SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્સર્ગ અપવાદની યથાર્થ પ્રરૂપણા ૩૦૬ શિષ્ટ પુરષોએ જે કર્યું તે આપણને માન્ય છે એવું અહીં બીજી દષ્ટિમાં આત્મા માને છે. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી પોતાની જાતને અજ્ઞાન શિરોમણિ માનો, ચૌદ પૂર્વીને પણ કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી પોતાની જાતને અજ્ઞાન માનવી, હિતાવહ છે. આવા વિકલ્પથી લઘુતા ભાવ આવશે “હું કંઈ જાણતો નથી.” તો આત્મા આગળ વધી શકશે. “હું જાણું છું” એ વિકલ્પ મારક છે. વિકલ્પમાંથી અહંકાઢવો એ સાધના છે. અહ વિનાનો એક વિકલ્પ પણ તારક છે. વિકલ્પો ક્યાં સુધી હોય છે ? કેવળ જ્ઞાન ન પામે ત્યાં સુધી વિકલ્પો હોય છે. બારમા ગુણસ્થાનક સુધી ક્ષપકશ્રેણીમાં પણ વિકલ્પો છે. શુકલ ધ્યાનનો પહેલો પાયો બારમા ગુણસ્થાનકના અમુક સમય સુધી હોય છે ત્યારપછી બારમા ગુણસ્થાનકના પાછળના ભાગમાં શુકલ ધ્યાનનો બીજો પાયો આવે છે. વિકલ્પ બારમા ગુણસ્થાનક સુધી હોય છે પરંતુ વિકલ્પ બે પ્રકારના છે. (૧) જ્ઞાનજન્ય વિકલ્પ અને (૨) મોહજન્ય વિકલ્પ. બંને વિકલ્પોના પણ બબ્બે ભેદ પડે છે. એક આભોગજન્ય એટલે કે બુદ્ધિ પૂર્વકના વિકલ્પ અને બીજા અનાભોગ જન્ય એટલે કે અબુદ્ધિ પૂર્વકના વિકલ્પ. ક્ષપકશ્રેણી, ઉપશમશ્રેણીમાં બંને પ્રકારના આભોગ વિકલ્પ નથી હોતા, પરંતુ બંને પ્રકારના અનાભોગ વિકલ્પ હોય છે. ભિન્ન ભિન્ન સમયમાં ભિન્ન ભિન્ન પ્રકારના કર્મોના ઉદયને કારણે ભિન્ન ભિન્ન અધ્યવસાય હોવાથી વિકલ્પ હોય છે પણ તે વિકલ્પ અનાભોગ અર્થાત્ અબુદ્ધિ પૂર્વકના હોય છે. શ્રેણીમાં અનાભોગ વિકલ્પ હોવા છતાં વ્યવહારનયે આભોગ વિકલ્પ અર્થાતુ બુદ્ધિપૂર્વકના વિકલ્પોની જ વિકલ્પ તરીકે ગણના થતી હોવાથી શ્રેણીમાં નિર્વિકલ્પતા કહેવાય છે. જ્ઞાનજન્ય અને મોહજન્ય આભોગ વિકલ્પો બહુધા પ્રમતગુણસ્થાનક સુધી જ હોય છે. ક્વચિત્ સાતમા અપ્રમત ગુણસ્થાનકની શરૂઆતમાં પણ હોઈ શકે, પણ પછીથી નહીં. જ્ઞાનજન્ય વિકલ્પ તે છે કે જેમાં હેય, ઉપાદેયની બુદ્ધિ ન હોય, માત્ર શેયને કારણે થતા વિકલ્પ તે જ્ઞાનજન્ય વિકલ્પ છે. જેમાં સાચી ખોટી ભ્રમણા રૂપ કે વિસંવાદરૂપ હેયોપાદેયનું ભાન થતું હોય તે મોહજન્ય એટલે કે મોહનીયના ઉદય, ક્ષયોપશમ જન્ય વિકલ્પ છે. અર્થાત તે વિકલ્પો જ્ઞાન જન્ય હોવા છતાં તેમાં મુખ્યતયા મોહનીયનો ઉદય કે ક્ષયોપશમ ભળેલો હોવાથી તે વિકલ્પો મોહજન્ય કહેવાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ અને એના કારણો, એના બાધ્ય-બાધક ભાવોના વિકલ્પ એ મોહના ક્ષયોપશમ જન્ય વિકલ્પ છે. પ્રશસ્ત વિષયોમાં-દેવગુરુમાં પ્રસન્નતા, આદર, ઉપાદેયબુદ્ધિ તે પ્રશસ્ત કષાય છે. તેમ અપ્રશસ્ત વિષયમાં અરૂચિ, તિરસ્કાર વગેરે પણ પ્રશસ્ત કષાય છે. સંસાર પ્રત્યેનો વૈરાગ્ય પ્રશસ્ત કષાય છે. મોક્ષ અને મોક્ષના સાધનોનો રાગ તે પણ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy