SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ પ્રશસ્ત કષાય છે. ટૂંકમાં જેમાં ક્ષયોપશમની પ્રધાનતા હોય અને ઉદયની ગૌણતા હોય તે પ્રશસ્ત કષાય કહેવાય, અને જેમાં કર્મના ઉદયની મુખ્યતા હોય તે અપ્રશસ્ત કષાય કહેવાય. વિકલ્પોમાંથી અહં કાઢી નાંખવાનો છે. અહ વિનાના વિકલ્પો પ્રાણ વિનાના કલેવર જેવા છે. પ્રાણ વિનાના વિકલ્પો જીવી શકતા નથી. વંધ્યાપુત્ર જેવા વિકલ્પો છે. વંધ્યાને પુત્ર હોય? બધા વિકલ્પો સાદિ સાંત હોવાથી, અનર્થકારી હોવાથી અસત્ છે. વિકલ્પ અસત્ લાગે, તો તે નિકળી જાય. પ્રશ્ન : વિકલ્પનો અહં કેવી રીતે ઓળખવો? ઉત્તર: હું બહુ બુદ્ધિશાળી છું મારા જેવો કોઈ નહીં, બધા મને પૂછીને કરે, હું કેટલા સુંદર પદો મૂકી શકું છું. આ બધા વિકલ્પોમાં અહં છે. વયાપુત્ર જેવા વિકલ્પો છે. તેને ઘટાડવા હોય તો અહં કાઢી નાંખો. અહં નીકળી જવો એ વિકલ્પોનું મોત છે. વિકલ્પનો અહં એ એનું અમરત્વ છે. વિકલ્પો કોના જેવા છે? એનું સ્વરૂપ શું છે? એ નીચેના વાકય ઉપરથી સમજાશે. - “વધ્યાપુત્રે ઝાંઝવાના નીરમાં નાહીને, આકાશપુષ્પથી શિવજીની પૂજા કરી.” તમને પણ પ્રકારાંતરે આવા જ વિકલ્પો આવે છે કે, “હું બંગલાવાળો છું, હું ચાર છોકરાવાળો છું, હું શ્રીમંત છું” વિગેરે. વધ્યાપુત્ર હોય? ઝાંઝવાના નીર હોય? આકાશપુષ્પ હોય? આ બધું નથી તેમ બંગલો, છોકરા પૈસા પણ અનાદિ અનંત કાળ રૂપી સમુદ્રમાં સાદિ સાંત ભાવે પરપોટા સ્વરૂપે છે છતાં વિકલ્પોના અહંથી આપણે અનાદિકાળથી રખડીએ છીએ. વિકલ્પો એ મારું સ્વરૂપ નથી એ સમજાઈ જાય તો અહંકાર ન આવે. મન અને બુદ્ધિ એના અહ ઉપર જીવે છે. પરક્ષેત્રે, બાહ્યક્ષેત્રે રહેલા પદાર્થો ઉપર વૈરાગ્ય કેળવવાનો છે. અત્યંતર ક્ષેત્રે મન અને બુદ્ધિ ઉપર વૈરાગ્ય કેળવવાનો છે. મન, બુદ્ધિ કેવળજ્ઞાનનો એક અંશ છે તેના ઉપર અહં નથી કરવાનો, તો પછી સંસારની કઈ ચીજ ઉપર અહં કરવાનો હોય? દેહ, ઇન્દ્રિય વિ. સંસારના બધા પદાર્થો વિનાશી છે. વિનાશી ચીજો આપણને ભવોભવ રખડાવે છે. વિનાશીની પક્કડમાંથી છૂટકારો મેળવવાનો છે. મન, બુદ્ધિ અવિનાશી છે તેના પર વૈરાગ્ય કેળવો એટલે એમાંથી હું અને મારું કાઢી નાંખો, હું અને મારું આવ્યું તો વૈરાગ્ય નીકળ્યો અને અહં આવ્યો. હું અને મારું કાઢો તો વૈરાગ્ય પેસે છે. મન અને બુદ્ધિનો અહં શું કામ કરે છે? મન અને બુદ્ધિ દ્વારા વધુમાં વધુ ચૌદ પૂર્વનું જ્ઞાન થઈ શકે છે પણ બધા ચૌદ પૂર્વી તરત કેવળજ્ઞાન જ પામે એવું નથી. તેઓ નિગોદમાં પણ જઈ શકે છે. નરકમાં પણ જઈ શકે છે. ગુણપ્રાપ્તિનો અહં આ બધું કરાવે છે માટે કયાંય અહં નથી કરવાનો. પત્ની ઉપર અહં નહીં, બંગલા ઉપર અહં નહીં, બુદ્ધિ ઉપર પણ અહં નહીં, પુત્ર પુત્રાદિ, દેહ, ઇન્દ્રિય, સ્વજન એ બાહ્ય પરિવાર છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ અત્યંતર પરિવાર છે. કયાંય અહં કરવાનો નથી. બસ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy