SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ બલાદષ્ટિ બલાદષ્ટિ પ. પૂ. હરિભદ્રસૂરિ મ. સા. યોગદૅષ્ટિ ગ્રન્થમાં આત્માનું યોગદ્યષ્ટિની પ્રાપ્તિ દ્વારા ક્રમિક ઉત્થાન સમજાવી રહ્યા છે. અનંતાકાળથી આત્મા ઓઘદૃષ્ટિના દોષોથી ચેતનાને દબાવીને અજ્ઞાનના અંધકારમાં અટવાઇ રહ્યો છે. અત્યાર સુધી તે સમ્યગ્ વિચારણા કરી શકયો નથી. सुखासनसमायुक्तं बलायां दर्शनं द्दढम् । " ૩૦૮ परा च तत्त्वशुश्रूषा, न क्षेपो योगगोचरः ।। ४९ ।। જયાં સમ્યગ્ વિચારણા નથી ત્યાં આત્માને શાંતિ નથી અને શાંતિ વિના સુખ નથી. નિર્વિચા૨ક જીવોને મૂઢતા સહેલી છે. કષાયો સહેલા છે. બુદ્ધિ મળવા છતાં તેઓના અજ્ઞાન, મૂઢતા, અવિધા ખસતાં નથી અને તેના કારણે દુઃખ ભોગવવું પડે છે. ભૌતિક સુખની સામગ્રીમાં સામાન્ય શાંતિ અહીં મળે છે પણ તે ભોગકાળે અજ્ઞાન અને મૂઢતા હોવાના કા૨ણે સાથે સાથે સંકલેશ પણ પડેલો છે. તો તે વખતે ભોગની સામગ્રી કેટલું સુખ આપી શકે ? માટે નૈષ્ટિ સમજવી જરૂરી છે. બે દૃષ્ટિમાં બોધ અલ્પ હતો તે ટકી શકતો ન હતો. પાવર મંદ હતો. Jain Education International 2010_05 આ ત્રીજી દષ્ટિમાં ‘આસન' નામનું યોગનું અંગ પ્રાપ્ત થાય છે. યમ, નિયમ પછી આસન અંગ અહીં આવે છે. આસન એટલે બેસવાની મુદ્રા. અહીં સુખાસન હોય છે. અહીં એક જ આસનમાં જીવ સુખપૂર્વક લાંબોકાળ બેસી શકે છે. જે આસનમાં ફેરફાર ન ક૨વો પડે તે સુખાસન છે. પગ લાંબા કરો, ટેકો દેવો એ સુખાસન નથી. આસન નામના અંગથી કાયયોગ સ્થિર થાય છે. અહીં કરોડરજજુ ટટ્ટાર રહી શકે છે. સહજ સ્થિર રીતે બેસવાથી વાયુની ગતિ સહજ રીતે સતત વ્યવસ્થિત ચાલે છે. આરોગ્ય જળવાય છે. મધ્યમ કોટીના જીવો માટે, અલ્પ સત્ત્વવાળા જીવો માટે, ધર્મ ક૨વા માટે આરોગ્ય બહુ જરૂરી છે. ઉચ્ચ કોટિના સનત્કુમાર ચક્રવર્તી જેવા સાત્ત્વિક જીવો બહુ ઓછા હોય છે કે સોળ મોટા રોગ થયા હોય ને સાધના ક૨વા માટે નીકળી પડે !! નમિ રાજર્ષિને પણ દાહવર હતો. છતાં ચારિત્ર લઇ નીકળી પડયા. સુખાસન હોવાના કારણે પાચનક્રિયા વ્યવસ્થિત ચાલે છે. ટેકો લઇને બેસવાથી પાચનક્રિયા મંદ પડે છે. વ્યવસ્થિત બેસવાથી પાચનક્રિયાની વૃદ્ધિ થાય છે. તેનાથી એક બાજુ આરોગ્ય જળવાય છે. બીજી બાજુ પ્રમાદનો જય થાય છે. જેને કોઇને યોગની સાધના ક૨વી હોય તેણે સૌથી પહેલાં આસન શીખવું જોઇએ. આસનની સ્થિરતા વગર ચાલે નહી. પરદેશીઓને ખુરશી ઉપર બેસવાની ટેવ હોય છે. તેઓને ધ્યાનમાં બેસવાની તકલીફ હોય છે. તેઓ પલાંઠી વાળીને બેસી શકતા નથી. ત્રણ ચાર કલાક આસન કરવું મુશ્કેલ બને છે. પલાંઠીમાં પાંચ લાઠી કરતા વધારે તાકાત રહેલી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy