SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ માટે સતત તૃષ્ણા રહે છે. સંસારમાં તૃષ્ણા સતત રહેવાના કારણે અધ્યાત્મ સાધના બહુ વિરલા કરી શકે છે. તૃષ્ણા અધ્યાત્મ પામવામાં બહુ બાધક બને છે. પોતાના જીવનમાં પૈસો જે રીતે મળવો જોઇએ તેનાથી ખોટી રીતે મળે તો પણ અધ્યાત્મ પામવું મુશ્કેલ બને છે. જે અર્થ મેળવવા માટે મજૂરી, મહેનત, શ્રમ કરવો પડતો નથી. જે અર્થ મેળવવા માટે પ્રામાણિકતા જરૂરી નથી તે રીતે આવેલો પૈસો ચિત્તને બગાડે છે. ૩૧૭ સુવર્ણસિદ્ધિના ધન કરતા સંતોષધન ચઢિયાતું છે. પ્રશ્ન ઃ પુણ્ય કઇ રીતે માપી શકાય ? ઉત્તર : જે પુણ્યને પામવા માટે પાપ, અનીતિ. અન્યાય વિ. કરવા પડે છે. તે પાપાનુબંધી પુણ્ય છે. અને પુણ્યાનુબંધી પુણ્યથી મળેલી સામગ્રીમાં જીવ લેપાતો નથી. સાત્ત્વિક હોય તો પુણ્યને લાત મારે છે અને સાત્ત્વિકતા ન હોય તો તેનો સદુપયોગ ચાલુ રાખે છે. તમને સુવર્ણસિદ્ધિ મળી જાય તો તમે તેના દ્વારા આ જગતને સુખી કરી શકો ને ? તમારા જેવો વિચાર કુમારપાળને પણ આવેલો અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજને કહે છે મને સુવર્ણસિદ્ધિ બતાવો, તો બધાના દારિદ્રય ફેડી નાંખું, હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું મારી પાસે સુવર્ણસિદ્ધિ નથી. પણ મારા ગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ પાસે છે. તું ત્યાં જા. ત્યાં ગયો વાત તું કરી. હવે ગુરુજી કુમારપાળને કંઇ કહેતા નથી. પણ શિષ્ય હેમચંદ્રને કહે છે કે આ કુમારપાળ અજ્ઞાન છે પણ તમે અજ્ઞાન છો ? મેં તમને રાઇના દાણા જેટલી વિદ્યા આપી તો તે પચી નથી તો મોદક જેટલી વિદ્યા તમને કેવી રીતે પચશે ? કુમારપાળને ઉદ્દેશીને દેવચંદ્રસૂરી મ. કહે છે કે, તમે જગતને સુવર્ણસિદ્ધિથી સુખી કરી શકાય એમ માનો છો, પણ તે વાત યોગ્ય નથી. જગતમાં કોઇને સુવર્ણસિદ્ધિથી આ રીતે સુખી કરી શકાય નહીં. તમે અહીં જ ભુલો છો. સુખનું સાધન ધન નથી, પણ સુખનું સાધન મન છે. કુમારપાળ ઃ આપ ત્યાગી છો. અધ્યાત્મની વાત જુદી છે. અધ્યાત્મી માટે ધન સુખનું સાધન ભલે ન હોય પણ અમારા જેવા માટે તો ધન એ જ સુખનું સાધન છે. આચાર્ય ભગવંત મનોમન વિચારે છે, કે આના મગજમાં ભૂત ભરાયું છે કે સુખનું કારણ ધન જ છે તો આને કેવી રીતે સમજાવવો ? ગુરૂ ઃ રાજન્ ! જે ગરીબ હોય તેને ત્યાં તિજોરીમાંથી સવા શેર સોનું મોકલી આપો અને ત્રણ દિવસમાં જે બને તે મને કહેજો. રાજાએ તેના એક ગરીબ અંગરક્ષકને ત્યાં સોનું સેવક મારફત મોકલી આપ્યું. ત્રણ દિવસમાં શું થયું ? પેલો તો વિચાર કરે છે. જયારથી આ સોનું આવ્યું છે ત્યારથી ઘ૨માં તોફાન બની રહ્યું છે તેથી વિચાર કરું છું કે કયારે આ પાછું આપી દઉં ? સોનું આવ્યા પહેલા ત્રણ દીકરા અને અમે બંને સુખેથી રહેતા હતા. પણ પૈસા આવવાથી મોટો દીકરો વિચા૨થી ભ્રષ્ટ થયો. તે કહે છે હવે ધંધો મૂકી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy