SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ અસત્ તૃષ્ણા અને તત્ત્વની ગરજ બંને પરસ્પર વિરોધી છે. શુદ્ઘનય દીપિકા મુકિતમારગ ભણી, શુદ્ઘનય આથિ છે સાધુને આપણી” ૩૨૦ ૩૫૦ ગાથા સ્તવન. શુદ્ઘનયને અવલંબીને કરાતું ધ્યાન તેને જ હંમેશા પરિણામ પામે છે કે જેના હૃદયમાં શુદ્ધ વ્યવહા૨ ૨મે છે. જ્ઞાનીઓએ બતાવેલ પંચાચારનું અણીશુદ્ધ પાલન, ગુરુ પ્રત્યે આદ૨, બહુમાન, ભકિત અને ગુર્વાશા પારતંત્ર્ય એ શુદ્ધ વ્યવહાર છે. આવા આત્મા માટે શુદ્ધ નય અર્થાત્ નિશ્ચયનયના વિકલ્પોનું (હું શુદ્ધ છું. બુદ્ધ છું, નિરંજન છું, નિરાકાર છું, સત્-ચિત્ આનંદ સ્વરૂપ છું, અબઘ્ધ છું ) આલંબન એ મોક્ષમાર્ગે આગળ વધવા માટે દીપક સમાન છે અને મોક્ષમાર્ગના પ્રવાસીને માટે ' આ શુદ્ઘનયના વિકલ્પો એ આથિ અર્થાત્ ભાતું છે. જેમ ઇષ્ટસ્થાને પહોંચવા ઇચ્છતા પ્રવાસીને પ્રવાસ ક૨વો પડે છે. તે વખતે સાથે રાખેલ ભાતું આગળ વધવા સહાયક થાય છે. તેમ શુદ્ધ નયના વિકલ્પો મોક્ષમાર્ગે આગળ વધવા ભાતાની ગરજ સારે છે. મોક્ષ માર્ગના સાધક એવા આપણી પાસે શુદ્ધ નયના વિકલ્પો નથી એ મોટું દુર્ભાગ્ય સમજવું. ચોવીસે કલાક પરમાત્માનું સ્વરૂપ ઓળખાયા કરે, ભેદજ્ઞાન વધતું જાય તો સાધના બની રહે. નિશ્ચયદૃષ્ટિ વિના સંસાર સાગર કેવી રીતે તરી શકાશે ? જુદી જુદી રીતે શુદ્ધ નયના વિકલ્પો સતત ઘુંટાવા જોઇએ. હું આ છું, હું આ નથી. હું આ છું, હું આ નથી, ઔદયિક ભાવ એ મારું સ્વરૂપ નથી તેમાંથી પસાર થવાનું છે. ક્ષાયિક ભાવ એ મારી મુડી છે. આ પ્રમાણે સતત વિચારો ઘૂંટાયા ક૨વા જોઇએ. આજે ઊપવાસ કરનાર, આત્માને તો યાદ જ નથી કરતો એ કેવી રીતે ચાલે ? બહારથી ઉપવાસ છે, અંદરથી સંસાર છે, એ કેવી રીતે ચાલે ? આપણી પાસે તત્વનો બોધજ નથી તે આ કલિકાલના જીવોનું ૫૨મ દુર્ભાગ્ય છે. આપણે તત્ત્વને સમજતા નથી. યાદ કરતા નથી, હું કોણ છું ? મારું સ્વરૂપ શું છે ? એને ઘૂંટતા નથી. આ ત્રણ સ્ટેપ વગર મોહ નીકળી નહિ શકે. આટલું વ્યાખ્યાન સાંભળ્યા પછી ધર્મ કરનારો જીવ લગ્નાદિ પ્રસંગોમાં પાગલ થઇને ફરે તો તે શું વ્યાજબી છે ? જાણે તત્ત્વ સમજયો જ નથી એમ લાગે. જીવ જયાં જાય ત્યાં તેવો થઇ જાય છે. એ તેની મોટામાં મોટી નબળી કડી છે એ બતાવે છે કે જીવને એનું શુદ્ધ સ્વરૂપ ખબર નથી, યાદ નથી, ઘુંટાયું નથી માટે આવું થાય છે. સંસારનો ર્યાય એ મારો વાસ્તવિક પર્યાય નથી, એ વાતને જીવનમાં વણી લો. તમારી વાત શું કરું ? આજે ઢગલાબંધ સાધુઓ છે જેને નિશ્ચયની દૃષ્ટિ નથી. બહારની જ આળ પંપાળમાં રહે છે. બાહ્યમાં જ એટલો બધો ધર્મ દેખાય છે, કે જેથી અંદર ઉતરવાની હવે શકિત નથી, ઇચ્છા નથી, રૂચિ નથી. ૩૫૦ ગાથાના સ્તવનમાં સોળમી ઢાળ માં શુદ્ઘનયને સકળ ગણિપિટકનો સાર કહ્યો છે. શુદ્ધત્તયના વિકલ્પો ચોવીસ કલાક જોઇએ. જીવનમાં જેટલી આચારમાર્ગની જરૂર છે તેટલી નિશ્ચયની વાતોની પણ જરૂર છે. નિશ્ચયની વાતો હીરા જેવી છે તો આચાર પાલન વીંટી જેવું છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy