SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ હિમાલયનો યોગી સ્વામી રામ ૩૧૦ બેસી જ નથી શકતા. ખુરશી ઉપર ધ્યાન કેવું થાય? કેટલું થાય? અને નીચે બેસીને પદ્માસન લગાવો તો ધ્યાન કેવું થાય? દરેક ચીજ અભ્યાસથી સિદ્ધ થાય છે. સંકલ્પ કરો તો કાંઈ અશકય નથી. તેથી જ પ્રાયશ્ચિતમાં કેટલાકને આસન પણ આપવા પડે છે. કેટલાકને મૌન આપવું પડે છે. જેવા રોગ તેવી દવા આપવાથી રોગનું નિવારણ થાય છે. બાલમુનિ ઠેકડા મારી દાદરા ઉતરતા હોય અને પ્રાયશ્ચિતમાં ગાથા, સ્વાધ્યાય આપી ન શકાય કેમ કે તે તો કરી દેશે પણ આ કુટેવ દૂર કરવા માટે તો ૬ મહીના સુધી એક એક પગથીએ બબ્બે પગ મુકીને દાદરો ઉતરવો એવી સૂચના કરવાથી તે કુટેવ જતી રહેશે. - ત્રીજી દૃષ્ટિના આરંભમાં સુખાસન હોય છે. અહીં દર્શન દેઢ હોય છે. અહીં બોધ કાષ્ઠના અગ્નિ જેવો છે. લાંબા કાળ સુધી ટકી શકે છે. તેથી વૈરાગ્ય પણ સ્થિર થઈ શકે છે અને તે જે અનુષ્ઠાન લે તેમાં સ્થિર થઈ શકે છે. યોગનો ભંગ એ મોટામાં મોટો દોષ છે. પરમાત્માનું ચૈત્યવંદન કરતાં જ્ઞાની ત્રિદિશિ નિરીક્ષણ વર્જન કહ્યું છે. પરમાત્માની સામે જ દૃષ્ટિ રાખવાની, બાકીની દિશામાં જોવાનું પ્રયોજન જ નથી. કાયયોગની સ્થિરતા વિના મનોયોગની સ્થિરતા કેવી રીતે આવી શકે? પ્રભુની દષ્ટિ ઉપરથી ઘણું જાણવા મળે છે. પ્રભુની મુખાકૃતિ મૂક સંદેશ આપ્યા જ કરે છે એને ઝીલવો જોઇએ. જગતની બધી વ્યકિતઓનું દર્શન કંઈક ને કંઈક જણાવી શકે છે. તેને જાણવા-જોવા માટેની સુયોગ્ય દૃષ્ટિ યોગીને સહેજે પ્રાપ્ત થયેલી હોય છે. હિમાલયનો ચોગી સ્વામી રામ હિમાલયનો યોગી સ્વામી રામ પોતાના અનુભવના પુસ્તકમાં લખે છે કે મારી માતાએ મને બાલ્યકાળથી જ મારા ગુરુને સોંપી દીધો હતો. મારા ગુરુ ફરતા ફરતા મારા ઘરે આવ્યા અને મારી મુખાકૃતિ જોઈને મારી માતાને કહે છે આ પુત્ર મને સોંપી દે એને હું મહાયોગી બનાવી દઇશ. માતાએ તેમને સોંપી દીધો. આ બાળક લાંબા પગ કરીને બેસે, જરા ટેકો દઈને બેસે તો ગુરુ તેને લાત મારે છે. એ રામ લખે છે કે મારા ગુરુની ગમે તેટલી લાત ખાવા છતાં મને કયારે ય તેમના ઉપર અપ્રીતિ થઈ નથી, અભાવ થયો નથી. ગુરુની લાત કે કઠોર વચન ગમી જવું એ સાચું શિષ્યત્વ છે. ગુરુની અનુગ્રહ કૃપાની જેમ નિગ્રહ કૃપા પણ હોય છે. આપણને ભણાવે, ગણાવે, અનુકુળતા કરી આપે એ અનુગ્રહ કૃપા છે. ગુરુની ફરજ છે કે સારણા,વારણા,ચોયણ, પડિચોયણા કરે, સારણા = સ્મારણા. કરવા યોગ્ય ચીજને શિષ્ય ભૂલી જતો હોય તો તેને તે યાદ કરાવે છે. વારણ = જે નિષિદ્ધ કાર્ય કરતો હોય તો તેને તેનાથી અટકાવે છે. ચોયણા = જે કરવા યોગ્ય તેને ન કરતો હોય તો તેને કઠોર, કડક શબ્દોમાં કહે છે. આંખો કાઢીને કહેવું, આંખો બતાવીને કહેવું, નહીં કરો તો નહીં ચાલે તેમ કહેવું તે ચોયણા છે અને તેમ છતાં પણ શિષ્ય Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy