખર ધર્મ પામવા ઈચ્છતો હોય તો આ વસ્તુ સમજવા જેવી છે. ઓઘ દૃષ્ટિમાં અસત્ તૃષ્ણા સતત ચાલુ હતી. વ્યાપક હતી. ઘટાડી શકાતી ન હતી. તેનું જોર ખૂબ જ હતું. તે ખસેડી શકાતી ન હતી. પહેલી બે દૃષ્ટિમાં અસત્ તૃષ્ણાનું જોર ઘટયું હતું પણ ખસી ન હતી. ત્યાં યોગનો પ્રકાશ મળવા છતાં, અંધકાર નાશ પામવા છતાં કિરણ જ માત્ર ફુટ્યાં. તેથી અસત્ તૃષ્ણાનો નાશ થતો નથી. નિષ્ફળ વિચારોથી મન માયકાંગલું, કંગાળ બને છે. જેનાથી જીવ તત્ત્વવિચારણા કરવાની શક્તિ ખોઈ બેસે છે. નિષ્ફળ વિચારોથી મનની શક્તિ હણાય છે. અધ્યાત્મના માર્ગે મનની તંદુરસ્તી પ્રાપ્ત થાય છે. વિનાશી પદાર્થો જોયા પછી તેના નુકસાન ઉપર કેટલા ખરાબ વિચારો આવે છે ? દા.ત. છાપાં વાંચ્યા પછી રાજનેતાઓને પાંચ-પચ્ચીસ ગાળ દઈ દો છો ! આ બધા લુચ્ચા છે. આવા છે, તેવા છે. મનને સત્વહીન માયકાંગલુ બનાવવાનું કામ છે કે બીજું કાંઈ? તમારી ગાળ એને પહોંચે છે? માનો કે પહોંચતી હોય તો તે સુધરે છે? જે વાત આપણા હાથમાં નથી તેના ઉપર આપણે મન બગાડીએ છીએ, તેનું નુકસાન આપણને છે. મન તત્ત્વચિંતન માટે છે. મનુષ્યભવની તત્ત્વચિંતનની પ્રત્યેક પળ હાથમાંથી સરકી રહી છે. અસત્ તૃષ્ણાના કારણે જીવ તત્ત્વચિંતન ગુમાવે છે. એક મહાપુરુષ કહે છે, આખું જગત સોનાનું થાય પણ તેમાં અમને શું છે? તેમાં આત્માને કંઈ લાભ ખરો? હે ભાઈ ! જગતની સાથેનો સંબંધ પરમાત્મા થવામાં બાધક છે. જગતની સાથે જેટલો સંબંધ જોડશું તેટલો વિલંબ પરમાત્મા જોડે સંબંધ બાંધવામાં થશે. - વિવેક વિનાની ક્રિયા લોકમાં હાંસીપાત્ર બને છે. એક માણસને પોતાની પત્ની ઉપર રાગ છે. એને હીરા મોતી વિગેરે પહેરાવીને, જોઈને ખુશ થાય છે કે મારી પત્ની કેવી સુંદર છે? પણ એને ખબર છે કે અંદરમાં ટી.બી. થયો છે તો પહેલા ટી.બી. દૂર કરાય કે શણગાર પહેલા કરાય? જીવને આ ખબર જ નથી કે મને અનાદિકાળથી મોહનો ટી.બી. વળગ્યો છે. હું જે કરું છું તેનાથી મારો ટી.બી. ઘટે છે કે નહીં? તે જાત તપાસ વિના જીવ અધ્યાત્મને પામી શકતો નથી. જો અંતરતપાસ ન કરશો તો ગાયને દોહીને કૂતરીને પાવા જેવું થશે. આપણી બધી પ્રવૃત્તિ આજે આવી છે. જરા પણ અંદરનો મોહ તૂટતો નથી. આ મોહનો નાશ કેટલો દુષ્કર છે. જીંદગીની જીંદગી એની પાછળ હોમી દઈએ, જીવનની પ્રત્યેક ક્ષણો એની પાછળ લગાડી દઈએ ત્યારે જીવનની કોઈક ધન્ય પળે મોહનો નાશ થઈ શકે છે. સમ્યકત્વ, વિરતિ પામી શકાય છે. મારું ભાગ્ય કેવું છે? ભવિતવ્યતા કેવી છે? તેનો વિચાર મનુષ્ય જીવનમાં કરવાનો નથી. એ બધા વિચારો પડતાં મુકીને પણ મારે ભગવાન કેમ થવાય? આ વિચાર સતત આવવો જરૂરી છે. આ વિચાર જ મોહને ઉખેડી નાંખશે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy