SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ સંગ છે. જેમાં જ્ઞાનધન, વિવેકધન, ઉપશમભાવ લૂંટાઇ જાય તેમ છે. સંસાર એટલે કતલખાનું, પાગલખાનું, પાયખાનું, અધ્યાત્મસારમાં સંસારને છવ્વીસ ઉપમાઓ આપી છે. તમે સત્સંગ છોડી દેશો તો આત્માને બચાવનાર કોઇ નથી. કલિકાલ એટલો ખરાબ છે. જેને સત્ પ્રગટ થયું છે અને જે સત્ પ્રગટ કરવા રાત દિવસ મથી રહ્યા છે તેનો સંગ કરી લેવો, એમાં જ મહાનતા છે. હજાર વારના ફલેટ કરતાં બે હજા૨વા૨નો ફલેટ મળે, એમાં કોઈ મહાનતા નથી, જરૂર કરતાં વધારે જગ્યા મેળવવી એ અનુકુળતા છે કે પરિગ્રહ છે ? આજે સત્સંગ છૂટી ગયો છે. ફકત ક્રિયા ઉભી રાખી છે અને અસત્ સંગ એટલો બધો વળગ્યો છે કે સત્સંગ ક૨વાની વાત રહી નથી. શ્રીમદજીએ કહ્યું છે કે “સહુ સાધન બંધન થયા, રહ્યો ન કોઇ ઉપાય. સત્ સાધન સમજયો નહીં, ત્યાં બંધન શું જાય ?” પ્રશ્ન ઃ સત્ સાધન કોને કહેવાય ? ઉત્તર : જેના આત્મામાં સત્ સ્વરૂપ પ્રગટ થયું છે. ગ્રન્થિભેદ થયો છે. સ્વરૂપ ખીલી નીકળ્યું છે. આત્મસાક્ષાત્કાર થયો છે. તે સત્ પુરુષ છે. તેના ઉપર પરમ ભકિત, બહુમાન એ આત્માને ત૨વાનું અનન્ય સાધન છે. તેને હૃદય સિંહાસન ઉપર સ્થાપિત કરવા તે મોક્ષ પામવાનું અનન્ય સાધન છે આવું જે સાધક સમજયો નથી અને બીજા ઉપાયો કર્યા તે અહંકારને વધારનારા બન્યા છે. બધા સાધનો ઉપર અહંકાર કર્યા એટલે પલ્લે કંઇ જ પડ્યું નથી. અહંનો વિસ્તાર મમ છે મમત્ત્વપણું એ અહંનો ફેલાવો છે, મારાપણામાં અહં સમાઇ ગયું છે. બાકીના બધા સાધનોમાં મમત્ત્વ ભળવાથી એને બંધનરૂપ થયાં એ સાધનોથી અહં તૂટ્યો નહીં, અહંકારને તોડવા માટે જ બધું ક૨વાનું છે એ સમજયા વિના સાધના થઇ નહીં. ઉપાધ્યાયજી મ. ૩૫૦ ગાથાના સ્તવનમાં આ વાત કરી છે. “જ્ઞાનયોગે કરી તૃપ્તિ નવી લાજિયે, ગાજીએ એક તુજ વચન રાગે, શકિત ઉલ્લાસ અધિકો હુસે તુજ થકી, તું સદા સકલ સુખ હેત જાગે.” માત્ર જ્ઞાનભણ્યા, ક્રિયાઓ કરી, એનાથી સંતોષ ન માનો, એનાથી સંતોષ માનવા જેવો નથી. એનાથી તૃપ્ત થવાનું નથી. જિનવચન પ્રત્યે ઝળહળતો આદર બહુમાન ઉભા કરો, જિનવચનને ઘુંટયા કરો, એ મહાન અત્યંતર તપ છે. જેમ જેમ શ્રી જીનવચન ઘુંટાતું જશે તેમ તેમ મોહ નીકળતો જશે. આનંદધનજી મ. સા. ના પદો ઘુંટવા જેવા છે. ૩૧૩ દેહની શોભા આત્માથી છે. “યા પુદ્ગલકા કા વિશ્વાસા, હૈ સપનેકા વાસા ચમત્કાર બીજલી હૈ જૈસા, પાણી બીચ પતાસાયા દેહિકા ગર્વ ન કરના, જંગલ હોયેગા વાસા.” Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy