SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ શુશ્રુષા એટલે તત્ત્વની ગરજ ગયું છે કે તત્ત્વ પામ્યા વિના કલ્યાણ નથી તેથી જયાં મળે ત્યાં દોડે. આ છે તત્ત્વશુશ્રૂષા. એક એક ગુણનો વિચાર કરવા જેવો છે. તત્ત્વ જાણવાનું ગૌણ ન કરવું. બલા દ્રષ્ટિનો બોધ સામાન્ય નથી અહીં પરા તત્ત્વશુશ્રુષા હોય છે. પરા એટલે ઉત્કૃષ્ટ એના વિના ન રહી શકે એવી સ્થિતિ હોય છે. વ્યસનીને વ્યસનની તાલાવેલી હોય ને વ્યસન ન મળે તો ઘણી મૂંઝવણ થતી હોય છે તેમ તત્ત્વનું વ્યસન જીવે ક૨વા જેવું છે. ન શ્રી તીર્થંકર ભગવાનના અસાધારણ દસ વિશેષણોમાં પહેલું લખ્યું છે કે ‘આામેતે પરાર્થવ્યસનિનઃ‘એટલે કે પ્રભુનો આત્મા નિગોદમાંથી જુદો પડી જાય છે. એમનું ઉપાદાન મિથ્યાત્વ અવસ્થાથી જુદું પડી જતું હોય છે. તેમનું તથા-ભવ્યત્વ વિશિષ્ટ કોટિનું હોય છે. મિથ્યાત્વ અવસ્થામાં પણ પોતાની પાસે જે સારી ચીજ છે તે બીજાને આપ્યા વિના રહી ન શકે એવું વ્યસન પડેલું હોય છે તેથી આગળ જતાં તેમના સમ્યક્ત્વ ગુણને પણ વરબોધિ કહેવાય છે અને અર્હત્વાત્સલ્ય પ્રવચન ભકિત વિગે૨ે દ્વારા તીર્થંકરનામકર્મ નિકાચિત કરે છે. અહીં તત્ત્વ શુશ્રુષા ગરજ રૂપે આવે છે. તમને તત્ત્વ શુશ્રૂષાની ગરજ નથી માટે તારક તત્ત્વો પ્રત્યે આદર - બહુમાન જોઇએ તેટલાં આવતાં નથી. દુનિયામાં બીજી ચીજોની જેટલી ગરજ છે તેટલી તત્ત્વોની ગરજ છે ? તત્ત્વ સાંભળવાની જેને ગરજ હોય તે લાખો કામો બાજુ ઉપર મુકીને તત્ત્વ સાંભળે જ. પૈસા મહાન કે આત્મા મહાન? પૈસા માટે તમારા જીવનના અમૂલ્ય સમયનો ભોગ આપો છો પણ એ પૈસા સાથે નહીં આવે. પરલોક અનુયાયી નહીં બને અને તેની મૂર્છા આત્માને મલિન કરશે તે જુદું, લાખો કામો પડતાં મૂકીને તત્ત્વ સાંભળવું જોઇએ, પામવું જોઇએ. મનુષ્ય જીવન આત્માને વિષયભાવમાંથી રક્ષણ ક૨વા માટે છે. મનુષ્યભવ અતત્ત્વને છોડવા માટે છે અને તત્ત્વને પામવા માટે જ છે. અતત્ત્વને સમજો છો ? અતત્ત્વની શ્રદ્ધા નથી. નવતત્ત્વ સમજયા નથી. જયાં સુધી અતત્ત્વની અતત્ત્વરૂપે શ્રદ્ધા ન થાય ત્યાં સુધી તત્ત્વ તત્ત્વરૂપે પરિણામ ન પામે. અતત્ત્વ ખોળ છે, તત્ત્વ ગોળ છે. તમે બંનેને ભેગા કરીને જીવો છો ને ? અને વખત આવે તત્ત્વને ગૌણ કરો છો અને અતત્ત્વ મુખ્ય બને છે ને ? આ પરિસ્થિતિમાં ત્રીજી દૃષ્ટિ કયાંથી આવશે ? યોગમાર્ગ પામવો છે તો તત્ત્વની ગરજ વિના કઇ રીતે ચાલે ? કોઇની વસ્તુ મેળવવી હોય તો બાપ બનીને લેવાય કે દીકરા બનીને લેવાય ? બાપની મૂડી લેવી હોય, પોતાનો ભાગ લેવો હોય તો ય વિનય કરવો પડે છે. સેવા કરવી પડે છે તો મળે છે. સંસારની કઇ ચીજ ગરજ વિના મળે છે ! જેની પાસેથી તત્ત્વ મેળવવું છે તેની કઇ સેવા કરો છો ? તેને કયું પોલ્સન લગાડો છો ? એકક્ષણ પણ તત્ત્વ વિનાની ન જવી જોઇએ. તત્ત્વ સાંભળવાના અવસરે તત્ત્વને ગૌણ કરનાર અને બીજી ચીજને પ્રાધાન્ય આપનાર પ્રાજ્ઞ નથી. તમે એક તો તત્ત્વમાં ડૂબો, અંદરમાં જાવ અને એ ન બને તો બીજા નંબરમાં સતત સત્સંગમાં રહો. સંસાર આખો અસત્ Jain Education International 2010_05 ૩૧૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy