SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ માનવભવ આત્માની સાથે એપોઈન્ટમેન્ટ કરવા માટે છે. ૩૨૪ જે તૃષ્ણાને કાપે છે, ગુણસંપન્ન, પ્રામાણિક અને સજજન બને છે તે આગળ યોગ પામીને અંતે મોક્ષને પામી શકે છે. યોગની ત્રીજી દૃષ્ટિ પામવા માટેનો સૌથી મોટો ગુણ આ છે. એના પાયા ઉપર જ આસન અને શુશ્રુષા આવશે. તત્ત્વ શુશ્રષાથી જ અસત્ તૃષ્ણા કાપવી હોય તો આત્મજ્ઞાનના બળ ઉપર નીકળશે. શુદ્ધ નયના સ્વરૂપને ઘૂંટ્યા કરો, શુદ્ધનયનું સ્વરૂપ ચોવીસે કલાક યાદ આવ્યા કરે તેની અસતુ તૃષ્ણા નીકળશે. અને પછી સત્ તૃષ્ણા પણ ઘટતી જશે. એકલા આચાર પાલનથી તૃષ્ણા નહીં નીકળે આચારમાર્ગનું પાલન પણ શુદ્ધ નયના વિકલ્પ માટે છે માટે બને જોઈશે. એમાંથી એક પણ ન હોય તો ન ચાલે. માનવભવ આત્માની સાથે એપોઇન્ટમેન્ટ કરવા માટે છે. આત્માના વિકાસ મને પ્રાપ્ત કરતાં આત્મા આગળ વધે છે ત્યારે કેવા પ્રકારના ગુણો પ્રાપ્ત કરે છે. તે સમજાવે છે. મનની, ઉપયોગની, કાયાની ચંચળતા ઓછી થતાં ત્રીજી દૃષ્ટિમાં સુખાસન પ્રાપ્ત થાય છે. તેના પ્રભાવે જીવ સાધના માટે લાંબાકાળ સુધી એક જ આસનમાં બેસી શકે છે. અહીં આજીવિકા માટેની જરૂરી ઈચ્છા = સત્ તૃષ્ણા હોય છે. અને તેનાથી વધુ ઈચ્છા રૂપ અસત્ તૃષ્ણા સ્વભાવથી જ અહીં હોતી નથી. તમે અહીં સુધી આવ્યા છો? આવવું છે? તો વિચારો કે મારે શા માટે આટલી બધી ચીજની જરૂર છે? જે મળ્યું છે તે ઘણું છે, અધિક છે. પોતાના આત્માને પૂછો, મનને પૂછો. સતત ચેકીંગ કરો. આત્મા જોડે મૂલાકાત ગોઠવો. appointment with self તો જણાશે કે આ બધી ઈચ્છાઓ ખોટી થઈ રહી છે. પોતે જાતે જ આત્માનું અનુશાસન કરવાનું છે. આ ઈચ્છાઓ ચૈતન્ય સ્વરૂપને કોરી નાંખે છે. અસત્ તૃષ્ણા આત્મસ્વરૂપને, આત્મપ્રદેશોને ઉધઈના કીડાની જેમ કોરી ખાય છે. અસતુ તૃષ્ણા જીવને આત્મસ્વરૂપ ઓળખવા દેતી નથી. પુયાઈ અને યોગ્યતાથી અધિક ઈચ્છા કરવી એ અસત્ તૃષ્ણા છે. અસતુ તૃષ્ણાથી થતા નુકસાન એક હજામ છે. શેઠને ત્યાં પગચંપી કરવા જાય છે. શેઠ તો ગાદી તકીયા ઉપર બેઠા હોય, મોટા મોટા ઘણા દલાલો, વેપારીઓ આવતાં હોય અને શેઠ બેઠા બેઠા લાખોના સોદા કરે, હજામ રોજ આ જુએ છે અને તેને મન થાય છે કે આપણે પણ આવી રીતે લાખો રૂપિયા કમાઈ લઈએ તો કેવું સારું? શેઠને કહે છે કે મને ધંધો કરાવોને ! શેઠ કહે આ તારું કામ નથી. તું તારા સ્થાને બરોબર છે. તો પણ તે કહે ના, ના, એ તો હું મોટો ધંધો કરીને તમને પણ બતાવી દઉં! શેઠ કહે જે સ્થાને જે હોય ત્યાં રહેવું ઠીક છે. છતાંય તેણે જીદ પકડી. શેઠ વિચારે છે અને પાઠ ભણાવવો પડશે. શેઠ દલાલને બધું શીખવાડી દીધું. એક દિવસ શેઠ કહે છે, સૈન્ય ચઢી આવવાનું છે તાંદલજાના ભાવો ખૂબ વધી જશે આ સાંભળી ઓછી બુદ્ધિવાળા હજામે બધી મૂડી તાંદલજામાં રોકી દીધી. હજામ રોજ પૂછે છે, હજી સૈન્ય Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy