SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ ૩૧૧ - - ન માને તો તાડન, તર્જન કરવું એ પડિચોયણા છે. પોતાના જીવનમાં શિષ્યને આ ચારે ચીજો ગમવી જોઈએ. તે વખતે જો તેને અપ્રીતિ થાય તો શિષ્યનો વિકાસ અટકી જાય છે. જેને કોઈ ભૂલ બતાવે તે ગમે, તાડન - તર્જન કરે તો ગમે તે જ જીવ આગળ વધી શકે છે. જયારે ગુરુ રામને લાત મારતાં ત્યારે મને ગુરુનો ચરણ સ્પર્શ મળ્યો એવું તેને લાગતું હતું. માથા ઉપર હાથ મુકનારા તો ઘણા ગુરુઓ છે પણ ગુરુ ચરણસ્પર્શ કયારે આપે ? આવા ભાવ આવવા એ સાચું શિષ્યત્વ છે. આપણી દષ્ટિએ ગુરુ પ્રતિકુળ વર્તે છે તેમાં પણ આપણું આત્મિક હિત સમાયેલું છે માટે નિગ્રહ એ પણ કૃપા છે અને નિગ્રહ કૃપામાં સાધક ટકી શકે એ ગુરુની અનુગ્રહ કૃપા નથી તો બીજું શું છે? આપણા દરેકના શરીરમાંથી ત્રણ જગ્યાએથી પગલો વધારે નીકળે છે. ચરણોમાંથી, હાથમાંથી અને આંખમાંથી. માટે ચરણોનો સ્પર્શ કરવાનો છે વાસક્ષેપમાં પણ હાથના પુદ્ગલો સ્પર્શે છે માટે લાભ થાય છે અને ગુરુની અમીદષ્ટિ આપણા ઉપર પડે તો પણ કલ્યાણ થાય છે. પોતાના જીવનમાં રમણ મહર્ષિએ બહુ ઉપદેશ આપ્યો જ નથી. ફકત દષ્ટિપાત જ લગભગ કર્યો છે એના દ્વારા ઘણાને લાભ થયો છે. બલા દષ્ટિમાં અનુષ્ઠાનના સમયે આસન દઢ બને છે અને ક્રિયામાં ભગવાન પ્રત્યેનું બહુમાન, પ્રીતિ થાય છે. અહીં પ્રીતિ અનુષ્ઠાનની જીવને પ્રાપ્તિ થાય છે. વાસ્તવિક શુભ ભાવ આવે છે એના દ્વારા ઉચી કોટીનું પુણ્ય બંધાય છે. અહીં મનની ચંચળતા મોટા પ્રમાણમાં નીકળી ગઈ હોય છે. શુશ્રુષા એટલે તત્વની ગરજ પહેલી દૃષ્ટિમાં તત્ત્વનો અઢષ પ્રાપ્ત થાય છે. બીજી દૃષ્ટિમાં તત્ત્વની જીજ્ઞાસા ગુણ પ્રાપ્ત થાય છે. અહીં ત્રીજી બલા દૃષ્ટિમાં તત્ત્વની શુશ્રુષા ગુણ પ્રાપ્ત થાય છે. જીવ અચરમાવર્તથી ચરમાવર્તિમાં આવે છે ત્યારે સહજમલનો હ્રાસ થાય છે. આત્મગુણનો વિકાસ થાય છે. પહેલા ઓઘદૃષ્ટિમાં જે ધર્મ પ્રત્યે દ્વેષ, નફરત, ધૃણા હતી તે નીકળી જવાથી હવે જિજ્ઞાસા આવે છે. તત્ત્વ જાણવાની ઇચ્છા, રુચિ થાય છે. આત્મતત્ત્વ જાણવાની ઈચ્છા થઈ કે હવે એ તત્ત્વ સમજયા વિના ચાલે નહીં. જેમ બાળક મોટો થાય છે. ૨૦ વર્ષનો થાય એટલે પૈસા કમાવાની ઈચ્છા થાય છે. ન કમાય તો ન ચાલે એવી વિચારણા હોય છે તો તે ગમે તે રીતે ધંધો નોકરી શોધી લે છે. તેમ બીજી દૃષ્ટિમાં તત્ત્વ જાણવાની ઇચ્છા થાય છે. પછી તત્ત્વ સાંભળવાની ગરજ ઉભી થાય છે. શ્રવણનો અર્થ “સાંભળવું ” કરતાં “ગરજ" કરો તે વધારે સારું છે, ગરજ એટલે એના વિના ચાલે નહીં. ediction જેવું અહીં છે. સંસારની વસ્તુ પણ ગરજુ બન્યા વગર મળતી નથી. દર્શન મોહનીયની મંદતા વધી એટલે ગુણોનો વિકાસ થયો. હવે તે તત્ત્વ પામ્યા વિના રહી શકે તેમ નથી. તેને સમજાઇ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy