SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ સુવર્ણસિદ્ધિના ધન કરતા સંતોષધન ચઢિયાતું છે. ૩૧૮ દો. શું કામ છે ? બીજો દિકરો કહે છે. બાપાજી ! ભાગ વહેચી આપો. ત્રીજો દિકરો કહે છે. મારા હજી લગન બાકી છે તેનું શું? આપણે જે ઘનમાં સુખ માન્યું છે તે ધન કેવા પ્રકારનું આવે તો સુખ મળે? આ ધને તો નિદ્રા હરામ કરી નાખી, મન ખરાબ કરી દીધું, પરસ્પરનો પ્રેમનાશ કર્યો, શાંતિ ગુમાવી દીધી. કુમારપાળ : ગુરુદેવ ! આવું વ્યકિતગત વિષયમાં બની શકે છે. પણ સમષ્ટિગત લાભ જરૂર થઇ શકે છે. ગુર : હવે એમ કરો જયાં રાજમાર્ગ હોય, ચાર રસ્તા હોય ત્યાં દસ મણ સોનું લઈ જાવ. કોઈ યાચક આવે તેને દાન આપો. ૩ દિવસમાં કીર્તિ ફેલાઈ ગઈ. નામના ગવાણી. બધા એક જ વાત કરે છે કે રાજાને સુવર્ણસિદ્ધિ મળી ગઈ લાગે છે. માટે રોજ આટલું દાન આપે છે. આનાથી એક તરફ પ્રજામાં વિગ્રહ ઉપડ્યો છે. આ સુવર્ણસિદ્ધિ આપણને કેમ ન મળે ? આજુબાજુના રાજયમાં વાત ફેલાઇ ગઇ. એક, બે, ત્રણ રાજયના સૈન્યો એકી સાથે ચઢી આવ્યા. બધા ભેગા થઇને વિચારે છે કે રાજા આપણને સુવર્ણસિદ્ધિ કોઈ રીતે નહીં આપે એના કરતાં તેના ગુરુ કે જેની પાસે સુવર્ણસિદ્ધિ છે તેને જ મારી નાખીએ એટલે સીધી સુવર્ણસિદ્ધિ મળી જાય. કુમારપાળને ખબર પડી અને વિચારે છે. આ સિદ્ધિ મેળવવા માટે શત્રનું સૈન્ય આવી જાય એ બને પણ સિદ્ધિ જેનાથી પામ્યો છું તેને પણ મારી નાંખવા સુધીની બધાની તૈયારી છે. એ કેવી રીતે સહન થાય? કેવી સ્વાર્થોધતા !! રાજા ગુરુ પાસે આવ્યા, કહે છે ભગવન્! આપ કહો છો તે બરાબર છે. સુવર્ણસિદ્ધિ નકામી છે કેમ? તો પ્રજામાં મોટો વિગ્રહ ઉપડ્યો છે અને આજુબાજુના મિત્ર દેશો પણ વિગ્રહ કરવા ઉભા થયા છે અને આટલી હદ સુધીની વાત છે મારે આ સુવર્ણસિદ્ધિ જોઇતી નથી. ગુરુ : રાજન્ ! જગતના જીવોને સુખી કરવા હોય તો તમે તમારી પ્રજાને સદાચારને માર્ગે વાળો. સદાચાર એ જ સાચું ધન છે. જે આળસુ, વહેમી, પ્રમાદી, શંકાશીલ હોય છે તેનો વિકાસ થઈ શકતો નથી. તેઓ પરસ્પર લડતા હોય છે. જે મહેનતથી, મજૂરીથી, પ્રામાણિકતાથી લક્ષ્મી મેળવે છે તે ઉત્સાહી, શ્રદ્ધાવાન હોય છે. બીજાનું ભલું કરનારા હોય છે. જુઓ ! પાદલિપ્તસૂરિ મહારાજે, આનંદધનજી મહારાજે સાધનાથી સુવર્ણસિદ્ધિ મેળવી હતી. તેમના પેશાબથી પત્થર સોનું બનતો. તો તે આત્માઓએ તેના દ્વારા જગતને સુખી કેમ ન કર્યા? આ સુવર્ણસિદ્ધિ આપવાથી તૃણાનો અતિરેક થાય છે. તૃષ્ણા બહેકાય છે. એટલે મન બગડવા માંડે છે. મન બગડે તે કોઈ રીતે ન ચાલે. મન તો પારસમણિ છે. તે બગડ્યા પછી જગતની કઈ વસ્ત સુધરી શકે છે? અસતુ તૃષ્ણા બહુ ભયંકર છે. આજે ઘર્મસામગ્રી મળવા છતાં જીવ ધર્મ નથી કરી શકતો તેનું કારણ અંદર ઊંડે ઊંડે અસતુ તૃષ્ણા બેઠી છે. આજે જેટલા પૈસા છે તેનાથી આવતી કાલે વધારે મળે તો તમે ના પાડી શકશો? કોઈ આજે તમને કહે કે તારા નામથી શેર લઉ છું. નફો થાય તો તારો અને ખોટ જાય તો તારે કંઈ લેવા દેવા નહીં તો કોણ ના પાડે ? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy