SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ આસનથી થતાં લાભ આસનથી શ્વાસની ગતિ મંદ પડે છે. શ્વાસની ધીમી ગતિ એ ચિત્તની સ્થિરતામાં ઉપયોગી બને છે. ધીમી ગતિએ એક સરખી શ્વાસની પ્રક્રિયા ચાલવાથી જીવ, મનની એકાગ્રતાને પામી શકે છે. તેનાથી જીવ ધીરે ધીરે કષાયોથી દૂર જઈ શકે છે અને શ્વાસોચ્છુવાસ ધીરા ચાલે એટલું આયુષ્ય વધે છે. આપણે આયુષ્ય વર્ષોથી ગણીએ છીએ. યોગીઓ શ્વાસોચ્છવાસના માપથી ગણે છે. માનો કે કોઇનું ૫૦ હજાર શ્વાસોચ્છવાસનું આયુષ્ય છે. જેટલા શ્વાસોચ્છવાસ ઓછા લ્યો તેટલું આયુષ્ય લાંબુ થાય છે. બહુ હાયવોય, ટેન્શન, ચિંતા કરવાથી આયુષ્ય ઘટે છે. અહંકાર યુકત જીવનમાં કોઈ રીતે સુખ નથી. હાયવોયથી જીવન ટુંકુ થાય છે. અકાળે મૃત્યુ આવી જાય છે. શ્વાસોચ્છવાસ વધારે ચાલે છે તો ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે નુકશાન થાય છે. મૃત્યુ વખતે સમાધિ અને સદ્ગતિ પામવી દુર્લભ બને છે. વીરાસન, ગોદોહિકાસન, ચક્રાસન, મયૂરાસન, વજાસન, સિદ્ધાસન, શબાસન વિ. આસનની સિદ્ધિને પામેલો જીવ યોગની સાધનામાં આગળ વધે છે. આસનથી પ્રમાદનો જય થાય છે. નિદ્રાનો જય થાય છે. રોગ ઉપર વિજય મેળવી શકાય છે. ચક્રાસન કરો, તાવ ખસી જાય છે. મયૂરાસનથી શરદી મટી જાય છે. વજાસનથી ખાધેલું પચી જાય છે. વદ્યસન કરવાથી આરોગ્ય જળવાય છે. દવાના પનારે પડવું પડતું નથી, શરીરને લાભ થાય છે અને આત્માને પણ લાભ થાય છે. પદ્માસન આસનનો રાજા છે. પદ્માસનથી સંયમની સાધના બહુ સારી થાય છે. સિદ્ધાસનથી બ્રહ્મચર્ય ઉપર કાબુ આવે છે. શબાસન દ્વારા કાયાનો થાક ઉતરી જાય છે. તમે એ નક્કી કરો કે બેસવાનો જ્યારે વખત આવે ત્યારે સુખાસને બેસવું. એક-બે-ત્રણ-ચાર-છ કલાક બેસવાનું થાય તો પણ આ જ આસન રાખવું. શ્રી તીર્થંકર પ્રભુ જ્યારથી દીક્ષા લે ત્યારથી જિનમુદ્રામાં હોય, કાયોત્સર્ગ મુદ્રામાં, ઉભા રહેવાનું. શ્રી મહાવીર પ્રભુ સાડાબાર વર્ષની છવસ્થપણાની સંયમસાધનામાં પલાંઠી વાળીને બેઠા નથી. શ્રી મેઘકુમાર દીક્ષા લીધી ત્યારથી ઉકટ આસને બેઠા છે. એક વર્ષ તો દિવસે સતત ગોદોહિદાસને રહ્યા છે અને રાત્રે વીરાસને રહ્યા છે. વીરાસન એટલે ખુરશી ઉપર બેસે તેવી રીતે રહ્યા છે. આસન સિદ્ધ થતાં મન કાબુમાં આવી શકે છે. આપણે તો ઠેઠ મનોયોગ સુધી પહોંચવાનું છે. આપણા જીવનમાં બધું જ છે. પરમાત્માની પૂજા, સાધુની સેવા, નવકારશી, ચઉવિહાર, દાનાદિક બધું જ છે. શું નથી? યોગના ગ્રન્થો વાંચીએ છીએ પણ આસન સમજતાં નથી તે કેમ ચાલે? પદ્માસનમાં ૬ કલાક રહી શકતાં હો તો શરીરની બધી નાડીઓ ખુલી જાય છે. પદ્માસનમાં ૩ કલાક અવળું અને ૩ કલાક સવળું બેસે તો ભૂત અને ભાવિના ભાવો જાણી શકે છે. ભાવિની આગાહી કરી શકે છે. મન ચંચળ રહેતું હોય, મનની ચંચળતાને નાથી ન શકતા હો તો મોટું કારણ પ્રમાદ છે અને એમાં પણ આસન સ્થિર નથી કર્યું તે કારણ છે. કેટલાંક નીચે પલાંઠી વાળીને Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy